Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરમીથી રક્ષમ માટે આધુનિક ડોમનું કરાયું નિર્માણ:પંચકોશી પરિક્રમાના તમામ ઘાટો પર 200 લોકો આરામ કરી શકે તેવા ડોમ

    1 week ago

    આજથી નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થશે. ચાલુ વર્ષે 15 લાખ કરતાં વધારે પરિક્રમાવાસીઓ આવે તેવો અંદાજ છે. કાળઝાળ ગરમી પડી રહી હોવાથી આ વખતે ચારેય ઘાટ ખાતે 200 લોકો આરામ કરી શકે તેવા આધુનિક ડોમ બનાવવામાં આવ્યાં છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના માર્ગમાં રામપુરા, શહેરાવ તિલકવાડા અને રેંગણ ઘાટ આવેલા છે. આ તમામ ઘાટ પર યાત્રાળુઓ માટે ડોમ, ખુરશી, ગાદલા, બેરીકેડિંગ, લાઇટિંગ, ટૉયલેટ બ્લૉક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ, પીવાના પાણીની સુવિધા, ડી. જી. સેટ, સાઇનબોર્ડ્સ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ, કીડી-મંકોડી ઘાટથી નર્મદા પરિક્રમાનો તા.19મી માર્ચથી પ્રારંભ થશે. આ પરિક્રમા એક મહિના સુધી એટલે કે તા.17મી એપ્રિલ સુધી ચાલશે. આ 21 કિમીની યાત્રાના પ્રારંભ પૂર્વે કલેક્ટર એસ. કે. મોદીએ રામપુરા ઘાટ ખાતે પહોંચીને શ્રદ્ધાળુઓ માટે ઊભી કરવામાં આવેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. બોટ માટે જેટી, ડોમ, બેરીકેટિંગ, આરોગ્ય અને પાણીની સુવિધા, સાવચેતી તથા દિશા સૂચક બોર્ડ સહિત બીજી ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ નિહાળીને અમલીકરણ અધિકારીઓ તથા એજન્સીના પ્રતિનિધિઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ કરીને બોટમાંથી ઉતરી ઘાટ ખાતે પરિક્રમાર્થીઓ એક સાથે 400-500ની સંખ્યામાં હોય ત્યારે કોઈ મુશ્કેલી ન સર્જાય, કોઈ વીવીઆઈપી અથવા મહાનુભાવો પરિક્રમા અર્થે આવે તેવા સંજોગોમાં ફરજ પરના અધિકારી-કર્મીઓ પુરતી કાળજી રાખે, પરિક્રમાર્થીઓને ક્યાંય કોઈ તકલીફ ન પડે, યાત્રા સુચારૂં રીતે પ્રારંભ થાય અને એક મહિના સુધી ચાલનારી આ યાત્રામાં અધિકારી-કર્મીઓ સૌએ પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા પણ સૂચના આપી હતી. નર્મદાની પંચકોશી પરિક્રમામાં આવતાં પરિક્રમાવાસીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે.
    Click here to Read More
    Previous Article
    આરોપીઓની ધરપકડ કરાઈ:વલસાડમાં 10.90 લાખના સાયબર ફ્રોડમાં 2 ઝડપાયા
    Next Article
    બોર્ડની પરીક્ષાની પૂર્ણાહૂતિ થઈ:ધોરણ-12 સા. પ્ર. ઈતિહાસ વિષયના તમામ 81 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment