Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ફ્રોડનો ગેંગનો પર્દાફાશ:​જેલના સળિયા પાછળ ધકેલાયેલા મુખ્ય સૂત્રધાર કેવીન દેકીવાડીયાની પૂછપરછમાં જૂનાગઢ એસ.ઓ.જી. પોલીસે 3 મહિલા સહિત 18 શખ્સો સામે સાયબર ક્રાઇમનો ગુનો નોંધ્યો,

    9 hours ago

    જૂનાગઢ શહેરની એસ.ઓ.જી. પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી એક અત્યંત મોટા અને સંગઠિત આંતરરાજ્ય સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મેળવી છે. આ ચકચારી કૌભાંડમાં પોલીસે ત્રણ મહિલાઓ સહિત કુલ અઢાર ઈસમો વિરૂદ્ધ આર્થિક છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આજે જે અઢાર લોકો સામે સાયબર ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જુનાગઢ એસ.ઓ.જી એ આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર કેવિન દેકીવાડિયાને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.જેની સઘન પૂછપરછ અને તપાસના અંતે આજે આ આખું દેશવ્યાપી નેટવર્ક ખુલ્લું પડ્યું છે. ​આજથી 40 દિવસ પહેલાં એસ.ઓ.જી. પોલીસની ટીમને એક સચોટ બાતમી મળી હતી કે સાયબર ગુનાઓમાં સંડોવાયેલો અને મૂળ જૂનાગઢના ઝાંઝરડા રોડનો રહેવાસી એવો મુખ્ય આરોપી કેવીન રમેશભાઈ દેકીવાડીયા પોતાની ધરપકડથી બચવા માટે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી નિલમણી સોસાયટીના ઓક્સફોર્ડ ટાવરમાં એક મકાન ભાડે રાખીને છુપાયો છે અને ત્યાંથી જ પોતાની ગેરકાયદેસર પ્રવૃતિઓનું સંચાલન કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને કેવીન દેકીવાડીયાને વિપુલ પ્રમાણમાં શંકાસ્પદ દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો સાથે ઝડપી લીધો હતો. તે સમયે તેની ઝડતી લેતા તેની પાસેથી અલગ-અલગ બેંકોની 25 પાસબુકો, 43 જેટલા એટીએમ કાર્ડ્સ, 23 સીમકાર્ડ અને ૫ મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જે જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસે તે સમયે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને જેલ હવાલે કરી દીધો હતો. ​હાલ જેલના સળિયા પાછળ બંધ એવા મુખ્ય આરોપી કેવીન દેકીવાડીયાની જૂનાગઢ એસ.ઓ.જી. પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ, ટેકનિકલ એનાલિસિસ અને જપ્ત કરાયેલા બેંક ખાતાઓની તપાસ દરમિયાન આ આખું કૌભાંડ સામે આવ્યું છે. તેની પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ ટોળકી સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને પકડી તેમને આર્થિક કમિશન અથવા ફિક્સ રૂપિયાની લાલચ આપી જુદી-જુદી બેંકોમાં ખાતાઓ ખોલાવતી હતી. ત્યારબાદ આ એકાઉન્ટ ધારકો પાસેથી તેમની બેંક પાસબુક, કોરા ચેકબુક, ડેબિટ કે ક્રેડિટ કાર્ડ તેમજ બેંક ખાતા સાથે લિંક થયેલા મોબાઈલ સીમકાર્ડ મેળવી લેવામાં આવતા હતા. ભાડે રાખેલા આ બેંક ખાતાઓની ગુપ્ત વિગતો ડિજિટલ અને ઈલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ભારતના અન્ય રાજ્યોમાં બેઠેલા સાયબર ઠગોને મોકલી આપવામાં આવતી હતી. આ નેટવર્ક દ્વારા દેશભરના ભોગ બનનારા લોકોને ઓનલાઈન રેટિંગ આપવાની લાલચ, હોટલ કે રૂમ બુકિંગ ફ્રોડ, યુ.પી.આઈ. છેતરપિંડી, નોકરીની ખોટી લાલચ અને શેરબજારમાં રોકાણ પર વધુ નફાની લાલચ આપી સાયબર ફ્રોડનો ભોગ બનાવવામાં આવતા હતા. લોકો જેવા છેતરાતા કે તરત જ આ નાણાં કેવીન દ્વારા એકત્રિત કરાયેલા ભાડાના ખાતાઓમાં જમા થતા અને તે રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી કે વિડ્રો કરી સગેવગે કરી દેવાતી હતી. ​મુખ્ય આરોપી કેવીનની પૂછપરછના આધારે પોલીસે જે અન્ય 17 બેંક ખાતાધારકો અને સાયબર ઠગો સામે ગુનો નોંધ્યો છે. તેમાં વિશાલ બળદેવભાઈ ઠાકોર (અમદાવાદ), રમીલાબેન નરેશભાઈ હરીજન (વડોદરા), મયુર ભીખાભાઈ સાગઠીયા (જામનગર), અમીત અશોકભાઈ સોલંકી (જામનગર), રજનીકાંત જશુભાઈ ડાંગર (જામનગર), ક્રિષ્નાબેન ચૌહાણ (અમદાવાદ), ચિરાગ લાલજીભાઈ શ્રીમાલી (અમદાવાદ), હરેશ ખુશલભાઈ ચૌહાણ (વડોદરા), વિજય શાંતીલાલ સોનાગરા (જામનગર), રવી કીરીટભાઈ પરમાર (જામનગર), હરસուખ ગાંડાભાઈ રાઠોડ (જૂનાગઢ), પ્રવિણ લક્ષ્મણ જાધવ (મહારાષ્ટ્ર), ચિરાગકુમાર એ. વેગડા (જામનગર), ભાવેશ ચૌહાણ (વડોદરા), મંજુબેન ગોવિદભાઈ પટેલ (ભાવનગર), ભાવેશ ગોવિદભાઈ પટેલ (જૂનાગઢ) અને રાજ અશોકભાઈ મણવર (જૂનાગઢ) નો સમાવેશ થાય છે. આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી હાલ જેલ હવાલે છે, જ્યારે ફરિયાદમાં દર્શાવેલા અન્ય તમામ સહ-આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે અને નાસતા ફરે છે. આ તમામ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે જૂનાગઢ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ​જૂનાગઢ બી ડીવીઝન પોલીસે આ સમગ્ર મામલે આર્થિક છેતરપિંડી આચરી દેશભરના લોકો સાથે વિશ્વાસઘાત કરવા બદલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S) તેમજ ભારતીય ન્યાય સંહિતા (B.N.S) ની કલમ 317(2), 317(4), 318(4) અને કલમ 54 હેઠળ ગુનો દાખલ કર્યો છે, સાથોસાથ ઈલેક્ટ્રોનિક સંસાધનો દ્વારા ઓળખ છુપાવી ગુનો આચરવા બદલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ (IT Act) ની કલમ 66(d) મુજબ પણ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ એસ.ઓ.જી. પોલીસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ધોળા દિવસે રાજસ્થાનનાં 4 જિલ્લામાં અંધારું છવાયું:પાકિસ્તાનથી આવેલાં વાવાઝોડાનાં લીધે હવામાન બદલાયું; યુપી-બિહારમાં વાવાઝોડા-વરસાદથી 48નાં મોત
    Next Article
    ગોધરામાં કલાકાર આર્ટ્સ ગ્રુપનું પ્રદર્શન:ચંદનબાગ ખાતે બે દિવસીય આયોજન, કલાપ્રેમીઓ ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment