Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં સ્વામિનારાયણ ભગવાનનો 245મો પ્રાગટ્ય મહોત્સવ:‘હરિપર્વ’ પંચદિવસીય પારાયણનું આયોજન

    5 days ago

    આણંદના અક્ષર ફાર્મ ખાતે ભગવાન સ્વામિનારાયણના 245મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પાંચ દિવસીય ‘હરિપર્વ’ પારાયણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દ્વારા હરિભક્તોને ભગવાનના ચરણોમાં ભક્તિ અર્પણ કરવાનો વિશેષ લાભ મળશે. કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીના માર્ગદર્શન હેઠળ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, આણંદના યુવકો દ્વારા અક્ષર ફાર્મ ખાતે મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહોત્સવના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય અને દીપમાળા દ્વારા ભક્તિ અર્પણ કરાશે. બીજા દિવસે ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવી દિવ્ય દર્શનનો લાભ અપાશે. ત્રીજા દિવસે અખંડ ધૂન અને કીર્તન ભક્તિ દ્વારા વાતાવરણ ભક્તિમય બનશે. ચોથા દિવસે પ્રભુના વૈભવી દર્શન સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું છે, અને પાંચમા દિવસે આ દિવ્ય પારાયણની પૂર્ણાહુતિ થશે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીના સ્વમધુર કંઠે પીરસવામાં આવતી કથા રહેશે. તેઓ “Ancient Scriptures, Modern Inspiration” વિષય હેઠળ ભારતીય વેદો અને શાસ્ત્રોના તત્ત્વોને આધુનિક જીવન સાથે જોડતી પ્રેરણાદાયક વાતો સંગીત અને કીર્તનના સથવારે રજૂ કરશે. આ ઉપરાંત, ભગવાનના જીવન પર આધારિત એક વિશેષ પ્રદર્શન પણ યોજાશે, જેમાં ભાવિકોને નિહાળવા ઉપરાંત સહભાગી થવાનો પણ અવસર મળશે. આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા માટે સમગ્ર સત્સંગ સમાજને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના સેવારત્નોનું રાજકોટમાં ભવ્ય સન્માન સંધ્યા:ભારત વિશ્વગુરુ બનશે જ તે બ્રહ્માકુમારીઝનું વિઝન: રાજયોગી મૃત્યુંજયભાઈજી
    Next Article
    નવસારી મનપાનું ₹1286 કરોડનું બજેટ રજૂ:કોઈ ટેક્સ વધારો નહીં, ઈ-વ્હીકલ-સોલર પર ભાર, ઝીરો વેસ્ટ લક્ષ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment