Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    24 કલાકમાં ટ્રેન અડફેટે બેના મોત:ઉધના સ્ટેશને કોલેજિયન વિદ્યાર્થી દુર્ઘટનો ભોગ બન્યો, ફોનમાં વ્યસ્ત યુવકનું શતાબ્દી એક્સપ્રેસની ટક્કરથી મોત

    15 hours ago

    સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા 24 કલાકના સમયગાળામાં ટ્રેનની અડફેટે આવી જવાના બે અલગ-અલગ કરુણ બનાવો બન્યા હતા. જેમાં પિતાને મળવા જતા એક વિદ્યાર્થી અને બીજા બનાવમાં બે બાળકીના પિતા એવા નોકરીયાત યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ બંને ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોક છે. 3 જુલાઈ વિદ્યાર્થી પિતાને મળવા ગયો હતો મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના સિંઘખેડા તાલુકાના વતની અને હાલ ઓલપાડ તાલુકાની સાયણ સુગર ફેક્ટરીમાં કામ કરતા રવિન્દ્ર બાગલનો 23 વર્ષીય પુત્ર લલિત પાંચ દિવસ પહેલાં જ પિતાને મળવા સાયણ આવ્યો હતો. લલિત મહારાષ્ટ્રના સંભાજીનગરમાં B.Sc. સાયન્સના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરવાની સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો. વેકેશન હોવાથી તે પિતા પાસે આવ્યો હતો અને ગત 3 જુલાઈએ જ તેણે નવા કપડાની ખરીદી પણ કરી હતી. ઉધના રેલવે સ્ટેશન પર ટ્રેન અડફેટે વિદ્યાર્થીનું મોત સાંજના સમયે લલિત સાયણથી ટ્રેન મારફતે નંદુરબાર સ્થિત મામાના ઘરે જવા માટે નીકળ્યો હતો. જ્યાંથી તે પોતાના મિત્ર સાથે કોલેજ પરત જવાનો હતો. દરમિયાન, રાત્રિના સમયે ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-2 પર અકસ્માતે ટ્રેનની અડફેટે આવી ગયો હતો. ગંભીર ઈજા પહોંચતા લલિતનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતકનો મોબાઈલ અને દસ્તાવેજોના આધારે પરિવારનો સંપર્ક કરી ઓળખ છતી કરી હતી. હાલ રેલવે પોલીસે CCTV ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. ફોન પર વાતચીતની બેદરકારી ભારે પડી બીજા બનાવમાં, ઉધના-ભેસ્તાન રેલવે ટ્રેક પર મોબાઈલ ફોન પર વાતચીત કરવાની બેદરકારી એક યુવક માટે કાળ સાબિત થઈ હતી. મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના વતની અને હાલ ડિંડોલી નવાગામ ફાટક પાસે, પીપલ ચિલ્ડ્રન સ્કૂલ નજીક રહેતો 32 વર્ષીય ધર્મેન્દ્રકુમાર ચંદનદાસ ગૌતમ ખાનગી કંપનીમાં કામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. ધર્મેન્દ્રકુમારને સંતાનમાં બે માસૂમ પુત્રી છે. શતાબ્દી એક્સપ્રેસની અડફેટે ડિંડોલીના યુવકનું મોત સવારે ધર્મેન્દ્રકુમાર રોજિંદા ક્રમ મુજબ નોકરી પર જવા નીકળ્યો હતો. ઉધના અને ભેસ્તાન વચ્ચેથી પસાર થતી વખતે તે મોબાઈલ પર વાતચીતમાં મશગૂલ થઈ રેલવે ટ્રેક ઓળંગી રહ્યો હતો. તે જ સમયે પૂરઝડપે આવતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની ઝપેટે આવી જતાં ધર્મેન્દ્રકુમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. બે બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ મામલે પણ સુરત રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
    Click here to Read More
    Previous Article
    ST-OBC વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે યુવરાજસિંહની સરકારને ચીમકી:9 ઓગસ્ટને 'વિશ્વ આદિવાસી દિવસ' સુધીમાં અટકેલી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે
    Next Article
    સંત રોહિદાસ જયંતિ નિમિત્તે પાટણ ભાજપ કાર્યાલયમાં આયોજન બેઠક:આગામી કાર્યક્રમોની રૂપરેખા અને માર્ગદર્શન પર ચર્ચા થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment