Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ:20થી વધુ સ્ટોલ્સ દ્વારા મિલેટ વાનગીઓ અને ઉત્પાદનોનું પ્રદર્શન

    5 days ago

    સુરેન્દ્રનગર ખાતે બે દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું આયોજન કરવામાં આવ્યું છે. ખેતીવાડી વિભાગ અને ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટ દ્વારા નાગરિકોને પ્રાકૃતિક કૃષિ અને ‘શ્રી અન્ન’ વિશે વિસ્તૃત માહિતી આપવા માટે વિશેષ સ્ટોલ પ્રદર્શિત કરાયા છે. આ પ્રદર્શનમાં સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અંગે માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લો બાજરી અને જુવાર જેવા મિલેટ પાકોના વાવેતર માટે કુદરતી રીતે અનુકૂળતા ધરાવે છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવાનો છે. મેળામાં અંદાજે 20 જેટલા સ્ટોલ્સ ઊભા કરાયા છે, જ્યાં ખેડૂતોના સીધા ખેત-ઉત્પાદનોથી લઈને મિલેટમાંથી તૈયાર થયેલી મૂલ્યવર્ધિત ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. મિલેટ પાકોના પૌષ્ટિક મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે ઉમેર્યું કે, આધુનિક જીવનશૈલીમાં ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા શારીરિક પ્રશ્નો વધી રહ્યા છે, ત્યારે મિલેટ એક સુરક્ષા કવચ સમાન છે. મિલેટ પાકો એન્ટી-ઓક્સિડન્ટ તત્વોની સાથે ઝિંક અને આયર્ન જેવા સૂક્ષ્મ પોષકતત્વોથી ભરપૂર હોય છે, જે માનવ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર વધારો કરે છે. આ મેળામાં માત્ર કાચા અનાજનું જ નહીં, પરંતુ લોકોમાં રુચિ કેળવાય તે હેતુથી રાગીના ઢોકળા અને મિલેટની ખીચડી જેવી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વાનગીઓનો ફૂડ કોર્ટ પણ કાર્યરત છે. આવા નવતર પ્રયોગોથી શહેરીજનોમાં દૈનિક ખોરાકમાં મિલેટનો સમાવેશ કરવા પ્રત્યે સભાનતા આવશે અને તેઓ જંક ફૂડના બદલે પૌષ્ટિક આહાર તરફ વળશે. ખેડૂતોને સંદેશ આપતા ભરતભાઈ પટેલે કહ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસ જેવા રોકડિયા પાકોનું ચલણ હોવા છતાં, મિલેટ જેવા પાકો ઓછા ખર્ચે અને પ્રાકૃતિક ખેતી દ્વારા વધુ કાર્યક્ષમ રીતે લઈ શકાય છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ ખેડૂતો હવે ઝેરમુક્ત ખેતી તરફ વળી રહ્યા છે, જે જમીનની ફળદ્રુપતા અને ગ્રાહકના સ્વાસ્થ્ય બંને માટે હિતાવહ છે. આ મેળા દ્વારા ખેડૂતોને પરંપરાગત ખેતીની સાથે મિલેટ જેવા મૂલ્યવાન પાકોનું વાવેતર વધારી આર્થિક સમૃદ્ધિ મેળવવા પ્રોત્સાહન મળશે.
    Click here to Read More
    Previous Article
    સમીના રણાસર તળાવમાં અસંખ્ય માછલીઓના મોત:વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ, ઓક્સિજન ઘટનું પ્રાથમિક અનુમાન
    Next Article
    Dwarka PGVCL News | PGVCL વિભાગીય કચેરીના સ્ટોરમાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલાયો | Jam Khambhaliya

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment