Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપત્તિના સમયે પણ એકેય અધિકારી ફરક્યા ન હોવાની રાવ‎:રતનપુરમાં 25થી વધુ ઝૂપડામાં પાણી ફરી વળતા પરિવારોની સ્થિતિ દયનિય

    1 day ago

    સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલ માનવ ધર્મ આશ્રમ સામે છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધુ સમયથી ઝૂંપડાં બાંધીને રહેતા શ્રમજીવી પરિવારો માટે વર્તમાન સમય કપરો બનીને આવ્યો છે. દાયકાઓથી પાયાની સુવિધાઓથી વંચિત આ વસાહત આજે તંત્રની ઉદાસીનતાનું જીવંત ઉદાહરણ બની ચૂકી છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે રતનપર વિસ્તારની આ સમગ્ર ઝૂંપડપટ્ટી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. અંદાજે 25થી વધુ ઝૂંપડાઓમાં વરસાદી પાણી ફરી વળતા ગરીબ શ્રમજીવીઓના ઘરવખરી, અનાજ અને જીવનજરૂરી સામાન પલળીને બરબાદ થઈ ગયા છે. ઘરોની અંદર ગોઠણસમા પાણી ભરાઈ રહેતા આ પરિવારો માટે હવે ખાવા-પીવા તેમજ રાત વિતાવવાની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. નાના બાળકો અને વૃદ્ધો સાથે આ સ્થિતિમાં રહેવું તેમના માટે મુશ્કેલ બની ગયું છે. સૌથી વધુ ચોંકાવનારી અને દુઃખદ બાબત એ છે કે આટલી વિકટ પરિસ્થિતિ છતાં પણ સ્થાનિક વહીવટી તંત્ર કે પાલિકાના એક પણ જવાબદાર અધિકારી આ વિસ્તારની મુલાકાતે આવ્યા નથી. ન તો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે, ન તો તેમના સુધી ભોજન કે પીવાના પાણીની રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે. 20-20 વર્ષથી અહીં રહેવા છતાં પણ જ્યારે પણ કુદરતી આફત આવે છે. ત્યારે તંત્ર આ પરિવારોને પોતાના નસીબ પર છોડી દે છે. હાલ આ શ્રમજીવીઓ કોઈ આવીને તેમની મદદ કરે તેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદ બાદ આજે કેબિનેટ બેઠક:નુકસાનીના સર્વે અને સહાયના નિર્ણય પર રહેશે ખાસ ફોકસ
    Next Article
    Cheap AI visuals undermine Vijay’s Rs 500 crore farewell film Jana Nayagan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment