Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંઢિયા પુલ નજીક કરુણ અકસ્માત:જામનગર રોડ પર બે બાઈક સામસામે ટકરાતાં 22 વર્ષીય નેપાળી યુવકનું મોત

    3 days ago

    રાજકોટના જામનગર રોડ પર સાંઢિયા પુલ નજીક બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં 22 વર્ષીય નેપાળી યુવકનું મોત નીપજ્યું છે. કામ પરથી ઘરે પરત ફરી રહેલો યુવક અચાનક બનેલી ટક્કરમાં જીવ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. વિગતો મુજબ, માધાપર ચોકડી પાસે શુભમ પાર્ક-ઉત્સવ એપાર્ટમેન્ટમાં રહેતો અને મૂળ નેપાળનો વતની નરેશભાઈ મોહનભાઈ વિશ્વકર્માનો પુત્ર જય (ઉ.વ.22) મંગળવારે રાત્રે ભોમેશ્વર વિસ્તારમાં આવેલી પાનની દુકાનેથી કામ પૂરું કરી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે સાંઢીયા પુલ પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતા GJ-03-JB-3807 નંબરના બાઈક ચાલકે તેની બાઈક સાથે જોરદાર ટક્કરમારી હતી. અકસ્માતમાં જયને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તે બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવારદરમિયાન તેનું મોત થયું હતું. મૃતક બેભાઈમાં મોટો હતો. બનાવ અંગે તેના પિતા નરેશભાઈ વિશ્વકર્માની ફરિયાદના આધારે ગાંધીગ્રામ પોલીસે આરોપી બાઈકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કેન્દ્રીય બોર્ડે જાહેર કર્યું ટાઇમટેબલ:CBSE બોર્ડની ધોરણ-10ની બીજી પરીક્ષા 15 મેથી શરૂ થશે, પરિણામ સુધારાની તક
    Next Article
    પીસીબી ટીમની કાર્યવાહી:માધાપર ચોકડી બ્રિજ નીચે માલવાહક વાહનમાંથી 576 બોટલ દારૂ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment