Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબ ચૂંટણીમાં અકાલી-ભાજપ ગઠબંધન નહીં થાય:અમિત શાહે કહ્યું- 2027માં ભાજપની સરકાર બનશે, 2 વર્ષમાં અમે નશાને જડમૂળથી ઉખાડી ફેંકીશું

    8 hours ago

    પંજાબમાં વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં BJPએ આજે મોગામાં પરિવર્તન રેલી યોજી. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા. તેઓ કેસરી રંગની પાઘડી બાંધીને મંચ પર પહોંચ્યા. જોરદાર નારાબાજી સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. રેલીને સંબોધતા શાહે કહ્યું કે પંજાબમાં ભાજપ પોતાની સરકાર બનાવશે. ગૃહમંત્રીના આ નિવેદનથી અકાલી દળ સાથે ગઠબંધનની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું. ગૃહમંત્રીએ વચન આપ્યું કે જો પંજાબમાં ભાજપ સરકાર બનશે તો 2 વર્ષમાં જ નશાને જડમૂળથી ઉખાડી ફેંકશે. આ ઉપરાંત, રેલીમાં આવતા પહેલા શાહે ટ્વીટ કરીને કહ્યું- પંજાબનો દરેક વ્યક્તિ પરિવર્તન ઈચ્છે છે. કારણ કે જવાનો, ખેડૂતો અને મહેનતુ લોકો માટે પ્રસિદ્ધ પંજાબની પવિત્ર ભૂમિને 'આપ-દા' સરકારે ભ્રષ્ટાચાર, ડ્રગ્સ અને અપરાધમાં ડુબાડી દીધી છે. રિમોટ કંટ્રોલવાળી 'આપ-દા' સરકારમાં પંજાબમાંથી કાયદો અને વ્યવસ્થા તથા વિકાસ ગાયબ છે. આજે મોગામાં પંજાબના બહેનો-ભાઈઓ સાથે સંવાદ કરવા ઉત્સુક છું. આમ આદમી પાર્ટી (AAP) સરકારના મંત્રી અમન અરોરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણા સવાલો કર્યા. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે 1600 કરોડ રૂપિયા વળતર આપવાનું વચન આપ્યું છે. ગૃહમંત્રી જણાવે કે શું તેઓ ચેક લઈને આવ્યા છે? અમિત શાહનું પંજાબીમાં ટ્વીટ… આ દરમિયાન ચર્ચા ચાલી કે પ્રખ્યાત પંજાબી ગાયક મનકીરત ઔલખ ભાજપમાં જોડાઈ શકે છે. ઔલખ હરિયાણાના રહેવાસી છે. જોકે, ઔલખે ભાજપમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. તેમણે રેલીમાં પરફોર્મ કર્યું. ગાયકે કહ્યું કે તેઓ તમામ પક્ષોમાં સામેલ છે. ‘અમે હોત તો કરતારપુર સાહિબ પંજાબમાં હોત’ અમતિ શાહે કહ્યું કે, 1984ના શીખ રમખાણો વિરુદ્ધ અમારી સરકારે 350 કેસ નોંધ્યા છે. કોંગ્રેસે એક પણ નેતાને જેલમાં નહોતા નાખ્યા. અમે ઘણા નેતાઓને જેલમાં નાખ્યા છે. રાહુલ બાબા, તમારા પિતાએ શીખ રમખાણો પર કહ્યું હતું કે જ્યારે મોટું ઝાડ પડે છે ત્યારે ધરતી હલે છે. દરેક શીખ રમખાણ પીડિત પરિવારને 5 લાખનું વળતર આપવાનું કામ અમારી સરકારે કર્યું છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી જે શીખ બચીને આવ્યા, તેમને નાગરિકતા આપવાનું કામ કર્યું. અફઘાનિસ્તાનમાં સ્થિતિ બગડી તો ગુરુ ગ્રંથ સાહિબના ત્રણ સ્વરૂપોને પૂરા સન્માન સાથે લાવવાનું કામ અમારા મોદી સાહેબે કર્યું. કરતારપુર કોરિડોર બનાવ્યો. તેમણે કહ્યું- હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે કરતારપુર સાહિબ કેટલું દૂર છે? જ્યારે ભાગલા થયા, જો ગુરુ સાહિબમાં શ્રદ્ધા હોત તો કરતારપુર સાહિબ આજે પંજાબમાં હોત. અમે તે સમયે હોત તો કરતારપુર સાહિબને જવા ન દેત. અમે મકાઈની પણ MSP પર ખરીદી કરી રહ્યા છીએ: અમિત શાહ અમિત શાહે કહ્યું- અમે નાફેડ (NAFED) ની વ્યવસ્થા કરી છે. જે ખેડૂત નાફેડ પર પાકના બીજ રજીસ્ટર કરશે, તેના તેલીબિયાં પાક MSP પર ખરીદીશું. અમે મકાઈની પણ MSP પર ખરીદી કરી રહ્યા છીએ. ખાતરનો ઉપયોગ ન કરીને અમે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું- મોદી સરકારે શીખ પંથ માટે ઘણા કામો કર્યા છે. એક વાત યાદ રાખવાની છે કે સાહિબજાદાઓના બલિદાન જેવું કોઈ બલિદાન નહોતું, પરંતુ તેને કોઈ યાદ કરતું નહોતું. મોદીએ તેને 'વીરબાલ' તરીકે સ્વીકૃતિ આપીને તેને સમગ્ર દેશમાં સન્માન આપ્યું છે. ‘અમે બજેટ વધારીને 1 લાખ 40 હજાર કરોડ કર્યું’ અમિત શાહે કહ્યું- કોંગ્રેસ સરકારના સમયે 22 હજાર કરોડનું બજેટ હતું. હવે 1 લાખ 40 હજાર કરોડનું બજેટ કર્યું છે. આ ભાજપની મોદી સરકારે કર્યું છે. દરેક ખેડૂતને વાર્ષિક 6 હજાર રૂપિયા મળી રહ્યા છે. 13 હજાર 50 કરોડ રૂપિયા ખેડૂત સન્માન રાશિ આપી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    Violence erupts near PM Modi’s Kolkata rally: Minister’s house attacked, workers injured in BJP-TMC faceoff
    Next Article
    કોલકાતા: PMની રેલી પહેલા ભાજપ-ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણ:સામ-સામે પથ્થરમારો કર્યો, પોલીસે ખદેડ્યા; મમતાના મંત્રીએ કહ્યું- મારા પર ઈંટથી હુમલો કર્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment