Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરનારાયણદેવનાં 203માં પાટોત્સવની ઉજવણી:અન્નકૂટ ઉત્સવમાં ભાવિકોની ભક્તિ છલકાઇ

    9 hours ago

    ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે નરનારાયણદેવનાં 203મા પાટોત્સવ ઉજવાયો હતો. શ્રીહરિસ્મૃતિ પંચાહ્નપારાયણ જ્ઞાન યજ્ઞ અંતર્ગત પોથી યાત્રા યોજાઇ હતી. કથાના સમાપને મહા અભિષેક, અન્નકુટ ઉત્સવ, ઠાકોરજીની શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ પ્રસંગે ધર્મકુળ આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ, અંજાર, ગાંધીધામ, અબડાસા, રાપર , મુન્દ્રા તેમજ ચોવીસીના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો અભિષેક અને અન્નકુટ દર્શનનો લાભ લેવા ઉમટ્યા હતા. મંદિરનાં મુખ્ય કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપમહંત સ્વામી ભગવજીવનદાસજી, પાર્ષદ કોઠારી જાદવજી ભગવતની આજ્ઞાથી નરનારાયણ દેવનાં 203માં પાટોત્સવના મુખ્ય યજમાન તરીકે મૂળ માધાપર હાલે બોલ્ટન લંડનના અ.નિ. વિશ્રામભાઈ કાનજી વરસાણી તથા અ.નિ. ખીમજીભાઈ હીરા વાગડીયા પરિવારના અક્ષરનિવાસી ભક્તોની સ્મૃતિમાં નાનદાસભાઈ સામજી વરસાણી સહ પરિવારે મુખ્ય યજમાન પદ સ્વીકાર્યું હતુ. સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી અને કૃષ્ણવિહારીદાસજીએ કર્યુ હતું. કથા દરમ્યાન ધામધૂમથી ઘનશ્યામ જન્મોત્સવ, શ્રીહરિ ભુજ આગમન, ફૂલદોલોત્સવ, ઠાકોરજીની શોભાયાત્રા સહિત પ્રસંગોની ઉજવણી કરાઇ હતી. ઉજવણીનાં સમાપને વહેલી સવારે વિધિવિધાન સાથે પંચામૃતથી ઠાકોરજીનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. બાદમાં અન્નકૂટ ઉત્સવની ઉજવણી કરાઈ હતી. મહોત્સવને સફળ બનાવવા માટે કોઠારી સ્વામી ગોલોકવિહારી દાસજી, મુખ્ય કોઠારી રામજીભાઈ વેકરીયા, ઉપકોઠારી જાદવજીભાઈ ગોરાસીયા, ટ્રસ્ટીઓ ખીમજી ભગત, દિનેશ ભગત, ઘનશ્યામવલ્લભદાસજી, પુરૂષોત્તમપ્રિય દાસજી, શ્રીહરિપ્રસાદ દાસજી, વિજ્ઞાન દાસજી, ભક્તિપ્રકાશ દાસજી, પુરૂષોત્તમ સ્વરૂપદાસજી, કૃષ્ણવિહારી દાસજી, શાન્તિસ્વરૂ પદાસજી, નંદકિશો રદાસજી, ઘનશ્યામ ચરણદાસજી, ગોવલ્લભ દાસજી, દિવ્યપ્રસાદ દાસજી, વિવેકસાગર દાસજી, જગજીવન દાસજી, ઘનશ્યામ પ્રકાશદાસજી, બ્રહ્મવિહારી દાસજી, જ્ઞાનસ્વરૂપ દાસજી, જ્ઞાનપ્રિય દાસજી, નિલકંઠસ્વરૂપ દાસજી, ઘનશ્યામચરણ દાસજી, ઘનશ્યામસેવક દાસજી, પ્રેમવલ્લભ દાસજી આદિ સંતો, કચ્છ નરનારાયણ દેવ યુવક, યુવતી અને મહિલા મંડળે જહેમત ઉઠાવી હતી. શોભાયાત્રામાં મહિલા બેન્ડે આકર્ષણ જમાવ્યું કથા પ્રારંભ પૂર્વે સ્મૃતિ મંદિરથી વાજતે-ગાજતે નીકળેલી પોથીયાત્રામાં સંતો, સાંખ્યયોગી બહેનો જોડાયા હતાં. પટેલ ચોવીસીની મંડળીએ કીર્તનની રમઝટ બોલાવી હતી જ્યારે મહિલા બેન્ડ અને પાઇપ બેન્ડે આકર્ષણ જમાવ્યું હતું. કથાનાં વક્તા તરીકે શાસ્ત્રી સ્વામી આનંદવલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી પ્રેમવલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી કૃષ્ણવલ્લભદાસજીએ કથાનું રસપાન કરાવ્યુ હતું.
    Click here to Read More
    Previous Article
    Turkey Votes To Ban Social Media For Under-15s
    Next Article
    કચ્છમાં ભારતીય સેનાનું શક્તિ પ્રદર્શન:સેનાએ જમીન અને જળના મોરચાઓ પર સૈન્ય વ્યૂહરચનાઓ પ્રદર્શિત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment