Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ શરૂ:શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા 28 માર્ચથી રતનપર બાયપાસ પર ભોજન-રહેઠાણ

    19 hours ago

    સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા પગપાળા જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ રતનપર બાયપાસ રોડ પર, ગણપતિ ફાટસર નજીક, પેટ્રોલ પંપની બાજુમાં આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે શરૂ થશે. લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ 28 માર્ચથી 2026 (શનિવાર) થી શરૂ થશે. ચૈત્ર નવરાત્રી દરમિયાન ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા માઈભક્તો અને યાત્રાળુઓ માટે ભોજન, રહેવા અને નાહવા સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. કેમ્પમાં સવારે 6:00 થી 9:00 વાગ્યા સુધી વણેલા ગાંઠિયા, પાપડી, ભજીયા અને ચા આપવામાં આવશે. સવારે 9:00 વાગ્યા પછી લીંબુ-વરિયાળીનું નેચરલ શરબત અને આઈસ્ક્રીમ સાંજના 6:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. સાંજના 6:00 વાગ્યા પછી જે યાત્રાળુઓ જમવા ઈચ્છે તેમને ભોજન અપાશે. રાત્રે 11:00 વાગ્યા સુધી નાસ્તામાં મિક્સ ભજીયાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે આ તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુત્રાપાડા નગરપાલિકાએ બાળશ્રમ નાબૂદી ઝુંબેશ શરૂ કરી:વાણિજ્યિક વિસ્તારોમાં સ્ટિકરો દ્વારા જાગૃતિ અભિયાન તેજ બન્યું
    Next Article
    પારડી હાઈવે પર દારૂ ભરેલી સ્વિફ્ટ કાર ઝડપાઈ:સસ્પેન્ડેડ પોલીસ જવાનનો દીકરો સહિત 2 આરોપી પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment