Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાવાસીઓએ પાણી માટે પેનિક થવાની જરુર નથી:મ્યુ. કમિશનરે સિંધરોટ ફ્રેન્ચવેલની મુલાકાત લીધી, શહેરીજનોને આગામી 20 - 25 દિવસ સુધી પાણીની કોઈ મુશ્કેલી નહીં પડે

    1 day ago

    વડોદરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પૂરતા દબાણ સાથે પાણી નહીં મળી રહ્યું હોવાની બૂમરાણો વચ્ચે મહાનગરપાલિકા તંત્ર દ્વારા બેઠકોનો દોર શરુ કરવામાં આવ્યો હતો. આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા સિંધરોટ ફ્રેન્ચવેલ ખાતે મુલાકાત લેવામાં આવી હતી. શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે સિંધરોટ ઉપરાંત ફાજલપુર અને આજવાની પણ મુલાકાત લેવામાં આવનાર હતી. આગામી 20 દિવસ સુધી કોઈ તકલીફ નહીં પડે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આજવા સરોવરની સપાટી હાલમાં 206 છે. જેના કારણે આગામી 20 થી 25 દિવસ સુધી શહેરીજનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે. શહેરીજનોને પૂરતા દબાણ સાથે પાણી મળી રહે તે માટેનું આયોજન છે. કેટલાક વિસ્તારમાં સોસાયટીના રહીશો દ્વારા કૃત્રિમ રીતે અછત ઉભી કરવામાં આવી છે અને તેને ડામવા માટે કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર મોટર્સ અને ગેરકાયદેસર કનેક્શન ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વરસાદ મોડો આવશે તો નર્મદા નિગમ પાસેથી પાણી લેવાશે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, હાલમાં અમે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને પત્ર લખ્યો છે. જો વરસાદ પાછો ખેંચાય તો અમે તેઓ પાસેથી 30 MLD પાણી લઈશું. સાવચેતીના ભાગરૂપે હાલમાં તેઓને પત્ર લખી દેવામાં આવ્યો છે. જો કે હાલમાં મહાનગરપાલિકાના જે સ્ત્રોત છે તેમાંથી જ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 125 MLDની લાઈન નાખવાનું કામ હાલ પુરજોશમાં અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, શહેરમાં 125 MLD પાણી મળી રહે તે માટે ચૂંટણીના કારણે કામ થોડું વિલંબમા પડ્યું હતું. હવે આ કામને ગતિ આપવામાં આવી છે. અને આગામી ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થઇ જાય તેવી આશા છે. આ 125 એમએલડી માંથી 75 એમએલડી આગામી એક મહિનામાં મળી જાય તેવું આયોજન છે જેમાંથી 40 એમએલડી પાણી પૂર્વ ઝોન માટે અને થોડું દક્ષિણ ઝોનમાં વિતરિત કરવામાં આવશે. પ્રેશરની સમસ્યા માટે પંપ લગાવવામાં આવશે શહેરમાં પૂરતા દબાણ સાથે પાણી મળે તે માટે 5 એમએલડી પ્રેશર પમ્પ લગાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલમાં નવો એક પ્રેશર પંપ લગાવવામાં આવશે જેનાથી કેટલાક વિસ્તારમાં જે અપૂરતા દબાણનો ઈશ્યુ છે તે સોલ્વ થઇ જશે. લોકોને પૂરતા દબાણ સાથે પાણી મળી રહે તે માટે કોર્પોરેશન તંત્ર કાર્યરત છે અને આગામી સમયમાં તેના ઉપર જ કામ કરી રહ્યા છે. જેથી નગરજનોએ કોઈ પેનિક થવાની જરૂર નથી એમ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. કેટલીક સોસાયટીઓ દ્વારા કૃત્રિમ અછત ઉભી કરાઈ છે અરુણ મહેશ બાબુએ પુનઃ એક વખત જણાવ્યું હતું કે, કેટલીક સોસાયટીના રહીશો દ્વારા તેઓને સંપ બનાવવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ તેઓ દ્વારા પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે કૃત્રિમ અછત ઉભી કરી રહ્યા છે. કેટલાક સ્થળોએ કોર્પોરેશનની પાણી વિતરણ સમસ્યાથી વિપરીત કામગીરી કરવામાં આવી રહી છે અને લોકો એવો આગ્રહ રાખી રહ્યા છે કે તેઓને ઉપરના માળ સુધી પાણી પહોંચે. ત્યારે હાલમાં લોકોને પણ અપીલ છે કે, પાણીનો વપરાશ પણ યોગ્ય રીતે કરે. કોર્પોરેશન લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કટિબદ્ધ છે તેમ તેઓએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સંતરામપુરના ટીમભરવા ગામે અજાણ્યા પ્રાણીનો હુમલો:5થી વધુ લોકો ઘાયલ, વન વિભાગે તપાસ શરૂ કરી
    Next Article
    Narendra Modi Longest Serving Elected Prime Minister | લોકશાહીમાં PM મોદીની અનોખી રાજકીય સફર|News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment