Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ‘સ્વરાકાર 2026’ સંગીત કાર્યક્રમ યોજાયો:પંડિત અમર ઓકે અને ગાયત્રી જોશી દ્વારા શાસ્ત્રીય સંગીતની મનમોહક રજૂઆત; સંગીતપ્રેમીઓનો ઉત્સાહભર્યો પ્રતિસાદ

    2 days ago

    ભરૂચ ખાતે સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશન દ્વારા ‘સ્વરાકાર 2026’ સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની મનમોહક રજૂઆતો કરવામાં આવી હતી, જેને સંગીતપ્રેમીઓનો ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમના પ્રથમ સત્રમાં પંડિત અમર ઓકેએ વાંસળી પર રાગ પૂરીયા ધનાશ્રી અને રાગ દુર્ગાની પ્રસ્તુતિ કરી હતી. તેમની સાથે તબલા પર અજિંક્ય જોશીએ સંગત આપી હતી, જેની શ્રોતાઓએ પ્રશંસા કરી હતી. બીજા સત્રમાં વિદુષી ગાયત્રી જોશીએ રાગ જોગ અને ભૈરવી ઠુમરીની ભાવસભર રજૂઆત કરી હતી. આ પ્રસ્તુતિમાં હાર્મોનિયમ પર આકાર સુરતી અને તબલા પર અજિંક્ય જોશીએ સંગત આપીને કાર્યક્રમની શોભા વધારી હતી. આ પ્રસંગે ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ વરિષ્ઠ સંગીતકાર સુકેતુ ઠાકરનું સન્માન કરવામાં આવ્યું હતું. સ્વરાકાર મ્યુઝિક ફાઉન્ડેશનના ડિરેક્ટર ડો. પલક કાપડિયા અને સ્વરાકાર ટીમે તેમને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંગીતરસિકો ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોની શ્રેષ્ઠ રજૂઆતને ઉત્સાહપૂર્વક વધાવી લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતના 10 વર્ષીય રિયાંશે અજય દેવગન સાથે ‘ધમાલ-4’માં ધૂમ મચાવી:બહેનને એક્ટિંગ શીખવતા શીખવતા સ્ટાર બન્યો, ફિલ્મમાં દરિયાઈ લૂંટારાઓનો ટ્વિસ્ટ, જુલાઈમાં રિલીઝ થશે
    Next Article
    Main Vaapas Aaunga Box Office Collection Day 5: Imtiaz Ali's Film Retains Hold At Rs 8.30 Crore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment