Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં 24 કલાકમાં 658 દર્દીઓની OPD:શરદી, તાવ, મેલેરિયાના કેસ વધ્યા, રોગચાળાનો ભય

    1 week ago

    સુરેન્દ્રનગરમાં શહેરીજનોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં સરકારી મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલમાં 658 દર્દીઓની ઓપીડી નોંધાઈ છે, જે રોગચાળાના વધતા ભયનો સંકેત આપે છે. નોંધાયેલા દર્દીઓમાં શરદી, ઉધરસ, તાવ, મેલેરિયા અને કોલેરાના કેસ સૌથી વધુ છે. આ ઉપરાંત, ચામડીના રોગોમાં પણ વધારો જોવા મળ્યો છે. પ્રથમ વરસાદ બાદ બદલાયેલી ઋતુ અને ફિલ્ટર વગરના પાણીના કારણે શહેરમાં રોગચાળાનો ભય ફેલાયો છે. શહેરીજનો દ્વારા તંત્ર સક્રિય થાય અને ફિલ્ટરયુક્ત પાણી પૂરું પાડીને ફાટી નીકળેલા રોગચાળાને અંકુશમાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં તબીબી સ્ટાફની પણ અછત છે. 14 મેડિકલ ઓફિસરની જગ્યાઓ સામે માત્ર 7 જ ઉપલબ્ધ હોવાથી ડોકટરોને પણ દર્દીઓની તપાસમાં મુશ્કેલી પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રૂ. 2.79 કરોડ ઉચાપતના કેસમાં ફરાર 2 આરોપી ઝડપાયા:પંચમહાલ સમગ્ર શિક્ષા કચેરી કૌભાંડમાં પોલીસને 3 દિવસના રિમાન્ડ મળ્યા
    Next Article
    સુરેન્દ્રનગરમાં 110 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત:વેપારીઓને 7,000 રૂપિયાનો દંડ, મહાનગરપાલિકાની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment