Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાયલ શરૂ થયાના માત્ર ચોથા જ દિવસે કોર્ટનો હુકમ:કલોલમાં શ્રમજીવી યુવકનું ગળું કાપવાનો પ્રયાસ કરનાર આરોપીને આજીવન કેદ, 20 દિવસમાં જ કેસની કાર્યવાહી પૂર્ણ

    16 घंटे पहले

    ગાંધીનગર જિલ્લાના છત્રાલ વિસ્તારમાં નજીવી બાબતે અનુસૂચિત જાતિના એક શ્રમજીવી યુવકનું ચપ્પુ વડે ગળું કાપી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાના ચકચારી કેસમાં કલોલની ચોથા સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. સેસન્સ ન્યાયાધીશ બી.આર. રાજપુત દ્વારા 24 વર્ષીય આરોપી વિશાલસિંહ દિનાનાથસિંહ રાજપુતને આજીવન સખત કેદ અને બે લાખ રૂપિયાનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની ટ્રાયલ શરૂ થયાના માત્ર ચોથા જ દિવસે કોર્ટે આખરી ચુકાદો જાહેર કરી ગુનાહિત તત્વો સામે દાખલો બેસાડ્યો છે. શું હતી સમગ્ર ઘટના? મૂળ ઉત્તર પ્રદેશના દેવરીયા જિલ્લાના પીપરપાટી ગામનો વતની અને છત્રાલ ગામે ભાડે રહીને મજૂરી કામ કરતો આરોપી વિશાલસિંહ રાજપુત ગત તારીખ 18 એપ્રિલ, 2026ના રોજ ઉશ્કેરાયેલી હાલતમાં ધસી આવ્યો હતો. છત્રાલ ખોડીયાર માતાના મંદિર પાસે ઠાકોર વાસ નજીકથી ફરિયાદી અને તેનો મિત્ર પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ ફરિયાદીને રોકીને જાતિ વિષયક અપમાનજનક અપશબ્દો બોલી ગાળાગાળી શરૂ કરી હતી. આરોપીએ ‘તું મને છેલ્લા બે-ત્રણ દિવસથી કેમ હેરાન કરે છે’ તેમ કહી પોતાની પાસે રહેલું ધારદાર ચપ્પુ કાઢી ફરિયાદીના ગળાના ભાગે હુલાવી દીધું હતું. આ પ્રાણઘાતક હુમલામાં ફરિયાદી ગંભીર રીતે લોહીલુહાણ થઈ ઢળી પડ્યો હતો, જો કે સમયસર તબીબી સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો. આ અંગે કલોલ તાલુકા પોલીસે એટ્રોસિટી એક્ટ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. માત્ર 20 દિવસમાં ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ આ કેસની સૌથી મોટી વિશેષતા તેની અભૂતપૂર્વ ઝડપ રહી છે, જે ભારતીય ન્યાય પ્રણાલી માટે એક મિસાલ સમાન છે. 29 જૂનના રોજ પોલીસ તંત્ર દ્વારા કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી. કોર્ટ દ્વારા તહોમતનામું ફરમાવ્યા બાદ માત્ર ત્રણ જ દિવસમાં તમામ સાક્ષીઓની જુબાનીઓ પૂર્ણ કરાઈ. ટ્રાયલ શરૂ થયાના માત્ર ચોથા જ દિવસે કોર્ટે આખરી ચુકાદો જાહેર કર્યો. આમ, ચાર્જશીટ દાખલ થયાથી લઈને માત્ર 20 દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર કેસની ન્યાયિક કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જીગ્નેશ એચ. જોશીએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, આરોપીએ એક સામાન્ય મજૂરી કરતા નિર્દોષ વ્યક્તિ પર અગમ્ય દાઝ રાખી છરીથી ગળું કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જો આ ઘા સહેજ વધુ ઊંડો હોત તો શ્વાસનળી કપાઈ જવાથી ફરિયાદીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોત. આવા ગુનેગારો જે જાહેર રસ્તાઓ પર છરીઓ લઈને ફરે છે, તેમને કાયદાનું ભાન કરાવવું અત્યંત જરૂરી છે. 'તંદુરસ્ત સમાજ માટે આવા તત્વોને જેલમાં ધકેલવા ન્યાયોચિત' : કોર્ટ કોર્ટે બંને પક્ષોની દલીલો અને સાક્ષીઓની જુબાનીઓ ધ્યાને લીધા બાદ પોતાના આદેશમાં ગંભીર અવલોકન કર્યું હતું કે, "આરોપીએ નજીવી બાબતમાં ફરિયાદીના ગળા પર મારક હથિયારથી પ્રાણઘાતક હુમલો કર્યો છે. આવા આરોપીઓ જ્યારે જાહેર રસ્તાઓ પર બિનખોફ થઈને ફરે છે, ત્યારે તે એક તંદુરસ્ત સમાજને નાદુરસ્ત બનાવવાનો ઈશારો કરે છે. જો આવા તત્વોને કાયદામાં પ્રસ્થાપિત મહત્તમ સજા કરવામાં ન આવે તો સમાજ ક્યારેય સુરક્ષિત રહેશે નહીં. જે વ્યક્તિને તંદુરસ્ત સમાજની કોઈ મર્યાદા નડતી નથી, તેને સમાજથી દૂર રાખી આજીવન જેલમાં ધકેલી દેવો જ ન્યાયોચિત છે." કોર્ટે આ કડક અવલોકન સાથે ગુનેગારને આજીવન કેદ અને ₹2 લાખના દંડની સજા ફટકારી સમાજ વિરોધી તત્વોને કડક સંદેશ આપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં 80 લાખના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સ:ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ સુદ્રઢ બનશે
    Next Article
    વ્હેલ માછલીની ઉલ્ટી વેચવા આવેલ આરોપી ઝડપાયો:કેશોદમાં વ્હેલ માછલીની ઉલ્ટી આંતરરાષ્ટ્રીય બજારમાં ₹1.62 કરોડથી વધુની કિંમત ધરાવતા એમ્બરગ્રીસ સાથે બોટાદના શખ્સની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment