Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    21 ગૌમાતા સાથે લાઠીદડથી દ્વારકા પગપાળા યાત્રા:યુવાને લોહીથી પત્ર લખી ગૌરક્ષાનો સંદેશ આપ્યો

    2 days ago

    બોટાદ જિલ્લાના લાઠીદડ ગામથી દ્વારકા સુધી ૨૧ ગૌમાતા સાથે એક અનોખી પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય હેતુ ગૌમાતા પર થતા અત્યાચાર, અવગણના અને તેમની વેદનાનો અવાજ સમાજ તથા શ્રી દ્વારકાધીશ ભગવાન સુધી પહોંચાડવાનો હતો. આ યાત્રા દરમિયાન, સંદીપભાઈ પટેલ નામના યુવાને પોતાના લોહીથી ગૌમાતા માટે એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં ગાય માતાની વેદના અને તેમના સંરક્ષણ માટેની વિનંતી સુંદર અક્ષરે વ્યક્ત કરવામાં આવી હતી. યાત્રા દ્વારા ગૌસેવા, ગૌરક્ષણ અને માનવતાની ભાવના જાગૃત કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. યુવા પેઢીને ગૌમાતાના સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ કરવા પણ આ યાત્રાનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય હતો. આ યાત્રામાં સંદીપભાઈ પટેલ સાથે માલધારી સમાજના રણછોડ બાપુ બોટાદ, મયુરભાઈ આહીર, ભરતભાઈ બોળીયા લાઠીદડ અને અન્ય અનેક મહાનુભવો જોડાયા હતા. દ્વારકા ખાતે પહોંચતા તેમનું વાંચતે ગાજતે સન્માન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નેહુલ અમૃતિયાની તબિયત લથડી, રાત્રે પારણા કરાવાયા:આજે તમામ ઉપવાસીઓના પારણા થશે, આંદોલન પાર્ટ 3ની જાહેરાત
    Next Article
    Rs 29 Lakh Hyderabad Theft Case Solved, Victim's Relatives Among 3 Arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment