Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:માતા-પિતા 21 દિવસની એનિમિયાગ્રસ્ત પુત્રીને એસએસજીમાં છોડીને જતા રહ્યા

    1 week ago

    સયાજી હૉસ્પિટલના બાળ રોગ વિભાગમાં 21 દિવસની એનિમિયાગ્રસ્ત બાળકીને માતા-પિતા મૂકીને જતા રહ્યા હતા. એસએસજી દ્વારા પોલીસને જાણ કરાઇ હતી કે, વોર્ડમાં બાળકીને તેના માતા-પિતા મૂકીને જતા રહ્યા છે. તેમનો સંપર્ક કરવામાં તેઓ આવવાની ના પાડે છે. જેથી પોલીસે બાળકીના માતા-પિતાનો સંપર્ક કરી તેમને વડોદરા બોલાવ્યા હતા. જેમાં પિતાએ જણાવ્યું હતું કે, દીકરીને એનિમિયા હોવાથી તબીબોએ તેને એક મહિનો સારવાર માટે રાખવા કહ્યું હતું. તેની પાસે અહીંયા કોઈ કામ-ધંધો નહતો. ઉપરાંત તેનો મોટો દીકરો પણ બિમાર હતો. જેથી તે બાળકીને મૂકીને ગયો હતો. હાલમાં બાળકીના પિતા અને નાના હૉસ્પિટલમાં હાજર થઈ ગયા છે. સયાજી હૉસ્પિટલના રૂકમણી ચૈનાની વિભાગમાં ગત મહિનાની 26 તારીખે મધ્યપ્રદેશની એક મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીને એનીમિયા હોવાથી તેને બાળ રોગ વિભાગમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન ગુરુવારે બાળરોગ વિભાગ દ્વારા રાવપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી કે, બાળકીના માતા-પિતા તેને છોડીને જતા રહ્યા છે, ફોન કરીએ તો તેઓ આવવાની ના પાડે છે. જેથી રાવપુરા પોલીસે બાળકીના પિતાનો સંપર્ક કરીને વડોદરા બોલાવ્યા હતા. જેમાં બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, જન્મ બાદ મારી પત્ની અને બાળકીને એનિમિયા બિમારી હોવાને કારણે પત્નીને વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી અને બાળકીને બાળ રોગ વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. થોડા દિવસમાં પત્નીને રજા આપી દેવામાં આવી હતી પણ બાળકીને રજા આપવામાં આવી નહોતીં. મારો દીકરો બિમાર હોવાથી પત્નીને ગામડે મોકલવી ફરજીયાત હતી. મારી પાસે અહીંયા રૂપિયા નહોતા અને મને તબીબો બાળકી પાસે જવા પણ નહોતા દેતા. જેથી હું ગામડે જતો રહ્યો હતો. મેં તબીબોને જણાવ્યું હતું કે, તમે મને જ્યારે કહેશો ત્યારે હું આવી જઈશ.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદને લીધે કહેરની સ્થિતિ:આંબાઓને ઊઝરડી નાખતા કેરીના પાકને કર્યું મોટું નુકસાન
    Next Article
    બેઠક:વડોદરા જિલ્લાની પંચાયત-પાલિકાઓમાં ભગવો લહેરાવવા પ્રભારીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment