Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને ભારતે જપ્ત કરેલા 3 ટેન્કર છોડવાની માગ કરી:ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા અંગેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો

    4 days ago

    ઈરાને ફેબ્રુઆરીમાં જપ્ત કરવામાં આવેલા તેના ત્રણ ટેન્કર છોડવાની માગ ભારત પાસે કરી છે. રોઇટર્સના રિપોર્ટ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવા અંગેની વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, ઈરાને ભારત પાસે કેટલીક દવાઓ અને મેડિકલ ઉપકરણોની સપ્લાયની માગ પણ કરી છે. આ મુદ્દા પર ઈરાનના રાજદૂતે સોમવારે નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરીને ચર્ચા કરી હતી. ભારતે ફેબ્રુઆરીમાં એસ્ફાલ્ટ સ્ટાર, અલ જાફઝિયા, અને સ્ટેલર રૂબી નામના ત્રણ ટેન્કર જપ્ત કર્યા હતા. આરોપ છે કે આ જહાજોએ પોતાની ઓળખ છુપાવી હતી અને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે 'શિપ-ટૂ-શિપ ટ્રાન્સફર'માં ભાગ લીધો હતો. હાલમાં આ ટેન્કરો મુંબઈ પાસે લંગર નાખેલા છે. ભારત માટે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોનું પસાર થવું અત્યંત મહત્વનું છે, કારણ કે દેશની આશરે 90% LPG આયાત ગલ્ફ ક્ષેત્રમાંથી થાય છે. ફારસની ખાડીમાં હાલમાં 22 ભારતીય જહાજો અને 611 ભારતીય નાવિકો હાજર છે, જેની સુરક્ષા અને અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે LPG કેરિયર જહાજ 'શિવાલિક' કતારથી ગેસ લઈને ભારત પહોંચી ગયું છે. આ જહાજ સોમવારે સાંજે 5 વાગ્યે ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું હતું. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Can fasting diet be protein-rich? How to combine millets with makhanas, nuts and yogurt
    Next Article
    ધોરણ 12 સાયન્સની પરીક્ષા સંપન્ન:બાયોલોજીનું પેપર એકંદરે સરળ રહ્યું, અંતિમ પેપર બાદ વિદ્યાર્થીઓમાં રાહત

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment