Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવભૂમિ દ્વારકાના પિંડારા તીર્થમાં 29માર્ચથી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞકથા:સોમનાથ અને ભાલકાતીર્થ ખાતે કંકોતરી અર્પણ કરી દેવતાઓને આમંત્રણ અપાયું

    11 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર પિંડારા તીર્થમાં સમસ્ત અખિલ ભારતીય યદુવંશી-આહીર સમાજ દ્વારા ભવ્ય “શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ કથા”નું આયોજન આગામી તા. 29 માર્ચ 2026થી 6 એપ્રિલ 2026 દરમિયાન યોજાનાર છે. આ નવદિવસીય ચતુરંગી ધર્મમહોત્સવને લઈ સમિતિના સભ્યોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ધર્મપરંપરા મુજબ કોઈપણ શુભ કાર્ય પહેલાં દેવી-દેવતાઓને આમંત્રણ પાઠવવાની પ્રાચીન પરંપરા નિભાવી, સમિતિના યુવાનો પ્રભાસતીર્થ ખાતે આવેલા સોમનાથ મંદિર તેમજ ભાલકાતીર્થ ખાતે પધારી ભગવાન સોમનાથ મહાદેવ અને ભગવાન શ્રીકૃષ્ણને કંકોત્રી અર્પણ કરી ભાવપૂર્વક આમંત્રણ પાઠવ્યું હતું. આ ભવ્ય કથામાં પ્રખર શિવકથાકાર ગીરીબાપુ વ્યાસપીઠ પર બિરાજમાન રહી પોતાની આગવી શૈલીમાં શિવમહાપુરાણની કથા શ્રવણ કરાવશે. કથા રોજ સવારના 9:00 થી 12:00 અને બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી યોજાશે. ધર્મમહોત્સવની શરૂઆત તા. 29 માર્ચના રોજ ધ્વજારોહણથી થશે, જેમાં દ્વારકાધીશ મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખાતે નૂતન ધ્વજ ચડાવવામાં આવશે. ત્યારબાદ મહાપ્રભુજીની બેઠકથી પિંડારા સુધી ભવ્ય પોથીયાત્રા યોજાશે. આ નવદિવસીય કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોનું પણ આયોજન કરાયું છે, જેમાં સતી પ્રાગટ્ય, શિવ-પાર્વતી વિવાહ, દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, રૂદ્રાક્ષ મહાત્મ્ય અને ભસ્મ મહાત્મ્ય જેવા પાવન પ્રસંગો ઉજવાશે. તા. 30 માર્ચે સમસ્ત બ્રહ્મ ચોર્યાસીનું ભવ્ય ભોજન યોજાશે. વિશેષ આકર્ષણ તરીકે તા. 4 એપ્રિલે શિવપાર્વતી વિવાહ પ્રસંગે સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. આ સાથે પિતૃતર્પણ (પિંડારું) વિધિ પણ પીંડારક ક્ષેત્રે તીર્થગોરો દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરાવવામાં આવશે. આ ઉપરાંત નવકુંડિય મહાવિષ્ણુ યાગ તથા શ્રીમદ્ ભાગવત પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ભાગવત કથાકાર ધવલભાઈ અત્રી મુખ્ય આચાર્ય તરીકે ઉપસ્થિત રહેશે. પીંડારા તીર્થનું વિશેષ મહાત્મ્ય છે. હરી અને હરનું સંગમસ્થળ માનાતા આ ક્ષેત્રે મહાભારતકાળથી ઋષિ-મુનિઓની તપોભૂમિ તરીકે ઓળખ છે. પૌરાણિક માન્યતાઓ મુજબ પાંડવોએ અહીં પિતૃતર્પણ કરીને મુક્તિ પ્રાપ્ત કરી હતી. આજે પણ સમુદ્ર મધ્યે સ્થિત અતિદુર્લભ શિવલિંગ અને મહર્ષિ દુર્વાસાનો આશ્રમ આ સ્થાનની આધ્યાત્મિક મહિમાને ઉજાગર કરે છે. આ ભવ્ય અને દિવ્ય ધર્મોત્સવમાં તમામ ધર્મપ્રેમી ભક્તોને હાજરી આપી આધ્યાત્મિક લાભ લેવા સમિતિ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.
    Click here to Read More
    Previous Article
    સંતવાણી:હાથમાં કામ, મુખમાં નામ, હૃદયમાં ભગવાન રાખો: સાધુ પ્રેમવત્સલદાસજી
    Next Article
    સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા આશાસ્પદ યુવાનનું મોત:રાજકોટમાં અવધના બંગલા પાસે ક્રિકેટ રમતા બંધ સ્વિમિંગ પૂલમાં પડેલો બોલ લેવા જતા કોલેજીયને જીવ ગૂમાવ્યો, 108 એમ્બ્યુલન્સના નર્સને બદલે મિત્રે CPR આપ્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment