Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણી પૂર્વે કડવા પાટીદારોનું શક્તિ પ્રદર્શન:માઁ ઉમિયાની શોભાયાત્રામાં ટુ-વ્હીલર, કાર, બગી, જીપ્સી, ઘોડાગાડી સાથે 2000 લોકો જોડાયા

    6 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટમાં સિદસર ઉમિયાધામ દ્વારા જગત જનની માઁ ઉમિયાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે એક પ્રકારનું શક્તિ પ્રદર્શન હતુ. જેમાં ટુ વ્હીલર, કાર, બગી, જીપ્સી, ઘોડાગાડી સાથે 2000 જેટલા કડવા પાટીદારો જોડાયા હતા. ઢોલ-નગારા અને બેન્ડના તાલે ધાર્મિક ગીતો ગૂંજ્યા હતા. સોમનાથ મંદિર સહિતના જ્યોર્તિલિંગના ફ્લોટ્સે આકર્ષણ જમાવ્યું હતું તો નંદી આકારના માઁ ઉમિયાના મુખ્ય રથ પર ડ્રોનથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને મહિલાઓ જોડાઈ હતી. ઈશ્વરીયામાં રૂ.125 કરોડના ખર્ચે નિર્માણ પામનારા જીવન વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલના ખાતમુહૂર્તના ભાગરૂપે આ શોભાયાત્રા નીકળી હતી. અમે શક્તિ પ્રદર્શન માટે નહીં પરંતુ શક્તિના દર્શન કરાવવા માટે રાજકોટના આંગણે આવ્યા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે સિદસર ઉમિયાધામ દ્વારા રાજકોટમાં જગત જનની માઁ ઉમિયાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી ત્યારે આ શક્તિ પ્રદર્શન છે કે શું? એવું પૂછવામાં આવતા મૌલેશ ઉકાણીએ જણાવ્યું હતું કે, આમાં શબ્દોનો થોડો ફેરફાર કરવાની જરૂર છે. અમે શક્તિ પ્રદર્શન માટે નહીં પરંતુ શક્તિના દર્શન કરાવવા માટે રાજકોટના આંગણે આવ્યા છીએ. રાજકોટના રાજમાર્ગો ઉપર લોકો માં ઉમિયા અને જગદંબા ના દર્શન કરી શકે તે માટે આ યાત્રા નીકળી રહી છે. 21થી 25 માર્ચ સુધી અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટના ત્રીજા રિંગ રોડ ઉપર ઇશ્વરીયામાં સિદસર ઉમિયાધામ દ્વારા રૂ.125 કરોડના ખર્ચે વિશાળ અને આધુનિક શૈક્ષણિક સંકુલનું નિર્માણ થઈ રહ્યુ છે. જેના ભાગરૂપે 21થી 25 માર્ચ સુધી અલગ-અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 25 કુંડી યજ્ઞ તેમજ સમૂહ ભોજનનું આયોજન થયું છે. જેમાં 30000 પરિવાર ભોજન લેશે. જે બાદ શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. બહુમાળી ભવન પાસે રેસકોર્સ મેદાનમાં રમેશભાઈ પારેખ રંગમંચ ખાતેથી આ યાત્રા શરૂ થઈ હતી. જે યાત્રા જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, મહિલા કોલેજ, સ્વામિનારાયણ ચોકથી બાન લેબ, અમીન માર્ગ, નાનામવા ગ્રાઉન્ડથી આંબેડકર ચોક થઈ મવડીમાં શ્રીનાથધામ હવેલી ખાતે સમાપન થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    યુવતીનો વોટ્સએપમાં છેલ્લો મેસેજ 'હું મરી જઈશ':પ્રેમીએ કહ્યું- 'મરવાનું તો તારે જ છે, આજે મરે કે કાલે, હું તો 10-20 રૂપિયા આપી છૂટી જઈશ'; સુરતમાં પરિણીતાનો આપઘાત
    Next Article
    યુવતીએ FB પર સંપર્ક કરીને 70 વર્ષના વકીલને ફસાવ્યા:લગ્ન કરીને ઇટાલીમાં સેટલ થવાની લાલચ આપીને 58 લાખની છેતરપિંડી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment