Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિગો ફ્લાઇટના એન્જિનમાં ખરાબી, ચેન્નઈમાં ઇમરજન્સી લેન્ડિંગ:224 મુસાફરો સવાર હતા; પાયલટને એન્જિન ફેલ થવાની આશંકા જણાઈ

    9 hours ago

    ચેન્નઈ એરપોર્ટ પર મંગળવારે મોડી રાત્રે એક ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અનુસાર, ફ્લાઈટ કોલકાતાથી ચેન્નઈ આવી રહી હતી. ફ્લાઈટ ચેન્નઈમાં લેન્ડ થવાની હતી, ત્યારે જ પાયલટે અનુભવ્યું કે ડાબું એન્જિન ફેઈલ થઈ ગયું છે. તેણે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને તેની જાણ કરી, ત્યારબાદ ચેન્નઈ એરપોર્ટ પર રાત્રે 11:29 વાગ્યે સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી. આ પછી ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થયું. વિમાનમાં 224 લોકો સવાર હતા. લેન્ડિંગના બરાબર પહેલા ATCને એલર્ટ મળ્યું એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોની ફ્લાઇટ 6E-723 રાત્રે 9:15 વાગ્યે કોલકાતાથી ઉપડવાની હતી, પરંતુ તે લગભગ 25 મિનિટના વિલંબથી રાત્રે 9:39 વાગ્યે ઉપડી. વિમાન રાત્રે 11:30 વાગ્યે ચેન્નાઈ પહોંચવાનું હતું. રનવે પર ઉતરતા પહેલા જ પાયલટને ખબર પડી કે ડાબા એન્જિનમાં ખામી સર્જાઈ છે. આ પછી પાયલટે ATCને એલર્ટ કર્યા. એન્જિનમાં ખામીના કારણોની તપાસ શરૂ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ સક્રિય કર્યા પછી, ફ્લાઇટે રાત્રે 11:37 વાગ્યે રનવે-25 પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું. વિમાનમાં સવાર તમામ 224 લોકો સુરક્ષિત રહ્યા અને કોઈને ઇજા થઈ હોવાની માહિતી નથી. વિમાનના સુરક્ષિત ઉતરાણના લગભગ 10 મિનિટ પછી 11:47 વાગ્યે સંપૂર્ણ ઇમરજન્સી પાછી ખેંચી લેવામાં આવી. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના પછી ચેન્નાઈ એરપોર્ટનું સામાન્ય સંચાલન પ્રભાવિત થયું ન હતું અને તમામ ફ્લાઇટ ઓપરેશન સામાન્ય રીતે ચાલુ રહ્યા. અધિકારીઓએ એન્જિનમાં આવેલી ખામીના કારણોની તપાસ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 4 ઓગસ્ટ: એર ઇન્ડિયા ફ્લાઇટ અચાનક 300 ફૂટ નીચે આવી, 17 ઘાયલ થાઇલેન્ડના ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ 4 ઓગસ્ટે અચાનક લગભગ 300 ફૂટ નીચે આવી ગઈ હતી. આ ઘટના ઓડિશાના ઝારસુગુડા પાસે બની હતી, જ્યારે એરબસ A320 લગભગ 36,220 ફૂટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું. જોકે, બાદમાં ફ્લાઇટનું દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. આ ઘટનામાં 17 મુસાફરો ઘાયલ થયા હતા. શરૂઆતમાં એર ઇન્ડિયાએ આ ઘટનાને ટર્બ્યુલન્સ ગણાવી હતી. બાદમાં એરલાઇને તેના નિવેદનમાંથી ‘ટર્બ્યુલન્સ’ શબ્દ હટાવી દીધો અને તેને ફક્ત ‘ક્રુઝ દરમિયાન અચાનક ઊંચાઈ ઘટવી’ તરીકે વર્ણવ્યું. DGCA આ મામલે તપાસ કરી રહ્યું છે. જોકે, ઘટનાનું સાચું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ નથી.
    Click here to Read More
    Previous Article
    બેંગલુરુ જેલમાં બંધ પ્રજ્વલ રેવન્ના પાસેથી ફોન મળ્યો:પેન ડ્રાઇવ પણ મળી; પૂર્વ વડાપ્રધાનના પૌત્ર રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે
    Next Article
    ઘરને તાળું મારી બહારગામ ગયેલા પરિવારને ત્યાં ચોરી:ફુલસર વિસ્તારમાં મિસ્ત્રી કામ કરતા વૃદ્ધના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોરો કુલ રૂ.19 હજારથી વધુની મત્તા ચોરી કરી ફરાર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment