Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુજાણપુરમાં વાલ્મીકિ સમાજનો 21મો સમૂહ લગ્નોત્સવ:14 નવદંપતીઓએ સમાજની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યા

    7 hours ago

    સિદ્ધપુરના સુજાણપુર સ્થિત તિરંગા વિદ્યા સંકુલ ખાતે રવિવારે વાલ્મિકી સમાજનો 21મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. સંતોકબેન ઈશ્વરભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને વાલ્મિકી સમૂહ લગ્ન સમિતિ, સિદ્ધપુરના સંયુક્ત ઉપક્રમે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં વાલ્મિકી સમાજના કુલ 14 યુગલોએ સમાજના રીતિ-રિવાજ મુજબ સમાજની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સંતોકબેન ઈશ્વરભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દશરથભાઈ પટેલ સહિતના ટ્રસ્ટીગણ અને અન્ય મહાનુભાવોએ નવદંપતીઓને દામ્પત્ય જીવનની શુભકામનાઓ પાઠવી હતી. દાતા પરિવારો દ્વારા નવદંપતીઓને વિવિધ ભેટ-સોગાદો અર્પણ કરવામાં આવી હતી. સિદ્ધપુર ગિરનારી આશ્રમના સંત પ. પૂ. મહંત શ્રી 1008 મુકેશગીરીજી મહારાજ અને તેમના શિષ્ય મહંતશ્રી કમલગીરીજીએ ભોજન દાતા તરીકે સેવા આપી હતી અને નવદંપતીઓને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. સુજાણપુરના તિરંગા વિદ્યા સંકુલ ખાતે આયોજિત આ સમૂહ લગ્નને સફળ બનાવવા વાલ્મિકી સમૂહ લગ્નોત્સવ સમિતિના પ્રમુખ, મંત્રી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં રૂ.1.24 કરોડથી વધુની છેતરપિંડી:મલેશિયા ફરાર થયેલો આરોપી બેંગ્લોર એરપોર્ટ પરથી ઝડપાયો
    Next Article
    પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ મુની સેવા આશ્રમને 4 કરોડનું દાન આપ્યું:સુરેન્દ્રનગરના જાણીતા હાસ્યકલાકારે અમેરિકાના 7 કાર્યક્રમો દ્વારા ભંડોળ એકત્ર કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment