Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજમેરમાં 200-ફૂટ ઊંડી ખીણમાં બસ ખાબકી, બે મહિલાના મોત:31 મુસાફરો ઘાયલ, કપડાંમાંથી દોરડું બનાવીને ઘાયલોને બહાર કાઢ્યા; ડ્રાઈવર કૂદીને ફરાર

    14 hours ago

    અજમેરમાં મુસાફરોથી ભરેલી બસ 200 ફૂટ નીચે ખીણમાં ખાબકી. અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા. 31 લોકો ઘાયલ થયા. પુષ્કર જઈ રહેલી બસમાં 33 લોકો સવાર હતા. તેઓ પીસાંગણ (અજમેર)માં મામેરુ ભરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પુષ્કર ઘાટીમાં બસ બેકાબૂ થઈ ગઈ. અકસ્માત પુષ્કરથી લગભગ 3 કિલોમીટર પહેલા રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે થયો. ઘટનાસ્થળેથી પસાર થઈ રહેલા લોકોએ કપડાંમાંથી દોરડું બનાવી ઘાયલોને ખીણમાંથી બહાર કાઢ્યા. તમામ મુસાફરોને પહેલા પુષ્કરની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી તેમને અજમેરની જેએલએન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. અકસ્માત બાદ પુષ્કર ઘાટીમાં લાંબો જામ થયો હતો. પહેલા જુઓ, અકસ્માત સંબંધિત 3 PHOTOS… 200 ફૂટ નીચે વૃક્ષો અને ઝાડીઓમાં ફસાયેલી બસ સીઓ ગ્રામીણ રામચંદ્ર ચૌધરીએ જણાવ્યું- અજમેરથી પુષ્કર તરફ જતી વખતે સાંજીસરથી થોડે આગળ આ અકસ્માત થયો હતો. બસ અચાનક મેઈન રોડ પરથી ખીણમાં ઉતરી ગઈ. લગભગ 200 ફૂટ નીચે આવીને ઝાડીઓમાં ફસાઈ ગઈ. લોકોની મદદથી 33 મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમાંથી પૂજા (28) પત્ની વિજય સિંહ ગુર્જર અને વિમલા દેવી (50) પત્ની ઓમ પ્રકાશ ગુર્જરનું મૃત્યુ થયું. બંને અજમેરના રહેવાસી હતા. જ્યારે એક ઘાયલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ડ્રાઈવરની શોધખોળ ચાલી રહી છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અન્ય તસવીરો જુઓ… ડ્રાઈવર કૂદી પડ્યો અને ભાગી ગયો અજમેરમાં બચાવ કામગીરી હાથ ધરનાર કોબ્રા ટીમના સુખદેવ ભટ્ટે જણાવ્યું હતું કે બસ ખીણમાં પડી હોવાની માહિતી મળ્યા બાદ અમે ત્યાં પહોંચ્યા હતા. એક મહિલાએ અમને જણાવ્યું હતું કે બસ પડી તે પહેલાં ડ્રાઈવર કૂદી પડ્યો અને ભાગી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    દાવો- I-PACએ બંગાળમાં 20 દિવસ સુધી કામ બંધ કર્યુ:આ કંપની મમતા બેનર્જીનું ચૂંટણી મેનેજમેન્ટ સંભાળે છે; TMCએ કહ્યું- આ ખોટુ છે
    Next Article
    ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ:ભાવનગરમાં અક્ષય તૃતીયાએ રથ પૂજન અને ધ્વજારોહણ, ધાર્મિક વિધિ મહંતના હસ્તે સંપન્ન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment