Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદ ફટકારી, બે સજા એકસાથે ભોગવવાનો આદેશ

    2 days ago

    દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના એક ગામમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના ચકચારી કેસમાં વિશેષ પોક્સો કોર્ટે આરોપી લક્ષ્મણ રાઠોડને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ કેસમાં કોર્ટે આરોપીને બે અલગ-અલગ ગુનાની સજા એકસાથે ભોગવવાનો પણ આદેશ આપ્યો છે. કેસની વિગતો અનુસાર, એક ગામની 12 વર્ષીય સગીરા ઘરેથી ગુમ થઈ હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે, પરિવાર સાથે કૌટુંબિક સંબંધ ધરાવતા લક્ષ્મણ રાઠોડે સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું અને તેને પત્ની તરીકે રાખી હતી. સગીરાના પિતાએ આ અંગે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ અપહરણ અને જાતીય શોષણ એમ બે અલગ-અલગ ગુના નોંધાયા હતા. આ કેસની સુનાવણી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી હતી. સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા મજબૂત પુરાવાઓ અને સાક્ષીઓના નિવેદનોના આધારે ન્યાયાધીશ હરેશકુમાર ઠક્કરે આરોપી લક્ષ્મણ રાઠોડને દોષિત જાહેર કર્યો હતો. અદાલતે તેને 20 વર્ષની સખત કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે પીડિત સગીરાની ઉંમર અને તેને ભોગવવી પડેલી માનસિક યાતનાને ધ્યાનમાં રાખીને વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ 6,00,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, આરોપી પાસેથી વસૂલવામાં આવનાર દંડની રકમ પણ પીડિતાને સહાયરૂપે આપવાની સૂચના અપાઈ છે. આ માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. અદાલતે પીડિત સગીરાની ઓળખ છતી ન થાય તે માટે સંવેદનશીલ અભિગમ અપનાવ્યો છે. પીડિતાના તમામ દસ્તાવેજો સીલબંધ કવરમાં રાખવા અને કોર્ટ રેકોર્ડમાં તેની ગોપનીયતા જળવાય તેવા નિર્દેશો જારી કરાયા છે. કોર્ટના આ આદેશ બાદ આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે ભુતાવળ ડાયરો અધવચ્ચે જ બંધ કરાવ્યો:​સોનાપુરીમાં ભારે ટ્રાફિક જામને પગલે કાર્યવાહી, પોલીસે લોકોને ભવનાથ જતા પણ અટકાવ્યા
    Next Article
    સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં જૂનાગઢ 9માં ક્રમાકે‎:વરસાદ ખેંચાયો પણ પાણીનું સંકટ નહીં, હસ્નાપુરમાં હજુ 43.40% પાણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment