Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક જંકશનો પર તડકામાંથી રાહત માટે નેટ લગાવાઈ:ટુ વ્હીલર ચાલકોને ગરમીનો સામનો ઓછો કરવો પડશે, અમદાવાદના 24 ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લાગશે

    6 days ago

    ઉનાળામાં ગરમીના ધોમ ધખતાં તાપમાં બપોરે વાહનચાલકો અને ટ્રાફિક સિગ્નલ પર બે મિનિટ સુધી રહેવું પડે છે, ત્યારે ગરમીનો સામનો કરવો પડે છે ત્યારે વાહનચાલકોને ગરમીની આડઅસર ન થાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના સૌથી વધારે ટ્રાફિક અને બપોરના સમયે ચાલુ રાખવા પડે એવા ટ્રાફિક સિગ્નલો ઉપર ટુ વ્હીલર ચાલકો માટે નેટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રેડાઈ અને અન્ય સંસ્થાના સહયોગથી આ નેટ લગાવવામાં આવી છે. લાલદરવાજા વિક્ટોરિયા ગાર્ડન ચાર રસ્તા પાસે પ્રાથમિક ધોરણે અત્યારે નેટ લગાવવામાં આવી છે. 24 ટ્રાફિક સિગ્નલો પરના મુખ્ય ચાર રસ્તાઓ ઉપર નેટ લગાવવાથી વાહન ચાલકોને બપોરના સમયે ઓછી ગરમી લાગશે. 10થી 12 જેટલા ટ્રાફિક જંકશનનો ઉપર હજી નેટ લગાવાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારી ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે ટુ વ્હીલર ચાલકોને ગરમીના સમયમાં ચાર રસ્તા ઉપર વધારે સમય ઊભું રહેવું પડે છે જેને લઈને ગરમીની આડઅસર થવાની શક્યતાઓ છે. સૌથી વધારે ટ્રાફિક જે ચાર રસ્તા ઉપર આવેલા છે તેમને આઇડેન્ટીફાય કરીને આવા ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી રહી છે. ક્રેડાઈ અને અન્ય સંસ્થાઓના સહયોગથી લગાવવામાં આવી રહી છે. 10થી 12 જેટલા ટ્રાફિક જંકશનનો ઉપર હજી નેટ લગાવવામાં આવશે. ચાર રસ્તાઓ પર જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહે ત્યાં લગાવાશે શહેરના શિવરંજની ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તા, અંજલી ચાર રસ્તા, પાલડી ચાર રસ્તા જેવા અલગ અલગ મુખ્ય ચાર રસ્તાઓ પર જ્યાં સૌથી વધારે ટ્રાફિક રહે છે અને બપોરના સમયે ટ્રાફિક જંકશનનો ચાલુ હોય છે ત્યાં લગાવવામાં આવશે. 78 જેટલા ટ્રાફિક સિગ્નલો પર ઓછો ટ્રાફિક શહેરમાં 291 જેટલા ટ્રાફિક સિગ્નલો આવેલા છે જેમાંથી 78 જેટલા ટ્રાફિક સિગ્નલો જ્યાં ઓછો ટ્રાફિક હોવાના પગલે તેને બપોરે 12થી 4 વાગ્યા સુધી બ્લીન્કીંગ મોડ ઉપર રાખવામાં આવ્યા છે. જેથી ત્યાં વાહન ચાલકોને ગરમીનો સામનો નહીં કરવો પડે, પરંતુ જે ટ્રાફિક જંકશન ચાલુ છે ત્યાં ગરમી વાહન ચાલકોને ઓછી લાગે ત્યાં નેટ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 24 ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન નેટ લાગશે જે ટ્રાફિક સિગ્નલો પર વધુ ટ્રાફિક થાય તેને ચાલુ રાખવા જરૂરી હોવાથી આવા ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ લગાવવા માટે CREDAI અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા 24 જેટલા ટ્રાફિક સિગ્નલો પર અત્યારે ગ્રીન નેટ લાગશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં ભાનુશાલી સમાજ દ્વારા ત્રિવેણી મહોત્સવ:CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ઓધવ ભવન’નું લોકાર્પણ
    Next Article
    વેરા વસુલાતનો લક્ષ્યાંક અધ્ધરતાલ !:રાજકોટ મનપાએ 455 કરોડ સામે રૂ. 410 કરોડ વસુલ્યા, સરકારી કચેરીઓના બાકી વેરાઓ વસુલાય તો જ ટાર્ગેટ પૂરો થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment