Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભક્તો આપે ધ્યાન:તા.19 માર્ચથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં પાવાગઢ મંદિરમાં દર્શનમાં ફેરફાર કરાયો

    2 weeks ago

    શક્તિ ઉપાસનાનું મહાપર્વ એટલે ચૈત્રી નવરાત્રી 19મી માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે નવરાત્રીના પાવન દિવસોમાં યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીમાં ભક્તોનાં ધસારાને પહોંચી વળવા અને કોઈ તકલીફ વિના સરળ રીતે મા મહાકાળીના દર્શન થઈ શકે તેમજ સુવિધાઓ મળી રહે તેવા હેતુથી પંચમહાલ વહીવટી તંત્ર અને મંદીર પ્રસાસન દ્વારા તૈયારીઓ કરી રહ્યું છે. ચૈત્રી નવરાત્રી નિમિત્તે પાવાગઢ ખાતે ભક્તોની સુવિધા માટે રોપ-વે અને મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે ખાસ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ સમયપત્રક 17 માર્ચથી 2 એપ્રિલ સુધી અમલમાં રહેશે. જાહેર કરાયેલા સમયપત્રક મુજબ, સામાન્ય દિવસોમાં મંદિર સવારે 6:00 વાગ્યે ખુલશે અને સાંજે 8:00 વાગ્યે બંધ થશે. જ્યારે રવિવાર તેમજ ખાસ તિથિના દિવસે ભક્તોની ભીડ વધવાની શક્યતા હોવાથી મંદિર સવારે 5:00 વાગ્યે ખુલશે અને સાંજે 8:00 વાગ્યે બંધ થશે. નવરાત્રીના 9 દિવસ ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ લાખ્ખોની સંખ્યામાં આવતા ભક્તોને અગવડ ન પડે તે માટે પાવાગઢ તળેટીથી ઉપર તરફ ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. બીજી તરફ ભક્તોને પીવાનું પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ યોગ્ય રીતે મળી રહે તે માટે પણ જિલ્લા પ્રસાસન દ્વારા વિષેશ વ્યવસ્થા કરી છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર દર્શનનો સમય‎ તિથિના દિવસે રોપ-વે 5 કલાકે શરૂ થશે ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવરાત્રીના પ્રથમ દિવસથી જ રોપ-વેના સમયમાં ફેરફાર અમલી બનશે. એકમ, ચોથ , આઠમ, અગિયારસ, પૂનમે ધસારો રહેતો હોય છે. આ 5 દિવસો દરમિયાન વહેલી સવારે 4:00 કલાકે ટિકિટ કાઉન્ટર ખોલી દેવાશે. સવારે 5:00 કલાકે રોપ-વે ટ્રોલી ભક્તો માટે શરૂ કરી દેવાશે. જ્યારે બાકીના સામાન્ય દિવસોમાં સવારે 5:00 કલાકે કાઉન્ટર ખુલશે અને 6:00 વાગ્યાથી રોપ-વે સેવા કાર્યરત થશે.
    Click here to Read More
    Previous Article
    આત્મહત્યા:દેવરીયા ગામે પરપ્રાંતિય યુવાને અગમ્ય કારણોસર ફાંસો ખાધો
    Next Article
    મંડે પોઝિટીવ:છોટાઉદેપુર રાઠ વિસ્તારમાં 6.12 કરોડના ખર્ચે નવા ત્રણ ચેકડેમ બનતા પાણીની સમસ્યાનો અંત આવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment