Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરી 2026ની પૂર્વ તૈયારી શરૂ:13 ટીમો દ્વારા ઘર નંબર આપવાની કામગીરી શરૂ, દરેક કર્મચારીને ઓળખપત્ર અપાયું

    4 days ago

    કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારની 2026ની વસ્તી ગણતરી માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કમિશનરના માર્ગદર્શન હેઠળ, મનપા વિસ્તારના દરેક મકાનોને નંબર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રાષ્ટ્રીય કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા કુલ 13 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા વસ્તી ગણતરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઘર નંબર આપવાનું કાર્ય શરૂ કરાયું છે. મહાનગરપાલિકાએ નગરજનોને આ કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે કામગીરી માટે આવનાર દરેક કર્મચારીને ઓળખપત્ર આપવામાં આવ્યું છે. આ ઓળખપત્ર કર્મચારીઓ દ્વારા સ્પષ્ટપણે દેખાય તે રીતે લગાવવામાં આવશે, જેથી નગરજનોને કોઈ શંકા ન રહે. આ કામગીરી ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી રાષ્ટ્રીય કવાયત હોવાથી, મહાનગરપાલિકાએ તમામ નગરજનોને આ પ્રક્રિયામાં સક્રિય સહયોગ આપવા વિનંતી કરી છે.
    Click here to Read More
    Previous Article
    કરમસદ-આણંદ મનપાએ દબાણ હટાવ્યું:5 દુકાનો અને 1 છાપરું દૂર કરાયા, ટીપી સ્કીમ 10ના પ્લોટ નં.260નો 177 ચો.મી. કબજો પરત મેળવ્યો
    Next Article
    હિંમતનગર ઘરફોડ ચોરીના બે આરોપી પકડાયા:LCBએ ₹6.72 લાખના ચાંદીના દાગીના જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment