Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચકલીને બચાવવા રોજ ઉજવો 'સ્પેરો-ડે':વડોદરાની સ્ટાર ઇન્ડિયા સ્પેરો સંસ્થા દ્વારા 26 વર્ષથી પક્ષી સંરક્ષણનું સક્રિય અભિયાન

    1 week ago

    'એક હતી ચકી અને એક હતો ચકો...' બાળપણની આ વાર્તા હવે કદાચ વાર્તા જ રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. 20 માર્ચ 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે વડોદરાની વિશ્વામિત્રીના કાંઠે દાણા શોધતા પક્ષીઓની વેદના સમજીને સ્ટાર ઇન્ડિયા સ્પેરો NGO છેલ્લા 26 વર્ષથી અનુકૂળ પર્યાવરણ સર્જવા કાર્યરત છે. શહેરીકરણના કોંક્રિટ જંગલમાં ખોવાઈ ગયેલી ચકલીઓને ફરી આંગણે લાવવા આ સંસ્થાના 350 આર્કિટેક્ટ્સ અને 1500થી વધુ સભ્યો અભિયાન ચલાવી રહ્યા છે. મોટા બિલ્ડિંગો અને સુપર માર્કેટે છીનવ્યો આશરો સ્ટાર ઇન્ડિયા સ્પેરોના ડાયરેક્ટર તનુજ દેસાઇ જણાવે છે કે, પહેલાના સમયમાં દાદી-નાની આંગણામાં ધાન્ય વીણતા ત્યારે ચકલીઓને સહજ રીતે ચણ અને જીવાત મળી રહેતી. જૂના ઘરોની બનાવટ એવી હતી કે પક્ષીઓ આરામથી માળા બનાવી શકતા. પરંતુ આજના સમયમાં કાચની બિલ્ડિંગો, સુપર માર્કેટ કલ્ચર અને ઘટતા વૃક્ષોને કારણે આ નાનકડું પક્ષી બેઘર બની ગયું છે. ચકલી માત્ર પક્ષી નથી, પણ પર્યાવરણની સાંકળનું મહત્વનું અંગ છે. માર્ચથી મે: પ્રજનનનો નાજુક સમય ચકલીઓ માટે માર્ચ, એપ્રિલ અને મે મહિનો પ્રજનનનો સમય હોય છે, જેમાં તેમને સુરક્ષિત માળાની સૌથી વધુ જરૂર પડે છે. આ જરૂરિયાત પૂરી કરવા સંસ્થા દ્વારા ખાસ બર્ડ હાઉસ, બર્ડ ફિડર અને નાના કદના ધાન્યની કિટ પૂરી પાડવામાં આવે છે. તનુજ દેસાઇના મતે, વર્ષમાં માત્ર એક દિવસ સેલ્ફી પડાવવા દાણા નાખવાને બદલે, જો દરરોજ ચણ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો જ ચકલીઓને લુપ્ત થતી બચાવી શકાશે. ચકલી બચાવવા આપણે શું કરી શકીએ? ચકલીઓને ફરી કલબલાટ કરતી કરવા માટે નાગરિકોએ કેટલાક સરળ પગલાં લેવા જરૂરી છે: નિયમિત ચણ-પાણી: ગેલેરી કે બારીમાં દરરોજ જવાર, બાજરી કે તૂટેલા ચોખા અને સ્વચ્છ પાણી મૂકો. નેસ્ટ બોક્સ: સિમેન્ટના ઘરોમાં જગ્યા ન હોવાથી લાકડાના કૃત્રિમ માળા લગાવો. કુદરતી આશરો: આંગણામાં બોરડી, રાયણ કે વિલાયતી આંબલી જેવા કાંટાળા વૃક્ષો ઉછેરો, જ્યાં તેઓ સુરક્ષિત રહી શકે. કેમિકલનો ત્યાગ: બગીચામાં કીટનાશકોનો ઉપયોગ ટાળો, જેથી ચકલીનો મુખ્ય ખોરાક એવી જીવાતો જીવંત રહે.
    Click here to Read More
    Previous Article
    કાર ધડાકાભેર પાર્ક કરેલા વાહનો સાથે અથડાઈ:વડોદરાના ઈલોરાપાર્ક ત્રણ રસ્તા પાસે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો, કાર અને બાઈકને ટક્કર મારી, કારચાલક સહિત બે ઇજાગ્રસ્ત
    Next Article
    ગીર જંગલમાં મચ્છુન્દ્રી નદીએ વનરાણીઓની લટાર:ઉનાના ઝૂડવડલી ગામ પાસે નદીના વહેણ કૂદીને સિંહણ બચ્ચા સાથે પસાર, સિંહપ્રેમીઓએ દૃશ્યો મોબાઈલમાં કંડાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment