Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવાસોના ગેરકાયદે કબજા અંગે સભા ગાજશે:રાજકોટ મનપામાં 25 જૂનનાં પ્રથમ જનરલબોર્ડ મળશે, ભાજપનાં 15 કોર્પોરેટરનાં 33 પ્રશ્નો, કોંગ્રેસનો કોઈ પ્રશ્ન નહીં !, સેક્રેટરીપદે રૂપારેલિયાની નિયુક્તિનો ઠરાવ થશે

    5 days ago

    રાજકોટ મહાનગરપાલિકામાં નવા ચૂંટાયેલા શાસકોએ 28 જૂને કાર્યભાર સંભાળ્યા બાદ મહિનાની અંદર પ્રથમ જનરલ બોર્ડની બેઠક આગામી 25 જૂને યોજાનાર છે. બેઠકમાં મહાપાલિકાના સેક્રેટરીપદે ડૉ. રૂપારેલિયાની નિયુકિત માટે ઠરાવ કરવામાં આવશે. જનરલ બોર્ડની આ બેઠકમાં ભાજપના જ 15 નગરસેવકો 33 પ્રશ્નો સાથે બોર્ડ ગજવશે. જ્યારે કોંગ્રેસના સાતમાંથી એક પણ નગરસેવકને પ્રજાલક્ષી પ્રશ્ન પુછવાનું સુઝ્યું નથી. મહાનગરપાલિકાની ચૂંટણી બાદ આગામી તા. 25 જૂને મળનારી પ્રથમ જનરલ બોર્ડની બેઠકમાં વોર્ડ નં.14ના કોર્પોરેટર કેતનભાઈ પટેલનો પ્રશ્ન પ્રથમ ક્રમે છે. તેઓએ આવાસ યોજના સંબંધી પ્રશ્ન કર્યો છે. જેમાં આવાસ યોજના વિભાગની છેલ્લા 1 વર્ષની કામગીરીનો હિસાબ તેઓએ માંગ્યો છે. એક વર્ષમાં જેટલાં આસામીઓએ હપ્તા ભરપાઈ કર્યા નથી તેના પર શું કાર્યવાહી કરવામા આવી ? ખાલી આવાસોમાં ગેરકાયદે કબજો જમાવી રહેલા આસામીઓ પર શું કાર્યવાહી કરવામાં આવી અને ટાઉન પ્લાનિંગ શાખાની કુલ સ્ટાફની વિગતો કામગીરી સાથે આપવા તેમજ ફિલ્ડ સ્ટાફમાં કેટલા અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે તે પૈકી છેલ્લા એક વર્ષમાં શુ કામગીરી કરવામાં આવી તેની વિગતો તેઓએ માંગી છે. જ્યારે વોર્ડ નં.10ના મહિલા કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળાએ શહેરમાં જ્યાં જ્યાં ડીઆઈ પાઇપલાઇન નખાઇ ગઇ હોય અને કનેકશન અપાઈ ગયા હોય તેવા વિસ્તારોમાં ચોમાસા પહેલા પેચવર્ક કરવા અને પાઇપ લાઈનની કામગીરી થઇ ગઇ હોય તેવા કેટલાં વિસ્તારોમાં પેચવર્ક કરવામાં અવ્યું છે તેમજ જ્યાં પેચવર્ક થયું નથી તે ક્યાં કારણોસર થયું નથી નથી તે બાબતનો પ્રશ્ન કર્યો છે. જનરલ બોર્ડની બેઠકમાં ભાજપના 15 કોર્પોરેટરોએ 33 પ્રશ્નો કર્યા છે તેમાં કેતનભાઈ પટેલના બે, સંજયભાઈ ચાવડાના ત્રણ, જ્યોત્સનાબેન ટીલાળાના ત્રણ, ડો. રિંકલભાઈ મેઘાણીના બે, કિર્તિબા રાણાના બે, મહેશભાઈ પીપળીયાના એક મોહિતસિહ જાડેજાના બે, સોનલબેન સેલારાના એક પંકજભાઈ લુણાગરીયાના બે, ધૈર્ય પારેખના એક, શૈલેશભાઈ વસાણીના બે, રાજુભાઈ અઘેરાના ત્રણ, દર્શનભાઈ પેગ્યાતરના ત્રણ, જાનકીબેન કાટોડિયાના ત્રણ અને રક્ષિત કલોલાનાં કુલ ત્રણ પ્રશ્નોનો સમાવેશ થાય છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર હાઈવે લૂંટનો ભેદ ઉકેલાયો, એક ઝડપાયો:રાજસ્થાન પોલીસ બની લૂંટ કરનાર પાસેથી ₹11.33 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    Monsoon Rain Forecast LIVE | 10 દિવસથી 250 કિમી દૂર સ્થિર થયું ચોમાસું | Al Nino Impact | Weather

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment