Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ગો થયા બિસ્માર:નવસારીમાં ડ્રેનેજ-પાણીની લાઇનના‎ખોદકામથી 15થી વધુ માર્ગો બદતર‎

    1 week ago

    નવસારી શહેરમાં હજુ પણ 15થી વધુ નાના મોટા માર્ગો બિસ્માર રહેતા હજારો લોકો હેરાન થઈ રહ્યાં છે. જીયુડીસીની ડ્રેનેજ, પાણીની લાઈનોના કામને કારણે સ્થિતિ નિર્માણ થઈ છે. આમ તો ચોમાસુ, દિવાળી વીત્યા બાદ જ શહેરમાં માર્ગોના નવિનીકરણનું કામ શરૂ કરી દેવાયું હતું, જેના કારણે જાન્યુઆરી અંત ફેબ્રુઆરી મધ્ય સુધીમાં જ નાના મોટા 200થી વધુ માર્ગોનું નવિનીકરણ કરી દેવાયું હતું. જોકે હજુ ય શહેરમાં કેટલાક માર્ગો ખોદાયેલ અને બિસ્માર હાલતમાં જોવા મળે છે,જેના કારણે રોડ પરથી પસાર થતા હજારો લોકો હેરાન થઈ રહ્યા છે. આમ તો મુખ્ય માર્ગ તો 5થી 6 ખરાબ છે પણ નાના માર્ગ સાથે કુલ સંખ્યા 15 થી વધુ છે. આ અંગે મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ એજન્સી (જીયુડીસી) ના ડ્રેનેજ અને પાણીની લાઇન નાંખવાના કરોડો રૂપિયાના કામો ચાલી રહ્યા છે, જેના કારણે ભૂગર્ભ લાઇન નાંખવા માર્ગો ખોદી નાંખવામાં આવ્યા છે. મનપાના આઇકોનિક માર્ગ પ્રોજેક્ટના કારણે પણ એક કે બે માર્ગ ખોદાયેલ જોવા મળે છે. આ બાબતે હવે મનપાએ પણ કડક વલણ દાખવ્યું છે. કેટલાક રોડમાં બેઝ કામ શરૂ.. જે માર્ગોની હાલત ડ્રેનેજ, પાણીની લાઇન નાંખવા ખોદકામના કારણે બગડી તેમાં તમામ માર્ગોમાં નવિનીકરણ માટે શરૂઆત જ થઇ નથી એવું પણ નથી. કેટલાક માર્ગો સુધારવા બેઝ વર્ક પ્રાથમિક કામ શરૂ થયાનું જાણવા મળે છે. જોકે મુખ્ય કામ ડામર કામ છે તે આગામી દિવસોમાં ડ્રેનેજ, પાણીની લાઇન વગેરેનું સંપૂર્ણ બંધ થઈ જાય પછી શરૂ થશે એમ જાણવા મળે છે. આગામી દિવસોમાં રોડ નવિનીકરણને વેગ મળશે એ નક્કી છે. આ માર્ગોની હાલત ખરાબ.. ઘેલખડી, મિથિલાનગરી, કબીલપોર વિસ્તાર, ગ્રીડ સુપ્રીમ નજીકનો માર્ગ, છાપરા ગામ વિસ્તાર, વિજલપોર આશાપુરી માર્ગ, જલાલપોરના કેટલાક માર્ગ, ઇટાળવા તીઘરા માર્ગ તથા અન્ય નાના આંતરિક માર્ગ. આ માર્ગોમાં 5થી 6 માર્ગ શહેરના મુખ્ય માર્ગો પણ છે. 15 એપ્રિલ સુધીમાં રોડ કામ પૂરા કરવાનું આયોજન કેટલાક માર્ગો જીયુડીસીના કામ, આઇકોનિક રોડ પ્રોજેક્ટના કારણે ખરાબ થયા છે, તેમાં કેટલાક માર્ગો તો બનાવવાનું કામ શરૂ પણ કરી દેવાયું છે. 15 એપ્રિલ સુધીમાં માર્ગો રિસરફેસ કરી દેવાનું પ્લાનિંગ છે. જીયુડીસીને પણ કામ કરવા સંલગ્ન સૂચના આપી દેવાઈ છે. જેથી આગામી દિવસોમાં રોડનું કામ પુરુ કરી શકાય. > દેવ ચૌધરી, કમિશનર, નવસારી મહાનગરપાલિકા.
    Click here to Read More
    Previous Article
    કોમર્શિયલ સિલિન્ડરની પળોજળ:કોમર્શિયલ સિલિન્ડર નહીં મળે તો હવે મેનુમાં 15% ભાવ વધવાની શક્યતા
    Next Article
    કબીલપોરમાં તસ્કરોનો આતંક:એક જ રાતમાં 7 બંધ મકાનો અને‎ દુકાનોના તાળા તોડી તસ્કરો ફરાર‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment