Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ વિમાન દુર્ઘટનાના દિવંગત દંપતિને શ્રદ્ધાંજલિ:શ્રી ગૌરી વિદ્યાલયની બેઠકમાં સેવા કાર્યોને બિરદાવ્યા, 26 નિરાધારોને રાશન કીટ અપાઈ

    12 hours ago

    ચંદ્રુમાણા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગૌરી વિદ્યાલયની નવા સત્રની પ્રથમ કારોબારી બેઠક શુક્રવારે યોજાઈ હતી. આ બેઠકમાં એક વર્ષ અગાઉ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા સ્વ. કુબેરભાઈ ખેમચંદદાસ પટેલ અને સ્વ. બબીબેન કુબેરભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કારોબારી મંડળ દ્વારા મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ ભાનુભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં શાળાના વિકાસ અને સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગત વર્ષે 12 જૂન, 2025 ના રોજ ચંદ્રુમાણા ગામના દાતા અને યુકે સ્થિત શિક્ષણવિદ્ શ્રી કુબેરભાઈ ખેમચંદદાસ પટેલ અને તેમના ધર્મપત્ની બબીબેન પટેલનું અમદાવાદની વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. ટ્રસ્ટની કારોબારી બેઠકમાં તેમના સદકાર્યોને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે ગૌરી વિદ્યાલયના પ્રમુખ ભાનુભાઈ વ્યાસ, ઉપપ્રમુખ પ્રમોદભાઈ વ્યાસ, મંત્રી લાલજીભાઈ પટેલ, નિરંજનભાઈ દવે, ભરતભાઈ રાવલ, રામજીભાઈ પટેલ, શાળાના આચાર્ય સતિષભાઈ જાદવ, મહેશભાઈ વ્યાસ, ભરતભાઈ પટેલ અને વસંતભાઈ પ્રજાપતિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દિવંગત દંપતિના સુપુત્રો હરેશભાઈ અને આશિષભાઈ દ્વારા તેમના માનમાં ગામના 26 નિરાધાર લોકોને દર મહિને રેશન કીટ વિતરણનું સેવા કાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સાળંગપુર હનુમાનજીને એમ્બ્રોઇડરી વાઘા, ઓર્કિડ ફૂલોનો શણગાર:અધિક માસ નિમિત્તે સાંજે રાજોપચાર પૂજનનું આયોજન
    Next Article
    પંચમહાલમાં SSC, HSC પૂરક પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન:વિદ્યાર્થીઓએ તૈયારી મુજબ પ્રશ્નો પૂછાયા હોવાનું જણાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment