Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખતર ખાતે સરાઉન્ડિંગ રોડનું કામ અટકતા ચાલકો, રહીશો પરેશાન‎:20 દિવસથી કાદેસર તળાવ જવાના રસ્તે મેટલ પાથરી કામ બંધ કરી દીધું

    6 days ago

    લખતર શહેરમાં સરાઉન્ડિંગ રોડના કામમાં ફરી એકવાર બેદરકારી સામે આવી રહી છે. છેલ્લા 20 દિવસથી ઉગમણા દરવાજા બહારથી કાદેસર તળાવ જવાના રસ્તે રોડનું કામ સંપૂર્ણ રીતે બંધ પડી ગયું છે. જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. રોડ ઉપર મેટલ પથરાયેલ હાલતમાં જ છોડી દેવામાં આવ્યો છે. આ રોડનું કામ અગાઉ પણ અનેક વખત અધૂરું રહી ગયું છે અને વારંવાર કામ બંધ થવાને કારણે લોકોમાં રોષ વ્યાપ્યો છે.ધૂળ, ખાડા અને બિસમાર રસ્તાના કારણે આરોગ્ય અને સલામતી બંને પર અસર પડી રહી છે. રહીશોએ માંગ કરી છે કે જવાબદાર તંત્ર તાત્કાલિક કામગીરી શરૂ કરાવે અને રોડનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. સાથે જ નેતાઓએ પણ માત્ર કામ શરૂ કરાવવા નહીં પરંતુ સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે આગળ આવવાની જરૂર છે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ભાસ્કર ફર્સ્ટ પર્સન‎ - ગટરની લાઈન વારંવાર તૂટતી હોવાથી કામ બંધ છે નાયબ કાર્યપાલક ઈજનેર અમિત ચંદ્રાસણે કહ્યું હતું કે, આ રોડ પરથી પસાર થતી પીવાના પાણીની તથા અંડર ગ્રાઉન્ડ ગટરની લાઈન ઓછી ઊંડાઈએ નાંખેલી છે. જેને કારણે અહીં અવાર નવાર લાઇન તૂટતી હોઈ કામ બંધ રાખવું પડે છે.
    Click here to Read More
    Previous Article
    સન્ડે ફોટો સ્ટોરી:કમાટીબાગમાં વિશ્વામિત્રીના કિનારે ભૂસ્ખલન બાદ આખરે 200 મીટર લાંબી અને 10 મીટર ઊંચી રિટેઇનિંગ વોલનું નિર્માણ શરૂ
    Next Article
    દુર્ગંધથી રોગચાળાનો ભય:વઢવાણમાં 10 દિવસમાં 25 ભૂંડના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment