Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 21-22 માર્ચે મિલેટ મહોત્સવ યોજાશે:કમિશનર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને તૈયારીઓની સમીક્ષા બેઠક

    15 hours ago

    સુરેન્દ્રનગરના ઐતિહાસિક હવામહેલ ખાતે 21 અને 22 માર્ચના રોજ બે દિવસીય 'મિલેટ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની પૂર્વતૈયારીઓ અને સુચારુ સંચાલન માટે મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણેના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે કાર્યક્રમની રૂપરેખા અને વ્યવસ્થા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ મહોત્સવ માત્ર પ્રદર્શન ન રહેતા, સામાન્ય નાગરિકોના દૈનિક આહારમાં પૌષ્ટિક ધાન્યના વપરાશને પ્રોત્સાહન આપવાનું માધ્યમ બનવું જોઈએ. મહોત્સવનો મુખ્ય હેતુ 'ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ'ની સાતત્યતા જાળવી ખેડૂતોને જાડા ધાન અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવાનો છે. આ ઉપરાંત, પ્રાકૃતિક ખેતીને વેગ આપી મિલેટ્સના મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચવાયું હતું. મહોત્સવમાં અંદાજે 25,000 થી 30,000 મુલાકાતીઓ ઉમટી પડે તેવી શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને કમિશનરે હવામહેલ ખાતે જરૂરી માળખાકીય સુવિધાઓ, સુરક્ષા અને બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. મેળામાં બાજરી, જુવાર, રાગી અને કાંગ જેવા વિવિધ મિલેટ્સમાંથી બનતી પૌષ્ટિક વાનગીઓના સ્ટોલ્સ હશે. સ્થાનિક ખેડૂતો અને મહિલા સંચાલિત સ્વસહાય જૂથો (SHGs) દ્વારા તૈયાર કરાયેલી મિલેટ્સ આધારિત પ્રોડક્ટ્સનું પ્રદર્શન અને વેચાણ પણ કરવામાં આવશે. મહોત્સવ દરમિયાન પ્રાકૃતિક કૃષિ, મિલેટ આધારિત 'રેડી ટુ ઈટ' વાનગીઓ, લાઈવ ફૂડ આઈટમ્સ અને હસ્તકલા સહિતના 20 જેટલા વિશેષ સ્ટોલ્સ ઊભા કરાશે. સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે, જે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સીધો સેતુ સ્થાપિત કરશે. આ મહોત્સવ દ્વારા ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગો સામે મિલેટ્સની ઉપયોગિતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગની "મિલેટ ડેવલોપમેન્ટ યોજના 2025-26" અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓમાં આવા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.ડી. શિરોયા, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) એસ. એ. સિણોજીયા સહિત સમિતિના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    આજથી રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદના મારની શક્યતા:કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં માવઠાંની આગાહી, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટતા ગરમીથી રાહત મળશે
    Next Article
    પાટણ લેઉવા પટેલ સમાજના 800 વડીલોની હરિદ્વાર યાત્રા:શ્રીમદ્ ભાગવત કથા પૂર્વે 125 યજમાનોનું સામૂહિક પોથી પૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment