Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોટેલ અને રેસ્ટોરાં સંચાલકોને રાહત:કમર્શિયલ ગેસ સપ્લાયમાં 20% વધારો

    1 week ago

    ઈરાન- અમેરિકા- ઈઝરાયલ યુદ્ધને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા રાજ્યના હોટેલ, ઢાબા અને રેસ્ટોરાં સંચાલકો માટે સારા સમાચાર છે. રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબળે રવિવારે માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારના નિર્દેશો મુજબ કમર્શિયલ ગેસના પુરવઠામાં 20 ટકાનો વધારો કરવામાં આવશે. આનાથી નાના હોટેલિયરોને મોટી રાહત મળશે.અખાતી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સરકારે કમર્શિયલ ગેસના પુરવઠા પર પ્રતિબંધ મૂક્યો હતો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા 21 માર્ચે જારી કરાયેલા જાહેરનામા મુજબ, અગાઉ રાજ્ય માટે ફક્ત 30 ટકા એલપીજી ફાળવણીને મંજૂરી આપવામાં આવી હતી. હવે, 23 માર્ચથી આગામી આદેશો સુધી, ફાળવણીમાં વધારાનો 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે, રાજ્યમાં કુલ ગેસ પુરવઠો કટોકટી પહેલાના સ્તરના 50 ટકા સુધી પહોંચી જશે. આ વધારાના 20 ટકા ગેસ પુરવઠામાં, હોટેલ, ઢાબા, રેસ્ટોરાં, ઔદ્યોગિક કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો અને ડેરી ઉદ્યોગોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપરાંત, રાજ્ય સરકાર અથવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત સબસિડીવાળી કેન્ટીન, કમ્યુનિટી કિચન તેમ જ સ્થળાંતરિત મજૂરો માટે અમલમાં મુકાયેલી યોજનાઓને પણ આ નિર્ણયનો લાભ મળશે. "આ નિર્ણયથી હોટેલ અને ખાદ્યના વેપારીઓને મોટી રાહત મળશે જેઓ કમર્શિયલ એલપીજીની અછતને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ ગેસ મેળવવા માટે, તેમણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓમાં નોંધણી કરાવવી પડશે અને પીએનજી કનેક્શન માટે અરજી કરવી પડશે,” એમ છગન ભુજબળે જણાવ્યું. કેરોસીન વિતરણ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો બીજી તરફ, સરકારે રાજ્યમાં કેરોસીનના વિતરણ અંગે પણ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. તે મુજબ, બાકી રહેલાં લાઇસન્સ આપમેળે રિન્યુ થયા હોવાનું માનવામાં આવશે. આ માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. ઉપરાંત વારસદારોના નામે લાઇસન્સ તાત્કાલિક ટ્રાન્સફર કરવા પણ સૂચના આપવામાં આવી છે. જે ગામડાંઓમાં છૂટક કેરોસીન લાઇસન્સ ઉપલબ્ધ નથી, ત્યાં વાજબી ભાવની દુકાનો ચલાવતા દુકાનદારોને છૂટક કેરોસીન લાઇસન્સ તરીકે ઓળખવા અને લાઇસન્સ આપવા સૂચના આપવામાં આવી છે. સરકારે 20 માર્ચે જારી કરેલા એક સરકારી પરિપત્રમાં તમામ જિલ્લા કલેક્ટરોને આ સંદર્ભે કાર્યવાહી કરવા સૂચના પણ આપી છે. આ બધા નિર્ણયોથી રાજ્યમાં ઇંધણ પુરવઠામાં ઝડપી વધારો થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    15 જણ વિરુદ્ધ ખંડણીનો ગુનો દાખલ કરાયો:પાલઘરમાં કંપનીની દીવાલનું નિર્માણ રોકી ખંડણીની માગણી
    Next Article
    મધ્ય રેલવેનો ટ્રેનવ્યવહાર બે કલાક સુધી ખોરવાયો:કલ્યાણમા ઓવરહેડના થાંભલા પર ચઢેલા યુવાનને હાઈવોલ્ટેજ શૉક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment