Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇ સીટી બસ સેવાનું વિસ્તરણ:જામનગર શહેરમાં આજુબાજુના ગામોને આવરી લેતી સીટી બસો ટુંક સમયમાં દોડશે, નવી 25 ઇ બસ

    4 days ago

    જામનગર શહેરના વિસ્તાર સાથે વ્યાપ વધતા શહેરીજનોની સુવિધા માટે દોઢેક માસથી 25 ઇ બસ સેવા કાર્યરત હતી.જેમાં મહાપાલિકાને કેન્દ્ર દ્વારા પીએમ ઇ-બસ યોજના મુજબ વધુ 25 બસ મળી જતા 50 એસી બસો સાથે સીટી બસ સેવાનુ શહેર આજુબાજુના ગ્રામ્ય પંથક સુધી વિસ્તરણ કરવામાં આવશે. જામનગરમાં ચાલતી ઇ બસ સેવાના વ્યાપ-વિસ્તાર વધારવા માટે મહાપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરાઇ છે.જેમાં 110 બસ સ્ટોપ પર પાટિયાં લગાવાયા છે, અન્ય બસ સ્ટોપ પર પાટીયા લગાવાઈ રહ્યા છે.શહેરમાં ગત 16 જુનથી જુદી જુદી 25 ઇ બસો પાંચ રૂટ પર દોડી રહી છે. જેમાં વધુ 25 બસ મળતાં શહેરમાં નવા સાત રૂટ ઉમેરવાની તૈયારી હાથ ધરાઈ છે.જે નવા સુચિત રૂટ દ્વારા શહેરની ભાગોળે આવેલા વિસ્તારો સાથે આજુબાજુના ધુંવાવ, અલીયાબાડા, નાઘેડી, લાખાબાવળ, દરેડ, મસીતીયા, કનસુમરા અને દડીયા જેવા ગામોને સીધી બસ સેવા સાથે જોડવામાં આવશે. હાલ શહેરમાં પાંચ મુખ્ય રૂટ પર દર 30 મિનિટે ઈ-સીટી બસ ઉપલબ્ધ રહે તે રીતે સેવા કાર્યરત રહી છે. નવા રૂટ શરૂ થતાં જીઆઈડીસી વિસ્તાર, નવા વિકસતા રહેણાંક વિસ્તારો તેમજ શહેરને અડીને આવેલા ગામોના હજારો લોકોને સસ્તી, સુરક્ષિત અને એરકન્ડીશન્ડ જાહેર પરિવહનની વધુ સારી સુવિધા મળશે. નવા રૂટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો તેમજ આસપાસના ગામોને બસ સેવા સાથે જોડવામાં આવ્યા છે. જાહેર કરાયેલા રૂટ મુજબ બસ સેવા સવારે 6-30 વાગ્યાથી રાત્રે 8-30 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. બસ રૂટની તમામ માહિતી એપ પર ઉપલબ્ધ સિટી બસની તમામ રૂટની માહિતી હવે મુસાફરોને મોબાઇલ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે. જે એપ્લિકેશન દ્વારા ઓનલાઈન બસ પાસની અરજી અને રિન્યૂઅલ, ઓનલાઈન ટિકિટ તથા પાસ બુકિંગ, નજીકના બસ સ્ટોપની માહિતી, લાઈવ સિટી બસ ટ્રેકિંગ, બસના આગમનના અંદાજિત સમયની જાણકારી તેમજ અન્ય અનેક મુસાફરલક્ષી સુવિધાઓનો લાભ સરળતાથી મેળવી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    સિટી સર્વે કચેરીમાં સ્ટાફની અછત:24ની મંજૂર જગ્યા સામે માત્ર 11 કર્મીઓ ફરજ પર, લોકો પરેશાન
    Next Article
    અરજદારોના કામ સમયસર થતા નથીની છબી દૂર કરવા પગલું:18 નાયબ મામલતદાર, 50 રેવન્યુ તલાટી સહિત 72 કર્મીની બદલીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment