Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 માર્ચે ગણગૌર ત્રીજ:મનગમતો વર અને અખંડ સૌભાગ્યની કામનાનો પર્વ; જાણો શિવ-પાર્વતીની પૂજા કરવાની વિધિ

    4 days ago

    ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે ચૈત્ર મહિનામાં આવતો ગણગૌર પર્વ 21 માર્ચને શનિવારના રોજ ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર આ પર્વ ચૈત્ર સુદ ત્રીજના દિવસે આવે છે. ગણગૌરને ગૌરી તૃતીયા પણ કહેવાય છે. ચૈત્ર મહિનાના સુદ પક્ષના ત્રીજા દિવસે શિવ-પાર્વતીની પૂજા અને વ્રત થાય છે. આમાં કન્યાઓ અને પરિણીત મહિલાઓ માટીના શિવ એટલે કે ગણ અને દેવી પાર્વતી એટલે કે ગૌર બનાવે છે. પછી તેમની પૂજા કરે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે અને કન્યાઓ સારા પતિની કામનાથી વ્રત કરે છે. રાજસ્થાનની પરંપરામાં આ પર્વ ખાસ કરીને મહિલાઓનો ઉત્સવ માનવામાં આવે છે. પરિણીત સ્ત્રીઓ સોળ શણગાર કરીને આ વ્રત અને પૂજા કરે છે. જ્યારે, કન્યાઓ પણ સંપૂર્ણ શૃંગાર કરીને પૂરા વિધિ-વિધાનથી પૂજા કરે છે. પૌરાણિક કથા અનુસાર એવું માનવામાં આવે છે કે, ગૌરા એટલે કે દેવી પાર્વતીએ પણ શિવજી માટે તપ અને વ્રત કર્યું હતું. આ પછી જ તેમને પતિ તરીકે શિવજી મળ્યા. આ જ કારણથી ગણગૌરમાં ગૌરીને સૌભાગ્ય, દાંપત્ય સુખ અને શુભ વરની કામનાથી પૂજવામાં આવે છે. પુરાણોમાં પણ આ વ્રતનો ઉલ્લેખ છે. નારદ પુરાણના ઉત્તરભાગમાં કહેવામાં આવ્યું છે કે, ચૈત્ર શુક્લ તૃતીયા મહાફળદાયી છે અને તે દિવસે ગૌરીનું ભક્તિભાવથી પૂજન કરવું જોઈએ. સ્કંદ પુરાણમાં પણ ગૌરી તૃતીયાનો ઉલ્લેખ મળે છે. ‘ગણ’ ભગવાન શિવનું અને ‘ગૌર’ કે ‘ગૌરી’ માતા પાર્વતીનું નામ છે. આ જ કારણથી આ દિવસે શિવ-પાર્વતીની સંયુક્ત પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. રાજસ્થાનમાં આ પૂજા હોળીના બીજા દિવસથી શરૂ થઈને 18મા દિવસે ગણગૌર પર પૂરી થાય છે. શિવ-પાર્વતીની વિશેષ પૂજા દેવી પાર્વતીની સાથે જ આ દિવસે શિવજીની પણ વિશેષ પૂજા થાય છે. એવી માન્યતા છે કે આમ કરવાથી પતિની ઉંમર વધે છે અને દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. આ દિવસે ભગવાન શિવને શુદ્ધ જળ, તાજું દૂધ, પંચામૃત, ચંદન, બિલ્વપત્ર અને પરંપરા અનુસાર ઉપલબ્ધ પૂજન સામગ્રી અર્પણ કરવામાં આવે છે. ગણગોરમાં ઘણી જગ્યાએ ઈસર-ગૌરની પ્રતિમાઓને શણગારીને ગીતો ગાવામાં આવે છે, જળ અર્પણ કરવામાં આવે છે અને બીજા દિવસે વિસર્જન પણ કરવામાં આવે છે. ગણગૌર પર દેવી પાર્વતીની પણ વિશેષ પૂજા કરવાનો વિધાન છે. કારણ કે આ પર્વ ગૌરી તૃતીયા સાથે જોડાયેલું છે, તેથી માતા ગૌરીની પૂજા, શૃંગાર અને સુહાગ સામગ્રીનું અર્પણ મુખ્ય માનવામાં આવે છે. દેવી પાર્વતીની પૂજા 16 શૃંગારથી કરવી જોઈએ. કુમકુમ, હળદર અને મહેંદી ખાસ કરીને ચઢાવવી જોઈએ. સુગંધિત વસ્તુઓ પણ અર્પણ કરો. ઘણી જગ્યાએ મહિલાઓ લોકગીતો ગાતા ગણગોરની પ્રતિમાઓને માથા પર રાખીને નદી, તળાવ સુધી લઈ જાય છે.
    Click here to Read More
    Previous Article
    OpenAI to buy Python toolmaker Astral to take on Anthropic
    Next Article
    આગ્રામાં બોલેરો ઝાડ સાથે અથડાઈ:પિતા, પુત્ર-વહુ અને પૌત્રી સહિત 5ના મોત,દરવાજા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા; રાજસ્થાનના કૈલાદેવીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment