Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં ગાંધી રોડ-નવા બજારના 220 થી વધુ વેપારીઓની મૌન હડતાળ:ત્રણ વર્ષથી અધૂરા વચનો, વીજ થાંભલા, ગંદકી અને મચ્છરોના ઉપદ્રવ સામે વિરોધ

    6 hours ago

    હિંમતનગર શહેરના ડૉ. ગાંધી રોડ અને નવા બજાર વિસ્તારના વેપારીઓ છેલ્લા ત્રણ વર્ષથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાઓનો ઉકેલ ન આવતા વેપારીઓમાં રોષ છે. આથી, 220 થી વધુ વેપારીઓ આવતીકાલે મૌન હડતાળ કરશે અને નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને મળશે. વેપારીઓનો આક્ષેપ છે કે નગરપાલિકાએ નવા બજાર અને ગાંધી રોડ બનાવ્યા પછી પણ રસ્તા વચ્ચેના વીજ થાંભલા હટાવ્યા નથી. આ થાંભલાઓને ભૂગર્ભમાં લેવામાં આવ્યા નથી. તેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે. ગ્રાહકો અને રાહદારીઓને મુશ્કેલી પડે છે અને અકસ્માતનો ભય પણ રહે છે. આ સિવાય, વિસ્તારમાં ભૂગર્ભ ટેન્કમાંથી ગંદા પાણીની સમસ્યા છે. મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે, જેનાથી વેપારીઓ પરેશાન છે. વેપારીઓનું કહેવું છે કે ડેન્ગ્યુના કેસ વધવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. તંત્રની આ કામગીરી સામે વિરોધ કરવા માટે ડૉ. ગાંધી રોડ અને નવા બજાર વિસ્તારના 220 થી વધુ વેપારીઓ સોમવારે સવારે 10 વાગ્યાથી મૌન હડતાળ કરશે. તેઓ મોઢા પર કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે. આ દરમિયાન આખું બજાર બંધ રહેશે અને વેપારીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરશે. ત્યારબાદ સવારે 11:30 વાગ્યે વેપારીઓ ટાવર ચોકથી અમરસિંહજી મોલ અને નાગરિક બેન્ક થઈને હિંમતનગર નગરપાલિકા કચેરી પહોંચશે. ત્યાં તેઓ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને વેપારીઓની સમસ્યાઓ વિશે રજૂઆત કરશે. તેઓ તેમને સ્થળ પર આવવા માટે પણ આમંત્રણ આપશે. વેપારીઓએ આ કાર્યક્રમ શિસ્તબદ્ધ અને શાંતિપૂર્ણ રીતે યોજવાનો નિર્ણય લીધો છે.
    Click here to Read More
    Previous Article
    "મને બચાવી લો...":સૂતેલા વિદ્યાર્થીઓ પર કાળ બનીને તૂટી પડી 5 માળની હોસ્ટેલ, બપોરે સર્જાયો હાહાકાર; ઘણી ગાડીનો કચ્ચરઘાણ; દિલ્હી દુર્ઘટનાના 15 PHOTOs
    Next Article
    ગુજરાતી સિંગર કિંજલ રબારીના કથિત અપહરણનો હાઈવોલ્ટેજ ડ્રામા:મુકેશ દેસાઈએ કહ્યું- મારી પત્નીનું અજાણ્યા શખસોએ અપહરણ કર્યું, ગાયિકા બોલી- 'મારા જીવને ખતરો હતો, હું સ્વેચ્છાએ ગઈ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment