Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાના આસી. ઇજનેર સાથે રૂ.2.49 કરોડની છેતરપિંડી:દંપતીએ જમીનના સોદા અને દલાલીમાં મોટો નફો અપાવવાની લાલચ આપી નાણા પડાવ્યા

    12 hours ago

    રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા અને રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ ઝાલાએ એક દંપતી સામે રૂ. 2.49 કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી આશિષ બાવાલાલ દેથરીયા અને તેની પત્ની દીપાબેને જમીનના સોદા અને દલાલીમાં મોટો નફો અપાવવાની લાલચ આપી વિશ્વાસ કેળવી ફરિયાદી અને તેમના પરિવાર પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદ અનુસાર, કરણરાજસિંહની પત્ની કૃપાબા આત્મીય સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યાં તેમની ઓળખ દીપાબેન સાથે થઈ હતી, જે બાદ બંને પરિવારો વચ્ચે ઘરોબો વધ્યો હતો. શરૂઆતમાં આરોપીઓએ રૂ. 20 હજાર ઉછીના લઈને સમયસર પરત આપતા ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિવિધ બહાનાંસર મોટી રકમોની માંગણી શરૂ કરી હતી. આરોપીઓએ અવધ વિસ્તારમાં આવેલી આશરે રૂ. 110 કરોડ કિંમતની જમીનનો સોદો થવાનો હોવાનું જણાવી તેમાં રોકાણ કરવા સમજાવ્યા હતા. જમીન વેચાણ બાદ મળનારી દલાલીની રકમમાં ભાગ આપવાની લાલચ પણ આપી હતી. વિશ્વાસ વધારવા માટે જમીન બતાવવી, વિવિધ વ્યક્તિઓ સાથે ફોન પર વાત કરાવવી તેમજ બેંકની ખોટી સ્લિપ મોકલવા જેવા હથકંડા અપનાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદીનો આક્ષેપ છે કે આરોપીઓના કહેવાથી તેમણે પોતાની બચત ઉપરાંત સંબંધીઓ અને મિત્રોથી ઉછીના રૂપિયા લીધા, બેંક લોન લીધી, ક્રેડિટ કાર્ડમાંથી રકમ ઉપાડી તેમજ સોનાના દાગીના ગીરવે મૂકી અને વેચીને કુલ રૂ. 2,49,70,101 વિવિધ ખાતાઓ અને વ્યક્તિઓને ટ્રાન્સફર કર્યા હતા. પછી તપાસ કરતાં ફરિયાદીને જાણવા મળ્યું કે જમીનના માલિક, ખરીદદાર અને અન્ય મધ્યસ્થી તરીકે ઓળખાવવામાં આવેલા કેટલાક નામો અને ઓળખ ખોટી હતી. મોબાઇલ નંબરો પણ આરોપીઓ અથવા તેમના ઓળખીતાઓના નામે નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ ખોટી ઓળખ ધારણ કરીને જમીન માલિક, ખરીદદાર અને દલાલ તરીકે વાતચીત કરી સમગ્ર કાવતરું રચ્યું હોવાનો આરોપ છે. આ મામલે કરણરાજસિંહ ઝાલાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે આશિષ દેથરીયા, દીપાબેન દેથરીયા તથા તપાસ દરમિયાન સંડોવણી ખુલશે તેવા અન્ય શખ્સો સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    FIFA World Cup 2026 Opening Ceremony Live: Event to start soon, Andrea Bocelli to perform
    Next Article
    ગાંધીનગરમાં ફરી કોરોનાની એન્ટ્રીથી ફફડાટ:ચારધામની યાત્રાથી પરત ફરેલ 51 વર્ષીય મહિલા પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ, આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment