Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈમાં મેઘતાંડવની અસર ગુજરાત સુધી:રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ, ટ્રેન વ્યવહાર ખોરવાયો, રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાતા ભારે ભીડ; 3 ફ્લાઈટ્સ સુરત ડાયવર્ટ

    2 days ago

    માયાનગરી મુંબઈમાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદની સીધી અસર ટ્રેન વ્યવહાર અને હવાઈ સેવા પર પડી છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનો અડધાથી એક કલાક જેટલી મોડી ચાલી રહી છે, જેના કારણે મુસાફરો ભારે હાલાકીનો ભોગ બન્યા છે. બીજી તરફ, મુંબઈ એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે લેન્ડિંગ મુશ્કેલ બનતા ત્રણ ફ્લાઈટ્સને તાબડતોબ સુરત એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. પાલઘરમાં ટ્રેક પર પાણી ભરાયા, સુરત સ્ટેશને મુસાફરોની ભારે ભીડ ભારે વરસાદના પગલે પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. સિગ્નલ સિસ્ટમ અને ટ્રેકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની ગતિ ધીમી કરી દેવામાં આવી છે. પરિણામે, મુંબઈથી અમદાવાદ રૂટની મોટાભાગની ટ્રેનો અડધાથી એક કલાક મોડી દોડી રહી છે. ટ્રેનો લેટ થતાં મુંબઈથી લઈને અમદાવાદ સુધીના તમામ મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ ઉમટી પડી છે. ખાસ કરીને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા નથી. હજારો મુસાફરો કલાકોથી પોતાની ટ્રેનની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે. મુંબઈ જતી ત્રણ ફ્લાઈટ્સ સુરત એરપોર્ટ પર ઉતારવામાં આવી વરસાદ અને લો-વિઝિબિલિટીના કારણે મુંબઈની હવાઈ સેવાને પણ મોટો ઝટકો લાગ્યો છે. અલગ-અલગ શહેરોમાંથી મુંબઈ જતી ફ્લાઈટ્સને હવામાં ચક્કર મારવા પડ્યા બાદ સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પ્રશાસન તરફથી મળતી માહિતી મુજબ, મુંબઈ જતી કુલ ત્રણ ફ્લાઈટ્સનું સુરતમાં સેફ લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ડાયવર્ટ કરાયેલી ફ્લાઈટ્સની વિગત મુસાફરો અટવાયા, પ્રશાસન એલર્ટ રેલવે અને હવાઈ સેવા એકસાથે ખોરવાઈ જતાં વીકેન્ડ પર પ્રવાસ કરી રહેલા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સુરત એરપોર્ટ પર અચાનક ત્રણ ફ્લાઈટ્સ આવી પહોંચતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોની સુવિધા માટે વધારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. બીજી તરફ, રેલવે પ્રશાસન દ્વારા ટ્રેક પરથી પાણી ઓસર્યા બાદ ટ્રેન વ્યવહાર ઝડપથી પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સગા પિતાએ દિકરીને અડપલા કરતા ગુનો નોંધાયો હતો:સગીર દીકરીને મુંઢમાર મારી અડપલા કરનાર પિતાને પોકસો કોર્ટે ફટકારી 7 વર્ષની સખ્ત કેદ
    Next Article
    ગણદેવી અને ચીખલીમાં 2 કલાકમાં 5-5 ઈંચ વરસાદ:8 વાગ્યા સુધીમાં 131 તાલુકામાં મેઘમહેર, દરિયામાં ભારે કરંટ; 12 જિલ્લામાં રેડ એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment