Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસને નોટિસ- અકબર રોડ-રાયસીના હિલની ઓફિસો ખાલી કરો:28 માર્ચ સુધીનો સમય; દાવો- પાર્ટી એસ્ટેટ વિભાગ સામે કોર્ટ જશે

    2 days ago

    કોંગ્રેસ પાર્ટીએ 24 અકબર રોડ પરની ઓફિસ 28 માર્ચ સુધીમાં ખાલી કરવી પડશે. એસ્ટેટ વિભાગે પાર્ટીને નોટિસ આપી છે. ન્યૂઝ એજન્સી ANIએ કોંગ્રેસના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ઓફિસ ખાલી કરવા માટે 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જોકે, આ ઓફિસ પહેલાથી જ અહીંથી ઇન્દિરા ભવનમાં શિફ્ટ થઈ ગઈ છે. પાર્ટી આ બંગલાનો રહેણાંક હેતુ માટે ઉપયોગ કરી રહી છે. બીજી તરફ, એસ્ટેટ વિભાગ કોંગ્રેસના 5 રાયસીના હિલ્સ રોડ ખાતે ઇન્ડિયન યુથ કોંગ્રેસ (આઈવાયસી)ના કાર્યાલય માટે પણ એક અન્ય નોટિસ જારી કરી છે. કેટલાક અહેવાલો અનુસાર, કોંગ્રેસ સરકારના આ વલણ સામે કોર્ટમાં અપીલ કરશે. કોંગ્રેસનો આરોપ છે કે 1 અશોક રોડ અથવા પંત માર્ગ સ્થિત ભાજપની ઓફિસ કેમ ખાલી કરાવવામાં આવી નથી. કોંગ્રેસની ઓફિસ 2025માં 24 અકબર રોડથી ઇન્દિરા ભવનમાં શિફ્ટ કોંગ્રેસે 14 જાન્યુઆરી 2025ના રોજ જ અકબર રોડ પરની પોતાની ઓફિસ ઇન્દિરા ભવનમાં શિફ્ટ કરી છે. 46 વર્ષ પછી પાર્ટીએ પોતાનું સરનામું બદલ્યું હતું. ઇન્દિરા ભવનનો શિલાન્યાસ 2009માં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ કર્યો હતો. તેને બનાવવામાં 252 કરોડ રૂપિયા લાગ્યા. બર્મા હાઉસ બન્યું કોંગ્રેસનું લકી ચાર્મ 70ના દાયકામાં કોંગ્રેસની ઓફિસ ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ પર હતી. તેનું સરનામું 3, રાયસીના રોડ હતું. તેની બરાબર સામે 6, રાયસીના રોડ પર અટલ બિહારી વાજપેયી રહેતા હતા. 1978માં કોંગ્રેસમાં ભંગાણ પડ્યા પછી, ઓફિસ પાર્ટીના સાંસદ જી. વેંકટસ્વામીને ફાળવવામાં આવેલા બંગલા 24, અકબર રોડમાં ખસેડવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી આ કોંગ્રેસ મુખ્યાલયનું સરનામું રહ્યું છે. 24, અકબર રોડ એક સમયે ભારતીય વાયુસેનાના ચીફનું ઘર હતું. આ ઉપરાંત, તે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ની પોલિટિકલ સર્વેલન્સ વિંગની ઓફિસ પણ રહી હતી. તેને બર્મા હાઉસ પણ કહેવામાં આવતું હતું. આ બંગલાને આ નામ પંડિત જવાહરલાલ નેહરુએ આપ્યું હતું. ખરેખર, આ જ બંગલામાં મ્યાનમારના ભારતમાં રાજદૂત ડો. ખિન કાઈ રહેતા હતા. તેઓ મ્યાનમારની આયર્ન લેડી કહેવાતી આંગ સાન સૂ કીના માતા હતા અને લગભગ 15 વર્ષ સુધી આંગ સાથે આ બંગલામાં રહ્યા હતા. ઇન્દિરાએ જ્યારે 24, અકબર રોડને કોંગ્રેસ હેડક્વાર્ટર તરીકે પસંદ કર્યું હતું, ત્યારે પાર્ટી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી. પરંતુ આ ઓફિસ કોંગ્રેસ અને ઇન્દિરા બંને માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થઈ. 1980ની મધ્યસત્ર ચૂંટણીમાં કોંગ્રેસ ભારે બહુમતી સાથે સત્તામાં પાછી ફરી. આ ઓફિસ ચાર વડાપ્રધાનો ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પી.વી. નરસિમ્હા રાવ અને મનમોહન સિંહની સાક્ષી રહી. સુપ્રીમ કોર્ટે ઓફિસ બદલવાનો નિર્દેશ આપ્યો હતો સુપ્રીમ કોર્ટે લ્યુટિયન્સ ઝોનમાં ભીડને કારણે તમામ પક્ષોને તેમની ઓફિસ બદલવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી, સૌ પ્રથમ ભાજપે 2018માં દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર પોતાની ઓફિસ બનાવી. કોંગ્રેસે પણ પોતાનું નવું ઠેકાણું ભાજપના પડોશમાં શોધ્યું. નવી ઓફિસ 'ઇન્દિરા ભવન'માં શિફ્ટ થયા પછી પણ કોંગ્રેસે પોતાની જૂની ઓફિસ ખાલી કરી ન હતી. અહીં મોટા નેતાઓનું અવર-જવર ચાલુ છે. કેન્દ્ર સરકારે 2015માં કોંગ્રેસને ફાળવવામાં આવેલા ચાર બંગલાની ફાળવણી રદ કરી હતી. તેમાં 24, અકબર રોડ પણ સામેલ હતો. આ ઉપરાંત 26 અકબર રોડ (કોંગ્રેસ સેવા દળ ઓફિસ), 5-રાયસીના રોડ (યુથ કોંગ્રેસ ઓફિસ) અને C-II/109 ચાણક્યપુરી (સોનિયા ગાંધીના સહયોગી વિન્સેન્ટ જ્યોર્જને ફાળવેલ)ની ફાળવણી પણ રદ કરી દેવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    પાઈપવાળો ગેસ લેવો ફરજિયાત રહેશે:માહિતી મળ્યાના 90 દિવસમાં કનેક્શન લેવું પડશે, તે પછી LPG સિલિન્ડર મળશે નહીં
    Next Article
    મધ્યાહન ભોજનનું મેનુ બદલાઈ ગયું:38.50 લાખ વિદ્યાર્થીઓને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આહાર મળશે; જુઓ નવું સાપ્તાહિક મેનુ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment