Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હજુ 24 કલાક ગુજરાત માથે માવઠાની ઘાત:આજે સાબરકાંઠા-ગીર સોમનાથ સહિત 7 જિલ્લામાં વરસાદની સંભાવના; કાલથી ગરમી વધશે

    22 hours ago

    રાજ્યના હવામાન વિભાગ દ્વારા છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી હતી, જેના પગલે ગતરોજ (19 માર્ચ) રાત્રે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકામાં 1 મિમીથી લઈને 41 મિમી સુધી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના બગસરામાં દોઢ ઈંચથી વધુ નોંધાયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ઝરમરથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. વરસાદની સાથે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. માર્ચ મહિનામાં જ કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. ઘણી જગ્યાએ ઝાડ પડી ગયા હતા તો ક્યાંક હોડિંગ પણ પડી ગયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયકલોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે. હજુ 24 કલાક રાજ્ય માથે વરસાદની ઘાત રહેલી છે. આજે સાત જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 7 જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી 24 કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દિવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક બાદ ધીમે-ધીમે 3થી 5 ડિગ્રી તાપમાન વધી જશે અને ફરી ગરમી પડશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પાક અને વીજ પુરવઠાને મોટા પ્રમાણમાં નુકશાન થયું ગત બે દિવસમાં વરસાદ અને તીવ્ર પવનને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, વૃક્ષો તૂટ્યા હતા અને રસ્તાઓ પર પાણી ભરાવાના અહેવાલો પણ મળ્યા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઊભા પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે નાગરિકોને આગામી દિવસોમાં પણ સાવચેત રહેવા અને હળવા વરસાદ તેમજ તીવ્ર પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને સતર્કતા રાખવાની સલાહ આપી છે. (19 માર્ચના કમોસમી વરસાદની પળેપળની અપડેટ)
    Click here to Read More
    Previous Article
    નાગપુરમાં ભાગવત બોલ્યા- યુદ્ધ સ્વાર્થી હિતોનું પરિણામ:દુનિયાને સદ્ભાવની જરૂર, સંઘર્ષની નહીં; માત્ર ભારત માનવતાના નિયમ પર કાયમ
    Next Article
    Manish Malhotra’s mother funeral: Karan Johar, Urmila Matondkar and other celebs attend final rites

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment