Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતાના ગર્ભમાં જ મૃત્યુ પામેલા બાળકના પરિવારને વળતર ચૂકવવા હુકમ:2018માં સુરતમાં ટ્રેનમાં ચડતી સમયે મહિલાનું મોત નિપજ્યું હતું, ગુજરાતમાં રેલવે ઈતિહાસનો પ્રથમ કેસ

    8 hours ago

    સુરતના કીમ રેલવે સ્ટેશન પર માતાના ગર્ભમાં જ મોતને ભેટેલા બાળકના પરિવારને 8 લાખ રૂપિયાનું વળતર આપવાનો ચૂકાદો ગુજરાત હાઇકોર્ટે આપ્યો છે. ગુજરાતના ઇતિહાસમાં રેલવેમાં અકસ્માતમાં ગર્ભમાં રહેલા બાળકના મૃત્યુ બાદ વળતર ચુકવવાનો આ પ્રથમ કિસ્સો છે. જેમાં કોર્ટે અનબોર્ન ચાઇલ્ડના પિતાને 8 લાખ રૂપિયા 9 ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કર્યો છે. અગાઉ માતાના મૃત્યુ માટે રેલવે ટ્રિબ્યુનલે 8 લાખ રૂપિયા વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો. 2018માં કીમ રેલવે સ્ટેશન પર ગર્ભવતી મહિલાનું મોત નિપજ્યું હતું જાણીતા વકીલ નીતિન કાપડેએ જણાવ્યું હતું કે, 14 એપ્રિલ-2018ના રોજ મૂળ મધ્યપ્રદેશના ઉષાબેન તેમના પતિ જયપ્રકાશ ઘસીટાલાલ અને તેમના 2 સંબંધીઓ સાથે સુરતના કીમ રેલવે સ્ટેશનથી કાનપુર જવા માટે નિકળ્યા હતા. જયપ્રકાશ ઘસીટાલાલના કાકાના દીકરાના લગ્ન માટે તેઓ કાનપુર જઇ રહ્યા હતા. આ સમયે કીમ રેલવે સ્ટેશન પર મેમુ ટ્રેનમાં ચડવા ગયા હતા અને તે સમયે દુર્ઘટના થતાં ઉષાબેનનું મોત થયું હતું.આ સમયે તેમના પેટમાં 9 માસનો ગર્ભ હતો, આ બાળક પણ માતાના પેટમાં જ કચડાઇને મૃત્યું પામ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ પ્રસ્થાપિત થયું હતું. જેથી મૃતક મહિલાના પતિએ વેસ્ટર્ન રેલવે ટ્રીબ્યુનલે અમદાવાદમાં બે ક્લેઇમ કર્યાં હતા. રેલવે ટ્રીબ્યુનલે ફક્ત ફક્ત મહિલાના મોત બદલ વળતર મંજૂર કર્યું તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રેલવે ટ્રીબ્યુનલે માત્ર તેમની પત્નીને 8 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. જોકે, અનબોર્ન ચાઇલ્ડને વળતર ચુકવવામાં આવ્યું નહોતું. આ સમયે ગર્ભમાં જ મૃત્યું પામનાર બાળકને વળતર ન ચૂકવવા માટે એ કારણ આપ્યું હતું કે, અનબોર્ન ચાઇલ્ડ એ માણસમાં નથી આવતું. જો કે, હકીકત એ છે કે, 5 મહિનાનું ગર્ભ થઈ જાય પછી તે પછી તેને પર્સન કહેવામાં આવે છે. ટ્રીબ્યુનલના ચૂકાદા સામે પરિવારે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા તેઓએ કહ્યું હતું કે, વેસ્ટર્ન રેલવે ટ્રીબ્યુનલે ગર્ભમાં રહેલા બાળકને વળતરનો કેસ કાઢી નાખતા અમે ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. હાઇકોર્ટના જજ જે.સી.દોશીએ લેન્ડમાર્ક જજમેન્ટ આપ્યું અને ગર્ભને ઇન્ડેપેન્ડેન્ટ આઇડેન્ટીટી આપી અને અનબોર્ન ચાઇલ્ડને 8 લાખ રૂપિયાનું વળતર 9 ટકા વ્યાજ સાથે 3 અઠવાડિયામાં ચુકવવાનો આદેશ આપ્યો છે. ગુજરાતના રેલવે ઈતિહાસમાં અનબોર્ન ચાઈલ્ડને વળતરનો પ્રથમ કેસ તેઓએ ઉમર્યું હતું કે, આ કેસમાં પર્સન એ મહત્વનું છે. આ રાઇટ ઓફ પર્સન છે. જેથી હાઇકોર્ટે અમારા અસીલની ફેવરમાં ચુકાદો આપ્યો છે. ગુજરાતના રેલવેના ઇતિહાસનો પ્રથમ કેસ છે. રેલવેમાં થયેલા અકસ્માતમાં ગર્ભમાં રહેલું બાળક મૃત્યુ થયું તેમાં પ્રથમ વખત વળતર ચુકવવામાં આવ્યું છે. જો કે, મોટર વ્હીકલ એક્ટમાં ગુજરાતમાં વળતર ચુકવવાના આદેશ અગાઉ થયેલા છે. પરંતુ રેલવેમાં આ ચુકાદો પ્રથમ છે.
    Click here to Read More
    Previous Article
    વિજયને કમલ હાસન અને પ્રકાશ રાજે અભિનંદન પાઠવ્યા:અભિનેત્રી તૃષા શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહી, થલાપતિની માતા અને બહેનને ભેટી
    Next Article
    રાજસ્થાનથી ઇંગ્લિશ દારૂની ભાવનગરમાં ડિલિવરી:સૂટકેસમાં દારૂ છુપાવી આડોડીયાવાસના બુટલેગરને આપવા આવેલા બે શખસ ઝડપાયા, 131 બોટલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment