Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાયગઢના વૈજનાથ મહાદેવને રાંધણ છઠે રંગોળીનો શણગાર:20 કિલો કલરનો ઉપયોગ કરી કરાયો વિશેષ શણગાર

    11 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસને કારણે શિવભક્તોમાં ભક્તિનો માહોલ છે. જિલ્લાના અલગ અલગ શિવ મંદિરોમાં દરરોજ સાંજે ભગવાન શિવને જાતજાતના શણગાર કરવામાં આવે છે. આ દરમિયાન હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં આવેલા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે રાંધણ છઠના દિવસે ખાસ શણગાર કરાયો હતો. વૈજનાથ મહાદેવને ઓમભા રાઠોડે રંગોળીના ઘણા રંગો વાપરીને આ ખાસ શણગાર કર્યો હતો. આ શણગારમાં સફેદ, પીળા અને કથ્થાઈ જેવા અલગ અલગ રંગોનો ઉપયોગ થયો હતો. શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના અર્પિત શુક્લાએ ફોન પર વાત કરતા જણાવ્યું કે, બુધવારે રાંધણ છઠના દિવસે લગભગ 20 કિલો રંગોળીના રંગો વાપરીને રંગોળી કરવામાં આવી હતી. આ રીતે વૈજનાથ મહાદેવનો વિશેષ શણગાર કરાયો હતો. રાંધણ છઠના પવિત્ર દિવસે કરાયેલા આ અનોખા શણગારના દર્શન કરવા માટે ઘણા ભક્તો મંદિરે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    OBC અનામતે મનપાના સમીકરણો બદલ્યા:પ્રાથમિક મતદારયાદીની જાહેરાત સાથે 23 હજાર મતદારો ઘટ્યાને 10 બુથ વધ્યા, 12 બેઠકો અનામત થતાં રાજકીય ચહેરા બદલાશે
    Next Article
    કડીના ખેરપુરમાં બંધ મકાનમાંથી લાખોની ચોરી:તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 1.31 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment