Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેરગામ હિંસા કેસ: કોંગ્રેસ નેતાઓ સામે દલીલો પૂર્ણ:નવસારી કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, 25 મે 2026ના રોજ નિર્ણય

    8 hours ago

    નવસારીના ખેરગામમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા થયેલી હિંસાના મામલે આજે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી યોજાઈ હતી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય કોંગ્રેસી નેતાઓ સામે નોંધાયેલા બે ગુનાઓમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી હતી. કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે, જે આગામી 25 મે, 2026ના રોજ જાહેર કરવામાં આવશે. આ ઘટના 2022માં વિધાનસભા ચૂંટણી પૂર્વે બની હતી, જ્યારે ખેરગામ ખાતે ભાજપના આગેવાન ભીખુ આહીરના સમર્થકો દ્વારા અનંત પટેલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ વાતાવરણ તંગ બન્યું હતું અને મોટી સંખ્યામાં ધારાસભ્યના સમર્થકો તેમજ કોંગ્રેસના આગેવાનો ખેરગામમાં એકઠા થયા હતા. આક્રોશિત ટોળાએ ભીખુ આહીરની દુકાનમાં તોડફોડ કરી, લૂંટ ચલાવી અને આગચંપી કરી હોવાના આક્ષેપો થયા હતા. હિંસા દરમિયાન આગ ઓલવવા જઈ રહેલા ખૂંધ ગ્રામ પંચાયતના ફાયર ફાઈટરને પણ રોકી તેમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેના ચાલકને માર મારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કરી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાવી હતી. આ હિંસક ઘટનામાં નવસારી પોલીસે ધારાસભ્ય અનંત પટેલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ અને ખેરગામના સરપંચ ઝરણા પટેલ સહિતના આગેવાનો સામે હત્યાનો પ્રયાસ, લૂંટ અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ત્રણ ગુના નોંધ્યા હતા. પોલીસે આ કેસમાં તપાસ બાદ 2,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટમાં બચાવ પક્ષે વકીલ પરેશ વાટવેચાએ ધારાસભ્ય અનંત પટેલ સહિતના તમામ આરોપીઓને આ કેસમાંથી બિનતોહમત છોડી મૂકવાની અરજી કરી હતી. બીજી તરફ, સરકારી પક્ષે સ્પેશિયલ પીપી નયન સુખડવાળાએ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ સામે પૂરતા પુરાવા છે, તેથી કેસ ચલાવવો અનિવાર્ય છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નવસારી સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. હવે આગામી 25 મે, 2026ના રોજ સ્પષ્ટ થશે કે આ કેસમાં ધારાસભ્ય અને અન્ય નેતાઓ સામે ટ્રાયલ ચાલશે કે તેમને રાહત મળશે.
    Click here to Read More
    Previous Article
    પુણ્યતિથિ: બીમારીમાં પણ કામ કરતા રહ્યા રિશી કપૂર:દીકરી રિદ્ધિમાએ કહ્યું- પ્રોડ્યુસર્સને નુકસાન ન થાય, એટલે છેલ્લી ઘડી સુધી શૂટિંગ ચાલુ રાખ્યું
    Next Article
    'જો લારી નહીં આપો તો કાલથી દારૂ વેચવાનું શરૂ કરીશ':રડતા રડતા આજીજી કરતી મહિલાને મ્યુનિ.કમિશનરને મળતા અટકાવાઈ, જપ્ત થયેલી ફ્રુટની લારી પરત લેવા આવી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment