Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    22 દિવસે 'ભૂત' આવ્યું સામે:આખરે સુરત મનપા કમિશનરે સ્વીકાર્યું, સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ નાસીરનગરમાં લાઇન દોરીની કામગીરી સમયે ડિમોલિશન કર્યું

    8 hours ago

    સુરતના ચર્ચિત નાસીરનગર ભૂતિયા ડિમોલિશન મામલે 22 દિવસથી મૌન સાધીને બેઠેલા મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને આખરે એક મોટો ધડાકો કર્યો છે. જેણે આખા સુરત મનપા પ્રશાસનને હચમચાવી મૂક્યું છે. મ્યુ. કમિશનરે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ માત્ર સીમા નક્કી કરવા ગયા હતા અને પોલીસ બંદોબસ્ત સાથે લાઈન દોરીની કામગીરી દરમિયાન એમના દ્વારા ડિમોલિશન જ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે નોટિસ આપીને સમય આપવાનો કાયદો છે, પરંતુ અહીં તો લાઇન દોરીની કામગીરીના બહાને તોડફોડની રમત રમાઈ ગઈ હતી. આ ચોંકાવનારી સ્વીકૃતિ બાદ હવે આખો મામલો ગુજરાત હાઈકોર્ટના કાયદાકીય સકંજામાં ફસાયો છે. અધિકારીઓએ ડિમાર્કેશનના કામે સમયે ડિમોલિશન કર્યું સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને જણાવ્યું હતું કે, હાલમાં નાસીરનગરમાં ચર્ચિત ડિમોલિશનની કામગીરી મામલે નિવેદન આપવા માંગું છું. 30 મે, 2026ના રોજ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ દ્વારા લાઈન દોરીનો અમલ કરવા માટે અને ડિમાર્કેશનની કામગીરી કરવા માટે ઉચિત પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી કરવામાં આવી હતી. હાઈકોર્ટના નિર્ણયનો ચુસ્તપણે પાલન કરાશે લાઈન દોરીનો પણ અમલ કરવામાં આવ્યો છે. હાલમાં આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેથી આ મામલે વધારે વિચાર-વિર્મશ કરવું તે ઉચિત નથી. સુરત મહાનગરપાલિકાને પણ આ પિટિશનમાં જોડવામાં આવી છે. જે પણ કાયદાકીય પ્રક્રિયા હશે અને કોર્ટમાં જે વિગતો રજૂ કરવાની હશે તે કરવામાં આવશે અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે તેનો ચુસ્તપણે પાલન કરવામાં આવશે. 'બાર વર્ષે બાવો બોલ્યો' એમ મ્યુ. કમિશનર બોલ્યા: સાયકલવાલા કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને નાસીરનગર ડિમોલિશન પ્રકરણ બાબતે પોતાનું વીડિયો મારફતે નિવદેન જાહેર કર્યું છે. આ તબક્કે એટલું જ કહીશ કે ગુજરાતીમાં લોક કહેવત છે કે, 'બાર વર્ષે બાવો બોલ્યો' તેમ એમ. નાગરાજનજી ડિમોલિશનના 22મા દિવસે વીડિયો સંદેશ આપે છે કે આ ડિમોલિશન સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ રોડ ડિમાર્કેશન કરવા માટે અને રોડ ખુલ્લો કરવા માટે કર્યું છે. કમિશનરનું એક જ રટણ હતું કે ડિમોલિશન કોણે કર્યું ખબર નથી સુરત સહિત સમગ્ર દેશમાં સુરત મનપાની છબી આ ડિમોલિશન પ્રકરણના કારણે ખરડાઈ અને આ કમિશનર ધૃતરાષ્ટ્ર બની રહ્યા. એમણે એક જ રટણ કર્યું કે તપાસ ચાલે છે. ડિમોલિશન કોણે કર્યું ખબર નથી. જ્યારે એમના જ કાર્યપાલક સેન્ટ્રલ ઝોનના ઇજનેર જયેન્દ્ર રામજીવાલાએ મીડિયા મિત્રોને કહ્યું કે, આ ડિમોલિશન સેન્ટ્રલ ઝોને નથી કર્યું કે એણે નથી કર્યું. આજે 22 દિવસે એમણે કયા કારણોસર મજબૂર થઈને આ નિવેદન આપવાની ફરજ પડી? શું કમલમમાંથી આદેશ આવ્યો કે પાછા ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો એક બાલિશ પ્રયાસ છે? સુરત મનપા અને પોલીસના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ડિમોલિશન હું આજે પણ દાવા સાથે કહું છું મ્યુનિસિપલ કમિશનરને કે તમે સ્થળ પર આવો અને જુઓ. મેં 1 જૂને પણ આપને કીધું હતું કે આ રોડ ડિમાર્કેશન માટે કે રોડ માપણી માટે નડતરરૂપ જે ઝૂંપડાઓ છે એનું ડિમોલિશન નથી થયું. જે 40 ફૂટના સૂચિત રોડ પર જે નકશામાં છે એના પર આજે પણ ઝૂંપડાઓ હયાત છે, કાચા-પાકા મકાનો છે. આ જે મકાનો તોડવામાં આવ્યા, સુરત મહાનગરપાલિકાના અને પોલીસ તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ એકબીજાના મેળાપીપણામાં એ કોઈની ખાનગી જગ્યા પર જે ઝૂંપડાઓ 60 વર્ષથી વસવાટ કરતા હતા એનું ડિમોલિશન કરવામાં આવ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો બાલિશ પ્રયાસ નિરર્થક રહેશે આજે પણ એમના નીચેના અધિકારીઓ નાગરાજનજીને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને હું એટલું જ કહીશ કે નામદાર હાઇકોર્ટમાં તો ચાલશે મેટર. જે ચુકાદો આવશે એ આવશે, શિરોમાન્ય રહેશે. તમને જાહેરમાં પડકાર ફેંકું છું કે તમારા સનદી અધિકારીઓને લઈને સ્થળ પર આવો અને માપણી કરીને બતાવો કે આ જગ્યામાંથી જ્યાં જ્યાં ડિમોલિશન થયા છે, એ કાચા-પાકા મકાનોમાંથી કઈ જગ્યા પરથી 40 ફૂટનો રોડ જાય છે? કારણ કે 40 ફૂટનો જે સૂચિત રોડ છે, આજે પણ કાચા-પાકા મકાનો હયાત છે અને આ ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો તમારો આ બાલિશ પ્રયાસ નિરર્થક રહેશે. એમને તાત્કાલિક અસરથી વૈકલ્પિક આવાસની ફાળવણી કરો હું હજુ આપને અપીલ કરું છું કે અમારી લડાઈ એક જ છે શરૂઆતથી, કે જે કાચા-પાકા મકાનો, મિલકતદારોને જે અન્યાયી રીતે ડિમોલિશન કરવામાં આવ્યું, અને એ મિલકતદારો કે જેમને 15, 17 અને 25ના રોજ આપને લેખિતમાં જાણ કરી હતી તેમ છતાં આપના તંત્રએ કોઈ કાર્યપદ્ધતિ અનુસર્યા વગર આ ડિમોલિશન કર્યું હોય તો જવાબદારી ફિક્સ કરો, નક્કી કરો. એમને તાત્કાલિક અસરથી વૈકલ્પિક આવાસની ફાળવણી કરો. જેમને ભ્રષ્ટાચાર કર્યો છે એ તમામ જવાબદાર અધિકારીઓને મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરથી લઈને ટી. સુપરવાઇઝર સુધીના તમામને સસ્પેન્ડ કરો અને દાખલો બેસાડો. આ જ અમારી અપીલ છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં ગાયના મોઢામાં ડસ્ટબીન ફસાયું:સ્થાનિક યુવાનોએ જીવના જોખમે ગાયના મોઢામાં ફસાયેલા ડસ્ટબીનને નીકાળ્યું
    Next Article
    CJP प्रवक्ता Ashutosh Rnaka ने उठाए पानी और टॉयलेट पर सवाल! Jantar Mantar | Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment