Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તિલકનગરમાં બે જૂથ વચ્ચે સામસામે પથ્થરમારો:ક્રિકેટ રમવા મામલે માથાકૂટ થતા મકાન અને રિક્ષામાં તોડફોડ, મહિલા સહિત 22 લોકો સામે ગુનો નોંધાયો

    10 hours ago

    ભાવનગર શહેરના તિલકનગર આડોડીયા વિસ્તારમાં ગઈકાલે સાંજે રોડ પર ક્રિકેટ રમવાના સામાન્ય વિવાદમાં બે જૂથ વચ્ચે તીવ્ર ઘર્ષણ થયું હતું. બોલાચાલી બાદ બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કરતાં ત્રણ મહિલાઓ સહિત અનેકને ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં મકાનો અને રિક્ષાઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે કુલ 22 લોકો (મહિલાઓ અને પુરુષો) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ક્રિકેટ રમતા દડો ઘરમાં જતા બબાલ શરુ થઈ ઘોઘારોડ પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર, તિલકનગર સ્મશાન રોડ પાસે રહેતા કોમલબેન રાજેશભાઈ મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું કે, તેમના સમાજના નાના છોકરાઓ રોડ પર ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે દડો જ્યોતિબેન રાજેશભાઈ રાઠોડના ઘર તરફ ગયો. આનાથી જ્યોતિબેન અને તેમના દીકરાની પત્ની પ્રિયંકા જયદીપભાઈ રાઠોડ ઉશ્કેરાઈને અપશબ્દો બોલ્યા. ત્યારબાદ જ્યોતિબેને આડોડિયાવાસમાંથી પોતાના સમાજના લોકોને બોલાવી ટોળું ભેગું કર્યું અને કોમલબેન, તેમના દીકરા વિરાજ તથા પરિવારજનો પર પથ્થર, ઈંટો અને સિમેન્ટના બ્લોકના ટુકડાઓથી હુમલો કર્યો. આ હુમલામાં કોમલબેન, કૃપાબેન અને નંદની નામની ત્રણ મહિલાઓને ઈજાઓ પહોંચી. ઉપરાંત સંતોષભાઈ મકવાણાના મકાન અને ત્યાં પાર્ક કરેલી રિક્ષાઓ પર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે જ્યોતિબેન રાજેશભાઈ રાઠોડ, પ્રિયંકા જયદીપભાઈ રાઠોડ, જયદીપ રાજેશભાઈ રાઠોડ, રીતીકા વિરાજભાઈ રાઠોડ, વિરાજ રાજેશભાઈ રાઠોડ, નિકેશ મહેશભાઈ રાઠોડ, નિશાંત મહેશભાઈ રાઠોડ, રોમીલ રાજેશભાઈ રાઠોડ, કૌશલ કિશનભાઈ પરમાર, નિહાર દીપકભાઈ પરમાર, સાહિલ વર્ગીસભાઈ પરમાર, ભાવેશ દિનેશભાઈ પરમાર, બહાદુર રતિલાલ રાઠોડ સહિત 13 લોકો સામે BNSની કલમ 109(1), 115(2), 125(a), 189(2), 191(2), 191(3), 190, 324(4), 352 તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. સામે પક્ષની ફરિયાદ બીજી તરફ પ્રિયંકાબેન જયદીપભાઈ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું કે, સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ તેમના ઘર સામે સુમીત, રોહિત અને અન્ય દેવીપૂજક વાસના છોકરાઓ ક્રિકેટ રમી રહ્યા હતા. દડો તેમના દીકરાને લાગતાં તેઓ ઠપકો આપવા ગયા તો સુમિત સમરથભાઈ મકવાણા, રોહિત સમરથભાઈ મકવાણા, સમરથભાઈ મકવાણા, કૃપાબેન સમરથભાઈ મકવાણા, વિનોદ પ્રતાપભાઈ મકવાણા, વિજય રમેશભાઈ, કોમલબેન રાજેશભાઈ મકવાણા, રાજવીર વિજયભાઈ મકવાણા, દિલીપ ભગવાનભાઈ મકવાણા સહિતના લોકો ભેગા થઈને અપશબ્દો બોલીને ઢીકાપાટુનો માર માર્યો. સુમીતે લાકડાના ધોકા વડે નિકેશના હાથ પર માર માર્યો અને તમામે પથ્થરમારો કરીને પ્રિયંકાબેનના પતિ તથા જેઠને પીઠના ભાગે મુઢ ઈજા કરી. આ સાથે તેઓએ અહીં રહેવા દેવાના નથી એવી ધમકી પણ આપી હતી. આ ફરિયાદ પરથી પોલીસે સુમિત સમરથભાઈ મકવાણા સહિત 9 લોકો (2 મહિલાઓ સહિત) સામે BNSની કલમ 115(2), 125(a), 189(2), 191(2), 191(3), 190, 352, 351(3) તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસની કાર્યવાહી આ ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બંને પક્ષની ફરિયાદોના આધારે પોલીસે કુલ 22 લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળે તોડફોડ અને પથ્થરમારાના પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસે બંને પક્ષને શાંતિ જાળવવા અને કાયદાનું પાલન કરવાની સૂચના આપી છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં તણાવનો માહોલ સર્જ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ સુધી પહોંચ્યો હાઈબ્રિડ ગાંજાનો વેપ્લો:SOGએ 2.42 લાખના મુદ્દામાલ સાથે આરોપીને પકડ્યો, પૂછપરછમાં અમદાવાદથી લાવ્યો હોવાનું રટણ શરુ કર્યું
    Next Article
    SRH Confirm Pat Cummins To Miss "Few Games" Of IPL 2026, Announce New Captain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment