Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ. 2.79 કરોડ ઉચાપતના કેસમાં ફરાર 2 આરોપી ઝડપાયા:પંચમહાલ સમગ્ર શિક્ષા કચેરી કૌભાંડમાં પોલીસને 3 દિવસના રિમાન્ડ મળ્યા

    1 week ago

    પંચમહાલના બહુચર્ચિત સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કચેરીમાં થયેલા રૂ. 2.79 કરોડના ઉચાપત કૌભાંડ મામલે ફરાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગોધરા કોર્ટે આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે આરોપી પૂજનકુમાર રમેશચંદ્ર જોષી અને નીતિનકુમારને હિંમતનગરના હડિયોલ અને વામોચ ગામ સ્થિત તેમના નિવાસસ્થાનેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાંથી કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન કૌભાંડ અંગે અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ હેઠળના સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં કરાર આધારિત કર્મચારીઓ પૂજન જોષી અને નીતિન પટેલ ફરજ બજાવતા હતા. તેમણે ખાનગી એજન્સીઓ સાથે મળીને બોગસ ખરીદી બિલોના આધારે કુલ રૂ. 2.79 કરોડની ઉચાપત કરી હતી. આ સમગ્ર મામલે ગત 1 મેના રોજ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદમાં રાજકોટ અને ગોધરાની ત્રણ ખાનગી એજન્સીઓ સહિત કૌભાંડ આચરનાર પૂજન જોષી અને નીતિન પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ફિલિપાઇન્સમાં 7.8 તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી:32નાં મોત; 4.5 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યા, 2 કલાકમાં 138 આંચકા આવ્યા
    Next Article
    સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં 24 કલાકમાં 658 દર્દીઓની OPD:શરદી, તાવ, મેલેરિયાના કેસ વધ્યા, રોગચાળાનો ભય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment