Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મિલેટ મહોત્સવ સંપન્ન, શહેરીજનોનો સારો પ્રતિસાદ:20થી વધુ સ્ટોલ્સે 'શ્રી અન્ન' અને પ્રાકૃતિક પેદાશો રજૂ કરી

    3 days ago

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત ઐતિહાસિક હવા મહેલ ખાતે આયોજિત બે દિવસીય 'મિલેટ મહોત્સવ' અને 'પ્રાકૃતિક ફાર્મર માર્કેટ'નું ગતરોજ સફળતાપૂર્વક સમાપન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘મિલેટ મિશન’ને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના હેતુથી આયોજિત આ મેળાને શહેરીજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. આ મહોત્સવમાં 20થી વધુ સ્ટોલ્સ દ્વારા ‘શ્રી અન્ન’ અને ઝેરમુક્ત ખેત પેદાશો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉત્પાદનોની ખરીદી માટે નાગરિકોનો પ્રવાહ જોવા મળ્યો, જેનાથી ખેડૂતો અને મહિલા સખી મંડળોમાં ઉત્સાહ વધ્યો. ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ સીધા ખેતરથી ગ્રાહક સુધીની કડી જોડી. સિદ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મ-ચુડા, હિંગળાજ પ્રાકૃતિક ફાર્મ-ચોટીલા અને શક્તિ-માધર પ્રાકૃતિક ફાર્મ જેવા વિવિધ સ્ટોલ્સ પરથી બાજરી, જુવાર અને રાગી જેવા મિલેટ પાકોનું વેચાણ થયું. સુરતની એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે જોડાયેલા વિશ્વાબેન ગામીતના રાગી ઉત્પાદનો અને ‘અનુબંધ’ સંસ્થા દ્વારા પીરસવામાં આવેલી મિલેટ ખીચડીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું. આ પ્રદર્શનમાં બાજરી, જુવાર અને રાગી જેવા પૌષ્ટિક મિલેટ્સ મુખ્ય આકર્ષણ રહ્યા. મુલાકાતીઓએ માત્ર અનાજ જ નહીં, પરંતુ મિલેટ્સના મૂલ્યવર્ધિત ઉત્પાદનોમાં પણ રસ દાખવ્યો. ખેતીવાડી અને આત્મા વિભાગ દ્વારા મિલેટ્સના પૌષ્ટિક ગુણો વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા. મુલાકાતીઓએ જંક ફૂડના બદલે રાગીના લાડુ, પાપડ અને મિલેટ ખીચડી જેવા વિકલ્પો સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોવાનું સ્વીકાર્યું. મિલેટ મહોત્સવની સાથે યોજાયેલા પ્રાકૃતિક ખેત બજારમાં રાસાયણિક ખાતર વગર પકવવામાં આવેલા શાકભાજી, ફળો અને મસાલાઓનું મોટા પાયે વેચાણ થયું. જિલ્લાના ખેડૂતો દ્વારા સ્ટોલ્સ પર પ્રદર્શિત કરાયેલ મધ, હળદર અને તાજા શાકભાજી ગ્રાહકોએ ખરીદ્યા. આ માધ્યમથી ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ અને ગ્રાહકોને વ્યાજબી દરે ગુણવત્તાયુક્ત આહાર મળ્યો. આ મહોત્સવ માત્ર વેપાર પૂરતો મર્યાદિત ન રહેતા એક સાંસ્કૃતિક ઉત્સવ પણ બની રહ્યો. બે દિવસ દરમિયાન બાળકો માટેના પ્લે એરિયા અને રાત્રિના સમયે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું. હુડો રાસ, પઢાર નૃત્ય, ગરબો અને લોકસાહિત્યની રમઝટે ઝાલાવાડની સંસ્કૃતિને જીવંત કરી. આ સાથે જ, મહિલા સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલ ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ અને હસ્તકલાના નમૂનાઓને પણ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું. આમ, મુખ્યમંત્રીના ‘મિલેટ મિશન’ અને ‘મેદસ્વિતામુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં આ મહોત્સવ મહત્વપૂર્ણ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં તળાવમાં નહાવા ગયેલા 4 યુવાન ડૂબ્યા, એકનું મોત:બે યુવાનનો બચાવ ને એક ગુમ, કીચડમાં ફસાયો હોવાની આશંકા; નર્મદા પરિક્રમા કરવા આવેલો સુરેન્દ્રનગરનો યુવક તણાયો
    Next Article
    25મીએ આ વિસ્તારોમાં અડધો દિવસનો પાણી કાપ:બુધેલથી તરસમિયા આવતી મહીપરીએજની પાણીની લાઈનમાં લીકેજ, લાઈનનું રીપેરીંગ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment