Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમે નાના હતાં ત્યારથી જેતલપુર પૂનમ ભરવા આવતા: જગદીશ વિશ્વકર્મા:સ્વામિનારાયણ જેતલપુરધામના રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના 200 વર્ષ નિમિત્તે કાર્યક્રમનો છઠ્ઠો દિવસ

    1 day ago

    ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વહસ્તે જે નવ મંદિરો નિર્માણ કર્યા તેમાંનાં પાંચમાં જેતલપુરધામમાં રેવતીબળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણપ્રતિષ્ઠા કરી તેને આગામી વિ. સ. 2082 ફાગણવદ આઠમ તા. 11-03-2026ના શુભમંગલ દિવસે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. તેના ભાગરુપે નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી ભાવી આચાર્ય પ.પૂ.108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના અધ્યક્ષ પદે દ્વિશતાબ્દી પાટોત્સવની તા.05 માર્ચથી તા.11 માર્ચ સુધી ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આયોજિત ભવ્ય કાર્યક્રમ “અવસર”નાછઠ્ઠા દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યાં હતાં. આ પાવન પ્રસંગે હજારો હરિ ભક્તોને સંબોધન કરતાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમે નાના હતાં ત્યારથી જેતલપુર પૂનમ ભરવા આવતા અને ક્યારેય વિચાર્યું ન હતું કે ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ મળશે. જેતલપુરધામનો 200 વર્ષનો ઈતિહાસ નાનો નથી. તેમણે ઉમેર્યું હતું કે, અહીં જે કામ થઇ રહ્યું છે, તેના પગલે-પગલે અમે ચાલીએ છીએ અને સનાતન ધર્મનો પ્રચાર થઇ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ભાવ વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે, મંદિર સાથે સંપર્ક રહેશે તો તમે જીવંત રહેશે. આપણે બધાએ મંદિર સાથે જોડાણ રાખવાનું છે.આજના ટેક્નોલોજી અને એઆઇના યુગમાં આપણા દીકરા-દીકરીઓનું મંદિર સાથે કનેક્શન નબળું પડશે તો જીવનનું એક અગત્યનું કાગળ ઉખડીને ક્યાંક પડી ગયું હોય તેવો અહેસાસ થશે. તેમણે જણાવ્યું હતું કે, જેતલપુર નગરની આ આધ્યાાત્મિકતાની ભૂમિ ઉપર સ્વચ્છતા, પર્યાવરણ શુદ્ધિ, અંતરિક્ષ વિજ્ઞાનની નગરી, ઓપરેશન સિંદૂરની પ્રદર્શની, બાળ નગરી, રક્તદાન શિબિર, જ્ઞાનવર્ધક મંચ, અને વ્યસન મુક્તિ સંબંધિત પ્રદર્શની ઉભી કરાઇ છે. તેનાથી અહીં મુલાકાત લેતાં દરેક વ્યક્તિ ઘણું ગ્રહણ કરીને જાય છે. આ પ્રસંગે મેઘમણી પરિવારના નટુભાઈ પટેલ, સ્માર્ટ મીટર્સ ટેકનોલોજીસના રાકેશભાઈ શાહ, ગુજકોમાસોલનાં ચેરમેન બિપિનભાઈ પટેલ, રીટાયર્ડ ચીફ જસ્ટીસ ગુજરાત રાજ્ય શ્રી એ. એલ. દવે જેવા મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    ટંકારામાં 26.04 લાખનો ચોરીનો મુદ્દામાલ મૂળ માલિકને પરત:કલ્યાણપર ગામેથી ચોરાયેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સુપ્રત કરાઈ
    Next Article
    વેરાવળ બંદરે ફિશિંગ બોટમાં આગ લાગી:આગની જ્વાળાઓ અને ધુમાડો ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો, બોટ બળીને ખાખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment