Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કાલિકા માતાજી મંદિરે બે દિવસીય સંગીત મહોત્સવ:ચૈત્રી નવરાત્રિએ 26 અને 27 માર્ચે શાસ્ત્રીય ગાયન-વાદન, નૃત્યના કાર્યક્રમો; સ્થાનિક કલાકારો જમાવટ કરશે

    9 hours ago

    પાટણના પ્રાચીન કાલિકા માતાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે 16 વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બે દિવસીય શાસ્ત્રીય સંગીત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 26 અને 27 માર્ચ દરમિયાન યોજાનારા આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક અને જાણીતા કલાકારો ગાયન, વાદન અને નૃત્યની પ્રસ્તુતિ કરશે. પ્રથમ દિવસ: શાસ્ત્રીય પ્રસ્તુતિઓના સાત ચરણ મહોત્સવના પ્રથમ દિવસે 26-03-2026, ગુરુવારે સાંજે 6:30 થી રાત્રે 11:30 કલાક દરમિયાન સાત વિવિધ ચરણોમાં કાર્યક્રમો યોજાશે. પ્રારંભ: નિધિ અને તોરલ દ્વારા દુર્ગાસ્ત્રોત ગાન. નૃત્ય: નંદિતા ભટ્ટ દ્વારા કથ્થક અને બીજા ચરણમાં બીના પટેલ તથા વૃંદ દ્વારા નૃત્ય પ્રસ્તુતિ. ગાયન: ત્રીજા ચરણમાં રાધિકા પરીખ અને પાંચમા ચરણમાં અમી નીરજ પરીખ શાસ્ત્રીય ગાયન રજૂ કરશે. વાદન: ચોથા ચરણમાં પ્રાંશુ પાઠકનું વાયોલિન વાદન તથા છઠ્ઠા ચરણમાં દૃષ્ટિ જૈન, જીનાંશી અને પરીખીની ત્રિપુટી દ્વારા વાયોલિન વાદન પીરસવામાં આવશે. સમાપન: અંતિમ ચરણમાં પંડિત વિકાસ પરીખ શાસ્ત્રીય રચનાઓ રજૂ કરશે. નોંધનીય છે કે, પ્રથમ દિવસે માતાજીની સંધ્યા આરતી સાંજે 5:00 વાગ્યે યોજાશે. બીજો દિવસ: ઉપશાસ્ત્રીય અને સુગમ સંગીતની રમઝટ મહોત્સવના બીજા દિવસે 27-03-2026, શુક્રવારે સાંજે 7:00થી રાત્રે 11:00 વાગ્યા સુધી ઉપશાસ્ત્રીય અને સુગમ ગાયનનો કાર્યક્રમ યોજાશે. જેમાં પાટણના સ્થાનિક કલાકારો એક જ મંચ પર સંગીતની પ્રસ્તુતિ કરશે. પાટણના સ્થાનિક કલાકારો આ કાર્યક્રમમાં કમલેશ સ્વામી, સમ્યક પારેખ, સંદીપ ખત્રી, આત્મારામ નાયી, અતુલ નાયક, આશા રાવલ, દર્શના રામી, ખ્યાતી નાયક ભાવસાર, શીખા નાયક, વિદીશા મોદી, દૃષ્ટિ જનસારી અને જાનકી જોશી પોતાની કલા રજૂ કરશે. આ કલાકારોને તબલા પર જીગર બારોટ અને કી-બોર્ડ પર મયુર યોગી સંગત આપશે. સંગીત પ્રેમી જનતા માટે આ બંને દિવસોના કાર્યક્રમો ખુલ્લા રાખવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકીય ગરમાવા બાદ ઠંડા ગોળાનો સ્વાદ:વિધાનસભામાં UCC બિલ પાસ થતાં જ શંકર ચૌધરી, સંઘવી સહિત ભાજપના ધારાસભ્યોએ બરફ ગોળાની મજા માણી
    Next Article
    Real estate mafia behind ploy to shift Jakkur Flying School from Bengaluru to Mysore: Leader of Opposition R Ashok

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment