Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌની યોજનાના નીર આજી-3 બાદ ઉંડ-1માં ઠાલવવાનું શરૂ:જામનગરને પાણી પુરૂ પાડવા કવાયત, હવે સસોઈ પહોંચશે‎

    4 days ago

    જામનગર શહેરને પાણી પુરૂ પાડતા ત્રણ જળાશયો પૈકી બે જળાશયોમાં ચાલુ માસાંત સુધીનો જથ્થો ઉપરાંત રણજીતસાગરમાં ઓગષ્ટના અંત સુધી ચાલે તેટલુ પાણી ઉપલબ્ધ હોવાના કારણે મહાનગરપાલિકા દ્વારા રાજય સરકાર સમક્ષ 550 એમસીએફટી પાણીની સૌની યોજના થકી માંગણી કરાઇ હતી. જેને મંજુરી બાદ ગત સપ્તાહે મચ્છુ-2 ડેમમાંથી આજી-3 ડેમમાં પાણી ઠાલવવાનુ શરૂ કરાયુ હતુ.જે બાદ હવે આજી-3 ડેમમાંથી ઉંડ-1 ડેમમાં પાણી મોકલવાનુ શરૂ કરાયુ છે. જામનગર શહેરને વર્તમાન સમયે દૈનિક 150 એમએલડી પાણીની જરૂરીયાત રહે છે.મનપા દ્વારા શહેરમાં એકાંતરા પાણીનુ વિતરણ થાય છે.જોકે, ચાલુ વર્ષે વરસાદ ખેંચાયા બાદ જામનગર શહેર-જિલ્લામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં કોઇ જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક થવા પામી ન હતી. બીજી બાજુ શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતા રણજીતસાગર ડેમમાં ઓગષ્ટના અંત સુધી તેમજ ઉંડ-1 અને સસોઇ ડેમમાં 31મી જુલાઇ સુધીનો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો.મનપા દ્વારા અગાઉ સૌની યોજના થકી 550 એમસીએફટી પાણીની માંગણી કરાઇ હતી. જેને સરકારે મંજુરી આપતા ગત સપ્તાહથી મચ્છુ-બે ડેમમાંથી આજી-3 ડેમમાં પાણી ઠાલવવાનુ શરૂ થયુ હતુ.જે બાદ આજી-3 ડેમમાંથી જામનગરના ઉંડ-1 ડેમમાં પાણી ઠાલવવાની કામગીરી પુરજોશમાં શરૂ કરાઇ છે.આગામી દિવસોમાં તબકકાવાર ઉંડ-1 ડેમમાંથી અંદાજે 150 એમસીએફટી પાણી સસોઇ ડેમ સુધી પહોચાડાશે. મનપા દ્વારા 550 એમસીએફટી પાણીની સૌની યોજના મારફતે માંગણી કરાઇ હતી જેમાં હવે તબક્કાવાર સંલગ્ન ડેમમાં પાણી પહોંચશે. શહેરમાં પાણીની ચિંતા ના હોવાનો મનપાનો દાવો રણજીતસાગર ડેમમાંથી 40 એમએલડી ઉપરાંત સસોઇ,ઉંડ-1 અને આજી ડેમમાંથી જરૂરી જથ્થા સાથે પાણી મેળવી અંદાજિત 150 એમએલડી પાણીના આયોજન સાથે શહેરમાં એકાંતરા વિતરણ કરાઇ રહયુ છે. નમર્દા કેનાલમાંથી પણ જરૂરીયાત મુજબ પાણી ઉપાડી પાણી પુરવઠા સુચારૂ બનાવાઇ છે.જેથી શહેરમાં પાણી વિતરણમાં કોઇપણ વિક્ષેપ સર્જાયો નથી.શહેરમાં એકાંતરા પાણી વિતરણ યથાવત રહેશે એમ મહાપાલિકા સુત્રોએ ઉમેર્યુ હતુ.
    Click here to Read More
    Previous Article
    દિવ્ય ભાસ્કરના અભિયાનમાં 48 વૃક્ષો રોપી સંસ્થાના ફાઉન્ડરે જન્મદિન ઉજવ્યો:365 દિવસ વૃક્ષારોપણ કરતી ગ્રીન આર્મી ટ્રસ્ટના 10 વર્ષ પૂર્ણ, 1.75 લાખ વૃક્ષો રોપી જતન પણ કર્યું
    Next Article
    અભયમ મદદે આવી:મોરબીમાં પતિ નાની નાની બાબતોમાં બોલાચાલી, માથાકૂટ કરતાં હોઇ વૃદ્ધા ઘર છોડીને નીકળી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment