Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોમનવેલ્થના યજમાન અમદાવાદના અંડરબ્રિજમાં ડૂબીને મર્યા તો જવાબદારી તમારી:ચોમાસામાં 25 અંડરબ્રિજ જોખમી; મ્યુ. કમિશનર ચેતવણી આપી જવાબદારીમાંથી છટક્યાં

    1 week ago

    એક તરફ અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા વૈશ્વિક આયોજનોના યજમાન બનવા માટે દાવેદારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની લાચારી સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા શહેરીજનો માટે એક આઘાતજનક જાહેરાત કરવામાં આવી છે કે, આગામી ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા તમામ 25 અંડરબ્રિજમાં પાણી ભરાશે અને જો કોઈ નાગરિક ત્યાંથી પસાર થતાં અકસ્માતનો ભોગ બનશે કે ડૂબશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મનપાની નહીં પરંતુ નાગરિકની પોતાની રહેશે. મ્યુનિસિપલ કમિશનરે આ સત્તાવાર જાહેરાત કરીને કાયદાકીય અને નૈતિક જવાબદારીમાંથી સીધી રીતે હાથ ઊંચા કરી લીધા છે. 1 ઇંચથી વધુ વરસાદમાં જ સ્માર્ટ સિટી પાણીમાં ગરકાવ થશે ચોમાસાની સિઝન દરમિયાન અમદાવાદના તમામ 25 જેટલા અંડરબ્રિજોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જાય છે. મનપા તંત્ર દ્વારા વાહનચાલકોને અગાઉથી જ કડક ચેતવણી આપી દેવાઈ છે કે પાણી ભરાયેલા અંડરપાસમાંથી પસાર થવું અત્યંત જોખમી છે. જો કોઈ વાહનચાલક જોખમ ખેડીને અંદર જશે, તો તેની કોઈ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે નહીં. તંત્રની આ નીતિ સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વેરો વસૂલતું તંત્ર સુવિધા આપવાના બદલે મોતના કૂવા સમાન બનેલા અંડરબ્રિજની જવાબદારી નાગરિકો પર ઢોળી રહ્યું છે. પાણી નિકાલમાં કલાકો લાગશે, લાંબા વૈકલ્પિક રૂટોને કારણે ટ્રાફિકજામની આફત સામાન્ય રીતે અંડરબ્રિજમાં પાણી ભરાયા બાદ તંત્ર તેને તાત્કાલિક બંધ કરવામાં અને પાણીના નિકાલ માટે પંપ ગોઠવવામાં આવે છે. ઘણી વખત વાહનો ફસાઈ ગયા બાદ જ બ્રિજ બંધ કરવામાં આવે છે. વધુમાં, અંડરબ્રિજોમાં ભરાયેલા પાણીનો નિકાલ થતાં 2 કલાકથી વધુનો સમય લાગી જાય છે. આ સ્થિતિમાં વાહનચાલકોએ ઓવરબ્રિજ જેવા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. પરંતુ આ વૈકલ્પિક રૂટો ખૂબ જ લાંબા હોવાના કારણે અને વરસાદી માહોલમાં હજારો વાહનો એકસાથે ત્યાં ડાયવર્ટ થતાં આખા શહેરમાં ટ્રાફિકજામની ભયાવહ સ્થિતિ સર્જાશે. આ 25 અંડરબ્રિજ મોતના કૂવા સાબિત થઈ શકે
    Click here to Read More
    Previous Article
    Music you absolutely can’t miss out on from Prince
    Next Article
    ચા પીવા ગયેલા 2 મિત્રોના મર્ડર, CCTV:પીઠ અને પેટના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંક્યા; સુરતમાં ટી-સ્ટોલ પર નજીવી બાબતે બબાલ થતાં 10-15 લોકો તૂટી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment