Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહોના શંકાસ્પદ મોત બાદ ગિરનાર વન વિભાગ હાઈ એલર્ટ પર:ગિરનાર અભયારણ્યમાં 24 કલાક સઘન મોનિટરિંગ, સિંહો માટે ડી-વોર્મિંગ અને ડી-ટીકિંગની કામગીરી શરૂ

    13 hours ago

    ​ગીર વિસ્તારમાં સિંહોના શંકાસ્પદ મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ સમગ્ર વન વિભાગ હાઇ એલર્ટ મોડ પર આવી ગયું છે. ગુજરાતનું ગૌરવ એવા સિંહો પર હવે ખતરો મંડળાઇ રહ્યો છે ત્યારે તેનો સામનો કરવા માટે વન તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. ગીરની સાથે હવે ગિરનાર અભયારણ્યમાં વસતા સિંહો અને સિંહબાળની સુરક્ષા તેમજ સ્વાસ્થ્યને લઈને પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. વન વિભાગના સ્ટાફ દ્વારા 24 કલાક ખડેપગે રહીને દુર્ગમ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને દૂરબીનની મદદથી સિંહો પર નજર રાખવામાં આવી રહી છે. સ્ટાફ પાસેથી રોજિંદા અહેવાલ મેળવીને સિંહોની હિલચાલથી લઈને તેમના સ્વાસ્થ્ય સુધીની તમામ બાબતો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા મેદાનમાં કાર્યરત સ્ટાફને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે, કોઈપણ સિંહમાં અસ્વસ્થતા, નબળાઈ કે અસામાન્ય વર્તન દેખાય તો તાત્કાલિક પશુચિકિત્સકોને જાણ કરી રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવે. ​છેલ્લા અઠવાડિયાના મોનિટરીંગમાં કોઈપણ સિંહબાળમાં બીમારીના લક્ષણો દેખાયા નથી આ ગંભીર પરિસ્થિતિ અંગે જુનાગઢના DCF અક્ષય જોશીએ જણાવ્યું હતું કે, ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાં સિંહ અને સિંહ બાળનું સતત અને સઘન એટલે કે ઇન્ટેન્સિવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયા અંતર્ગત તમામ સિંહો અને સિંહ બાળની શારીરિક તંદુરસ્તીની કાળજીપૂર્વક ચકાસણી કરવામાં આવે છે. વન વિભાગના તમામ RFO એટલે કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસેથી આ અંગેનો દૈનિક ખાતરી અહેવાલ મેળવવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા આ સઘન મોનિટરિંગમાં હજી સુધી કોઈ પણ સિંહ કે સિંહ બાળમાં કોઈ પણ પ્રકારની નબળાઈ કે બીમારીના લક્ષણો જોવા મળ્યા નથી, જે એક રાહતના સમાચાર છે. ​વન વિભાગના તમામ સ્ટાફને SOP આપી દેવામાં આવી છે તેમણે ડી-વોર્મિંગ અને ડી-ટીકિંગની નિવારક કામગીરી વિશે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસથી આ ડિવિઝનમાં સિંહો માટે ખાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે વન વિભાગના તમામ સ્ટાફને જરૂરી માર્ગદર્શિકા એટલે કે SOP આપી દેવામાં આવી છે કે, જેથી તેઓ નિયમોનું ચુસ્ત પાલન કરી શકે. જો કોઈ સિંહમાં કોઈ પણ પ્રકારના અસામાન્ય લક્ષણો જણાય તો ત્વરિત રેસ્ક્યુ કામગીરી કરી તેને જરૂરી સારવાર કઈ રીતે આપવી તે અંગે સ્ટાફ સંપૂર્ણપણે સજ્જ છે. જ્યારે પણ સ્ટાફ દ્વારા સિંહ કે સિંહ બાળનું અવલોકન કરવામાં આવે છે ત્યારે કોઈ સમસ્યા જણાય તો તરત જ વેટરનરી ડોક્ટરને જાણ કરવામાં આવે છે. કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સતત કાળજી રાખી રહ્યું છે ડી-વોર્મિંગ પ્રક્રિયા અંતર્ગત સિંહોને એવી દવાઓ આપવામાં આવે છે જેનાથી તેમના પેટમાં રહેલા કીડા કે કૃમિ બહાર નીકળી જાય છે. જ્યારે બીજી તરફ ડી-ટીકિંગ પ્રક્રિયા દ્વારા સિંહોની ચામડી પર ચોંટેલી ઇતડીઓને દૂર કરવામાં આવે છે, જેથી વન્યપ્રાણીઓ એનિમિક એટલે કે લોહીની ઉણપવાળા ન બને અને તેમને કોઈ પણ પ્રકારની શારીરિક નબળાઈનો સામનો ન કરવો પડે.હાલની સ્થિતિએ ગિરનાર વન્યપ્રાણી અભયારણ્યમાં તમામ સિંહો સંપૂર્ણપણે સુરક્ષિત છે. વન વિસ્તારના કોઈપણ સિંહમાં કોઈ બીમારી કે નબળાઈના લક્ષણો મળ્યા નથી અને તમામ સાવજો અત્યારે સંપૂર્ણ તંદુરસ્ત છે તેમછતાં વન વિભાગ કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સતત કાળજી રાખી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    IPL ફાઇનલ પહેલા છવાયો "ક્રિકેટ ફીવર":ટિકિટની બ્લેક માર્કેટિંગ છતાં ફિઝિકલ કોપી લેવા પડાપડી, કૃણાલ પંડ્યા પહોચ્યો માં વરદાયિનીને શરણે, દુષ્કર્મ પીડિતાને 5 મહિનામાં ન્યાય
    Next Article
    નર્મદામાં વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી:જનજાગૃતિ રેલી દ્વારા તમાકુ મુક્તિનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment