Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પતિનું મોત થતા સાસુ અને નણંદે પરિણીતાનું મુંડન કરાવી નાખ્યું:અપશુકનિયાળ ગણાવી બે માસૂમ સંતાનો સાથે ઘરમાંથી કાઢી મૂકી, 21મી સદીમાં રાજકોટનો અંધશ્રદ્ધાનો ચોંકાવનારો કિસ્સો

    21 hours ago

    રાજકોટમાં બાબા બાગેશ્વરની હનુમાન કથામાં કથિત અંધશ્રદ્ધાનો મુદ્દો હાલ ચર્ચામાં છે. તેની વચ્ચે જ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં રહેતી અને ધોરાજીમાં સાસરું ધરાવતી પરિણીતાના પતિનું કેન્સરની બીમારીના કારણે અવસાન થતા સાસરિયાઓે વિધિના નામે મુંડન કરાવી નાખ્યાનો ગંભીર આક્ષેપ કરાયો છે. વાત આટલેથી ન અટકી પરિણીતાને અપશુકનિયાળ ગણાવી બે માસૂમ સંતાનો સાથે કાઢી મૂકતા પિતાના ઘરે આશરો લેવાની ફરજ પડી છે. પીડિતાએ આ મામલે ધોરીજમાં રહેતા સાસુ, સસરા અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. 'પતિના અવસાનના ત્રીજા દિવસે વિધિના નામે મારું મુંડન કરી નાખ્યું' સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવનાર મહિલાએ ભાસ્કર સાથે વાતચીત કરી હતી. પીડિતાએ જણાવ્યું હતું કે, વર્ષ 2014માં મારા ધોરાજી મુકામે લગ્ન થયા હતા. પતિને આંતરડાનું કેન્સર હોય મારા દાગીના ગિરવે મૂકી 15 લાખ રૂપિયા મેળવ્યા હતા અને મારા પિયરમાંથી પણ પૈસા લીધા હતા. નવેમ્બર 2025માં મારા પતિનું લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. પતિના મૃત્યુના માત્ર ત્રણ દિવસ બાદ સાસુ અને નણંદે આત્માની શાંતિના બહાને બળજબરીપૂર્વક મારું માથું મુંડાવી વાળ કાપી નાખ્યા હતા.મારા વિરોધ બાદ પણ તેઓ માન્યા ન હતા. મારા પપ્પાને ફોન કરવા માટે પ્રયાસો કર્યા પરંતુ એ લોકોએ ફોન પણ લઈ લીધો હતો. ભૂવા કહે એટલું જ અમારા ઘરમાં થતું હતું- પીડિતા પીડિતાએ વધુમાં જણાવ્યું કે, મારા સાસુ ભૂવાને બહુ માનતા હતા. ભૂવા કહે એ જ એ લોકો કરતા. અંતે ટ્રીટમેન્ટ બંધ કરાવીને મને અને મારા પતિને ભૂવામાં એટલે કે અંધશ્રદ્ધામાં નાખી દીધા. ભૂવાએ મને અને મારા પતિને શિયાળાની ઠંડીમાં ઠંડા પાણીએ નવડાવ્યા હતા. ભૂવા કહેતા કે હું કહીશ એમ કરવાનું અને એના કારણે મારા પતિનું અવસાન થયું. મેં તો પહેલેથી જ આ અંધશ્રદ્ધાનો વિરોધ કર્યો છે, કારણ કે મેં આવું ક્યારેય મારા પિયરમાં પણ જોયું નથી અને ત્યાં પણ આવી બાબતોમાં કોઈ માનતા નથી. પણ તેમ છતાં મારી સાથે આવું થયું. બસ, હવે આવી અંધશ્રદ્ધા ક્યારેય ફેલાય નહીં અને મારી જેમ કોઈ પણ બેન-દીકરી સાથે આવું ન થાય, તેવી જ મારી માંગ છે.અત્યારે હું મારા મમ્મી-પપ્પાને ઘરે રહું છું. એક સ્ત્રી તરીકે આ દુઃખની વાત છે. આ રીતે આવી ઘટના બને તે ઘણું ખોટું છે. સાસુ-સસરા અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી આ બનાવમાં મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ માયાણીનગરમાં હાલ પિયર ખાતે રહેતી પરિણીતાએ ધોરાજીના રહેવાસી સાસુ જયાબેન ભાદાભાઈ જાગાણી, સસરા ભાદાભાઈ જાગાભાઈ જાગાણી તથા જેતપુરના નવાગઢમાં રહેતી નણંદ નિમિષા રાજેશભાઈ પાદરિયા સામે ફરિયાદ નોંધાવી છે. પતિના મૃત્યુ બાદ સસરાએ ગોડાઉનમાં રહેલો લસણનો જથ્થો વેચી દીધો હોવા છતાં તેની રકમ આપવામાં આવી નથી. નણંદના દીકરાએ ATMમાંથી રૂ.1.50 લાખ ઉપાડી લીધા ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, નણંદના દીકરાએ એટીએમ મારફતે રૂ.1.50 લાખ ઉપાડી લીધા હતા. વિધવાને અપશુકનિયાળ ગણાવી બે માસૂમ સંતાન સાથે ઘરેથી તગેડી મુકાઈ તેમના બાળકોની કોઈ જવાબદારી સ્વીકારતું નથી તેમજ મિલકત અને વાહનોમાં પણ હક્ક આપતું નથી. ફરિયાદીને સંતાનમાં 11 વર્ષનો દીકરો અને 4 વર્ષની દીકરી છે. પતિના અવસાન બાદ સાસરીપક્ષે તેમને અપશુકનિયાળ ગણાવી બંને સંતાન સાથે ઘરેથી કાઢી મૂક્યા હતા. જેના કારણે તેમને રાજકોટ ખાતે પિયરનો આશરો લેવો પડ્યો હતો. દીકરીના સંતાનોને આર્થિક મદદ કરે એવી અમારી માગ છે- પિતા પીડિતાના પિતાએ કહ્યું કે, અમે ચાર મહિના પહેલા જ પોલીસ ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ, પોલીસે અમને અને સામેના પક્ષના લોકોને બોલાવ્યા હતા. ત્યારબાદ સમાધાનનો પ્રયાસ કરાયો હતો. પરંતુ, સમાધાન થયું નહીં. અમારી માગ છે કે, મારી દીકરીના જે માસૂમ સંતાનો છે તેને આર્થિક મદદ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    મોદીના સ્વાગતમાં કેબિનેટે ઉભા થઈને તાળીઓ પાડી:PMનો 4399 દિવસનો કાર્યકાળ, નેહરુનો રેકોર્ડ તૂટ્યો; કોંગ્રેસ બોલી- આ શંકાસ્પદ સિદ્ધિ
    Next Article
    નગરજનો માટે મનપાની એડવાન્સ વેરા પ્રોત્સાહક વળતર યોજના જાહેર:બાકી વેરો અને એડવાન્સ વેરો ભરે તો જ લાભ, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 1 ટકો વધુ લાભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment