Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરાજી નજીક ખાનગી બસ પલટી, 22 મુસાફરો ઘાયલ:4 ગંભીર, રોડ પર ચિચિયારીઓ ગુંજી ઊઠી; બસની એક્સલ ભાંગી જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

    13 hours ago

    રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. ધાંગધ્રાથી ધોરાજી તરફ આવી રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગ પર પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર 25 પૈકી 22 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. 22 ઈજાગ્રસ્તોન હોસ્પિટલ ખસેડાયા અકસ્માત સર્જાતા જ ચીસાચીસ મચી ગઈ હતી, જેને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ, પુરુષો અને વૃદ્ધોનો સમાવેશ થાય છે. તમામ 22 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, 4 મુસાફરોની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા જોકે, ચાર મુસાફરોની હાલત ગંભીર જણાતા તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્તોની ખબર પૂછી હતી. ધોરાજી પોલીસનો કાફલો, જેમાં એસ.પી. અને પી.આઈ. સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે, તેઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા એ જણાવ્યું હતું કે, ‘ધોરાજીની ડ્રીમ્સ સ્કૂલ પાસે ટ્રાવેલ્સની બસ પલટી ખાતા 22 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં બધા જે ડૉક્ટરો છે, ડૉક્ટરો અને સ્ટાફ પૂરતો હાજર રહ્યો છે. 3 જણાને રીફર કર્યા છે.તેમની સ્થિતિ ચિંતાજનક છે. બાકીના દર્દીઓની સારવાર અત્યારે ધોરાજી ખાતે ચાલી રહી છે. અને ધોરાજીના સામાજિક સંસ્થાના સૌ આગેવાનો અહીં સેવાકીય પ્રવૃતિમાં ખભેખભા મિલાવીને જે લોકોને ઇજા થઇ છે એમને મદદ કરી રહ્યા છે.’ ટ્રાવેલ્સના માલિકના નિવેદન મુજબ બસની એક્સલ ભાંગતા બસ પલટી મારી ગઈ હતી. આ બસ વરધીમાં હતી, ફરેણી રોડ પરના સમાજના લોકો એ બસની અંદર હતા ઘણા બધા ઇજાગ્રસ્ત થયા છે. ફૂલ પધરાવવા માટે ગયા હતા આ અકસ્માતમાં ઘાયલ કરનભાઈ કરમશીભાઈ રાઠોડ જણાવ્યું હતું કે ‘અમે બાપાના ફૂલ પધરાવવા માટે રાધનપુરની બાજુમાં કુંવર ગામમાં ગુરુકૃપા ગાડી બાંધીને ગયા હતા અને ત્યાંથી 12:00 વાગ્યે રિટર્ન ગાડી આવતી હતી અને અહીં આવીને પલટી ખાઈ ગઈ. અમે ગાડીમાં તો બેઠા હતા. કંઈક ધડાકો થયો એ ધડાકો અમે સાંભળ્યો પણ કેમ ધડાકો થયો એ ખબર ન પડી. પણ ગાડી પછી ડ્રાઇવરના કાબૂમાં ન રહી એટલે ગાડી બે-ત્રણ પલ્ટીઓ ખાઈને ઝાડવાની અંદર ફસાઈ ગઈ.’ બસ ત્રણવાર પલટી ખાઈ ગઈ શારદાબેન જણાવ્યું હતું કે ‘અમે બધા ગામડે ગયા હતા, ત્યાંથી આવતા હતા. અમારા કાકાના ફૂલ લઈને પધરાવવા ગયા હતા. અને આવતા હતા અને આવતા આવતા એકદમ જ ખબર નહિ શું થયું તે, ખાઈમાં બસ ગઈ કે શું થયું કંઈ ખબર ન પડી. અમે તો બધા સૂતા હતા . કેટલાક લોકો જાગતા હતા. અને અચાનક ગાડી એકદમ જ પલટી મારીને ઝાડ સાથે અથડાઈ. ત્રણ પલટી ખાઈ ગઈ અમે બધા પડી ગયા’
    Click here to Read More
    Previous Article
    હિમંતાએ કહ્યું- 99% હિન્દુ કોંગ્રેસ છોડવા માંગે છે:પરિણામ પછી માત્ર એક સમુદાયની પાર્ટી બની જશે; બે દિવસ પછી પીએમની 'નમો એપ' પર સ્પીચ
    Next Article
    રોકાણના નામે ઠગાઈ:બિલ્ડરને સેબીનો લેટર મોકલી 76.85 લાખનું રોકાણ કરાવી ઠગાઈ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment