Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનવતાની સાચી ઇબાદત:રમજાન માસમાં જૂનાગઢના પરિવારે 3 લોકોને નવજીવન આપી ખિદમત-એ-ખલ્કનું ઉદાહરણ પૂરું પાડ્યું

    1 week ago

    અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 15 માર્ચના રોજ માનવતા અને કોમી એકતાનું અદભૂત દ્રશ્ય જોવા મળ્યું. રમજાનના પવિત્ર માસમાં જૂનાગઢના ચાવડા પરિવારે તેમના સ્વજન જેબુનબેનના અંગોનું દાન કરી સમાજને નવી દિશા ચીંધી છે. શ્રદ્ધા અને સેવાનો સંગમ જૂનાગઢના કેશોદ પાસે અકસ્માતનો ભોગ બનેલા 51 વર્ષીય જેબુનબેનને બ્રેઈનડેડ જાહેર કરાતા પરિવાર શોકમાં હતો. આ સમયે મુસ્લિમ વેલ્ફેર એસોસિએશનના આગેવાન યાસ્મીનબેન વોરા અને સ્થાનિક મોલાનાએ પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું. પરિવારે ધાર્મિક રૂઢિચુસ્તતા છોડી 'ખિદમત-એ-ખલ્ક'ને પ્રાધાન્ય આપ્યું. જ્યારે જેબુનબેનને ઓપરેશન થિયેટરમાં લઈ જવાયા, ત્યારે હોસ્પિટલ સ્ટાફની પ્રાર્થના અને સ્વજનોના 'કલમા'ના ગુંજારવે ભાવુક વાતાવરણ સર્જ્યું હતું. તેમના દ્વારા 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું છે. 14 કલાકમાં 6 જિંદગીઓ બચી આ જ દિવસે સિવિલમાં અન્ય એક 25 વર્ષીય યુવતીના પરિવારે પણ અંગદાનનો ઉમદા નિર્ણય લીધો હતો. ડૉ. મોહિત ચંપાવતની સમજાવટથી આ પરિવારે અંગોનું ગુપ્તદાન કર્યું, જેનાથી વધુ 2 કિડની અને 1 લીવર પ્રાપ્ત થયા. આમ, માત્ર 14 કલાકમાં 2 અંગદાન દ્વારા 6 જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન મળ્યું છે. સામાજિક ક્રાંતિ તરફ પ્રયાણ સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ આ ઘટનાને 'સામાજિક ક્રાંતિ' ગણાવી છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં 231 દાતાઓ દ્વારા કુલ 995 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે, જેનાથી 742 લોકોના જીવનમાં ખુશીઓ પાછી આવી છે. મુસ્લિમ સમાજ તરફથી મળેલું આ 9મું અંગદાન બદલાતા સમાજની સાક્ષી પૂરે છે.
    Click here to Read More
    Previous Article
    ચિત્ર-સંગીતના બેરોજગાર શિક્ષકોનો ગાંધીનગરમાં હુંકાર:કાયમી ભરતી કરવા શિક્ષણ મંત્રીને ઉગ્ર રજૂઆત, વિધાનસભા ગેટ પાસે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી
    Next Article
    LM કોલેજ ઓફ ફાર્મસી દ્વારા 17 માર્ચે અન્વેષણ 2026 યોજાશે:500થી વધુ વિદ્યાર્થી, 25 સ્ટાર્ટઅપ અને 41 પેન્ટન્ટ રજૂ કરશે, ઉદ્યોગપતિઓ સાથે સંવાદ યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment